- National
- આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના અલગ-અલગ રાજ્યોમાં ન્યાય પહોંચાડવાની ક્ષમતાને માપે છે. આ રિપોર્ટ બતાવે છે કે, આપણા દેશમાં ન્યાય વ્યવસ્થા કેટલી મજબૂત છે અને ક્યાં-ક્યાં સુધારની જરૂરિયાત છે. આ પોતાની જાતનો પહેલો રાષ્ટ્રીય રિપોર્ટ છે, જે સમય-સમય પર રાજ્યોની સ્થિતિની તપાસ કરે છે અને તેમને રેન્ક આપે છે. આ રિપોર્ટમાં 4 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ક્ષેત્ર છે પોલીસ, જેલ, ન્યાયપાલિકા અને કાયદાકીય સહાયતા સાથે-સાથે માનવ અધિકાર આયોગ. આ બધા ક્ષેત્રોને 5 વસ્તુઓના આધાર પર જોવામાં આવ્યા છે. તે છે કર્મચારીઓની સંખ્યા, સુવિધાઓ, બજેટ, કામનો ભાર અને વિવિધતા. વિવિધતાનો મતલબ છે કે આ ક્ષેત્રોમાં મહિલાઓ અને અલગ-અલગ સમુદાયના કેટલા લોકો સામેલ છે.
રિપોર્ટમાં, રાજ્યોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેથી તેમની તુલના યોગ્ય રીતે થઈ શકે. પહેલા ભાગમાં મોટા અને મધ્યમ આકારના રાજ્ય છે જેમની વસ્તી એક કરોડથી વધુ છે. બીજા ભાગમાં નાના રાજ્યો છે, જેમની વસ્તી એક કરોડથી ઓછી છે. આ રીતે તુલના કરવાથી સમજવું સરળ થઈ જાય છે કે કયું રાજ્ય તેની વસ્તી પ્રમાણે સારું પ્રદર્શન કરી રહ્યું છે. રિપોર્ટના પરિણામો બતાવે છે કે કેટલાક રાજ્યો ખૂબ સારું કામ કરી રહ્યા છે. મોટા અને મધ્યમ રાજ્યોમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સૌથી ઉપર છે. તો નાના રાજ્યોમાં સિક્કિમ સૌથી ઉપર છે. કેટલાક રાજ્યોએ પોતાની સ્થિતિમાં ખૂબ સુધાર કર્યો છે. બિહાર, છત્તીસગઢ અને ઓડિશાએ પહેલા કરતા ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. એ દેખાડે છે કે આ રાજ્ય પોતાની ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસની વાત કરીએ તો, આ ક્ષેત્રમાં ઘણા પડકારો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે પોલીસમાં સ્ટાફની ભારે અછત છે. આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત પોલીસની ઉપસ્થિતિ પણ ખૂબ ઓછી છે. એક લોકો પર માત્ર 120 પોલીસકર્મીઓ છે, જ્યારે દુનિયાના ધોરણોના હિસાબે આ સંખ્યા 222 હોવી જોઈએ. મતલબ કે દર 831 લોકો માટે માત્ર એક પોલીસકર્મી છે. આ સ્થિતિ ચિંતા ઉત્પન્ન કરે છે કેમ કે આટલા ઓછા પોલીસકર્મીઓ સાથે લોકોનું રક્ષણ કરવું મુશ્કેલ છે. છતા, પોલીસ પર સૌથી વધુ પૈસા ખર્ચ થાય છે. પ્રતિ વ્યક્તિ પોલીસ માટે 1275 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ રકમ જેલ, કોર્ટ અને કાયદાકીય સહાયતાથી વધુ છે. પરંતુ આટલા પૈસા હોવા છતા, કર્મચારીઓની અછતની સમસ્યા હજુ પણ યથાવત છે.
પોલીસમાં મહિલાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. આખા દેશમાં માત્ર 8 ટકા પોલીસ અધિકારીઓ મહિલા છે. વરિષ્ઠ પોલીસ સર્વિસ એટલે કે IPSમાં 4,940 જગ્યાઓમાંથી 1,000થી ઓછી મહિલાઓ છે. મોટાભાગની મહિલાઓ, એટલે કે 90 ટકા કોન્સ્ટેબલના પદ પર કામ કરે છે. પોલીસમાં કોન્સ્ટેબલ સૌથી નીચું પદ છે. તેનો અર્થ એ થયો કે ઉચ્ચ પદો પર મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે. પરંતુ સારી વાત એ છે કે 78 ટકા પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ હેલ્પ ડેસ્ક મહિલાઓને પોતાની ફરિયાદ નોંધાવવામાં મદદ કરે છે અને તેમને સુરક્ષિત અનુભવ કરાવે છે. આ એક સકારાત્મક પગલું છે, પરંતુ પોલીસમાં મહિલાઓને હજુ પણ વધુ તકો આપવાની જરૂર છે.
