બાઇકમાં 200, કારમાં 2,000… આ જિલ્લામાં મર્યાદાથી વધુ પેટ્રોલ-ડીઝલ નહીં મળે

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં પેટ્રોલ પંપ પર વધતી ભીડ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. ટૂ-વ્હીલર ગાડીઓને હવે 200 રૂપિયા સુધીનું પેટ્રોલ અને ફોર-વ્હીલર્સને મહત્તમ ₹2,000 સુધી જ ડીઝલ ભરવાની પરવાનગી આપવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા અને તમામ નાગરિકો માટે સમાન ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રવિણ ફુલારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ફેલાતા અહેવાલો સંપૂર્ણપણે અફવાઓ છે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

છેલ્લા કેટલાક દિવસોથી, ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગેની અફવાઓ ફેલાવા લાગી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અને તેમના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા લાગ્યા. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જે લોકો સામાન્ય રીતે ઓછી માત્રામાં ઇંધણ ખરીદતા હઆતા તેઓ પણ મોટી માત્રામાં  પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગ્યા, જેના કારણે લાંબી-લાંબી લાઈનો અને અવ્યવસ્થા પેદા થઈ ગઈ. આને ધ્યાનમાં રાખીને છત્રપતિ સંભાજીનગર જિલ્લા વહીવટીતંત્રએ ભીડને કાબૂમાં લાવવા માટે અસ્થાયી રૂપે પેટ્રોલ-ડીઝલ વિતરણ મર્યાદા નક્કી કરી દીધી છે. ટૂ-વ્હીલર ગાડીઓને હવે એક વખતમાં માત્ર 200 રૂપિયાનું ઇંધણ આપવામાં આવશે, જ્યારે ફોર-વ્હીલર્સને 2,000રૂપિયા સુધીનું ઈંધણ આપવામાં આવશે.

Petrol-Diesel1
indianexpress.com

સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટીતંત્રએ બોટલ અથવા કેનમાં પેટ્રોલ-ડીઝલ વિતરણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે રહેણાંકમાં ઇંધણ સંગ્રહ કરવું ખતરનાક હોય શકે છે, એટલે ફક્ત વાહનની ટાંકીમાં જ ભરવું જોઈએ. વહીવટીતંત્રએ એ પણ સ્પષ્ટતા કરી છે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય આવશ્યક સેવાઓ માટે ઇંધણ પુરવઠો કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે. સાથે જ, બધા પેટ્રોલ પંપોને તેમના ઉપલબ્ધ ઇંધણ સ્ટોકની માહિતી જાહેરમાં પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

anandiben-patel4
facebook.com/anandiben

તો, પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, પુરવઠામાં બિલકુલ કોઈ અછત નથી, અને ડેપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ, અફવાઓના કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે પંપ પર દબાણ વધી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગરના જિલ્લા પુરવઠા અધિકારી પ્રવીણ ફુલારીએ લોકોને બિનજરૂરી ભીડ ન કરવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં ઇંધણની કોઈ અછત નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

About The Author

Top News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકાઓ,...
Gujarat 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’

બાઇકમાં 200, કારમાં 2,000… આ જિલ્લામાં મર્યાદાથી વધુ પેટ્રોલ-ડીઝલ નહીં મળે

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં પેટ્રોલ પંપ પર વધતી ભીડ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. ટૂ-વ્હીલર ગાડીઓને હવે ...
National 
બાઇકમાં 200, કારમાં 2,000… આ જિલ્લામાં મર્યાદાથી વધુ પેટ્રોલ-ડીઝલ નહીં મળે

હાર્દિક પંડ્યાએ 10-10 લાખના ચેકનું વિતરણ કરીને પોતાનું વચન પૂરું કર્યું

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર મેદાન પર જ નહીં, પરંતુ તેની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે....
Sports 
હાર્દિક પંડ્યાએ 10-10 લાખના ચેકનું વિતરણ કરીને પોતાનું વચન પૂરું કર્યું

ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું- લિંબાયતની અનેક સોસાયટીઓમાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે કારણ કે...

ધારાસભ્ય અરવિંદ રાણા બાદ હવે સંગીતા પાટીલે હિન્દુઓની હિજરતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના...
Gujarat 
ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું- લિંબાયતની અનેક સોસાયટીઓમાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે કારણ કે...

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.