ન્યાયપાલિકા એટલે કે કોર્ટની સ્થિતિ પણ સારી નથી. આખા દેશમાં માત્ર 21,000 જજ છે. તેનો અર્થ એ છે કે 10 લાખ લોકો પર માત્ર 15 જજ છે. જ્યારે કાયદા પંચે સૂચન આપ્યું હતું કે આ સંખ્યા 50 હોવી જોઈએ. એટલે કે આપણને ત્રણ ગણા વધુ જજોની જરૂર છે. આ ઉપરાંત, હાઈકોર્ટમાં 33 ટકા અને જિલ્લા કોરટમાં 21 ટકાજજોના પદ ખાલી છે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવાથી, કોર્ટમાં કેસ ખૂબ જ ધીરે ચાલે છે. લોકોને ન્યાય મળવામાં વર્ષો લાગે જાય છે. કોર્ટનું બજેટ પણ ખૂબ ઓછું છે. પ્રતિ વ્યક્તિ પર વાર્ષિક માત્ર 182 રૂપિયા ખર્ચ થાય છે. કોઈપણ રાજ્ય તેના બજેટના 1 ટકાથી વધુ કોર્ટને આપતું નથી. આ દર્શાવે છે કે ન્યાયપાલિકાને પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી.
કાયદાકીય સહાયતાની સ્થિતિ વધુ ખરાબ છે. પ્રતિ વ્યક્તિ કાયદાકીય સહાય પાછળ માત્ર 6 રૂપિયા ખર્ચ થાય છે. એટલે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો જે વકીલ રાખી શકતા નથી તેમને મદદ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. પેરાલીગલ વોલેન્ટિયર્સ એટલે કે PLV એવા લોકો છે જે ગામડાઓ અને ગરીબ વિસ્તારોમાં લોકોને કાયદાકીય માહિતી અને મદદ પૂરી પાડે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં તેની સંખ્યા 38 ટકા ઓછી થઈ ગઈ છે. હવે એક લાખ લોકો પર માત્ર 3 PLV બચ્યા છે. આ લોકો 1987ની કાયદાકીય સેવા પ્રાધિકરણ અધિનિયમ હેઠળ તાલીમ આપવામાં આવે છે. તેના અભાવને કારણે, ગામડાઓમાં લોકો પોતાના અધિકારોની માહિતી મળી શકતી નથી.
જેલોની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ભારતની જેલો પોતાની ક્ષમતથી 131 ટકા વધુ ભરાયેલી છે. એટલે કે જેલોમાં જગ્યા કરતા વધુ કેદીઓ છે. કર્મચારીઓની પણ અછત છે. 28 ટકા અધિકારી, 44 ટકા ગાર્ડ અને 43 ટકા મેડિકલ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. જેલોમાં આરોગ્ય સેવાઓ પણ ખૂબ જ ઓછી છે. એક ડૉક્ટર પાસે 775 કેદી છે, જ્યારે ધોરણ છે કે એક ડૉક્ટર 300 કેદીઓની દેખરેખ કરે. એવો અનુમાન છે કે વર્ષ 2030 સુધી જેલોમાં કેદીઓની સંખ્યામાં 1.65 લાખ હજી વધી જશે. તેનાથી જેલોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જેલોમાં 76 ટકા કેદીઓ વિચારાધીન છે. એટલે કે તેમનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમાંથી ઘણા લોકો 3-5 વર્ષથી જેલમાં છે. આ ખૂબ જ ચિંતાની વાત છે કેમ કે સજા વિના આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવું એ તેમના અધિકારોનું હનન છે.

જેલોમાં બીજી એક ગંભીર સમસ્યા છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં જેલોમાં જાતિ આધાર પર ભેદભાવ ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. આ હોવા છતા, ઘણી જેલોમાં જાતિગત ભેદભાવ હજુ પણ ચાલુ છે. એ દેખાડે છે કે કાયદાને લાગૂ કરવાનો અભાવ છે. જેલોમાં કેદીઓના સુધાર અને સમાજમાં તેમના પાછા ફરવા માટે ખૂબ જ ઓછું કામ થઈ રહ્યું છે. વર્ષ 2022માં માત્ર 6 ટકા કેદીઓને શિક્ષણ મળ્યું હતું અને માત્ર 2 ટકા કેદીઓને નોકરીની તાલીમ આપવામાં આવી હતી. તેનો અર્થ એ થયો કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ, મોટાભાગના કેદીઓ સમાજમાં સારી રીતે સામેલ થઈ શકતા નથી.
આ રિપોર્ટ એક ચેતવણી છે. કેટલાક રાજ્ય જેમ કે બિહાર, છત્તીસગઢ અને ઓડિશામાં સુધાર જોવા મળ્યો છે, જે આશા આપે છે. પરંતુ દેશભરમાં ખૂબ કામ કરવાનું બાકી છે. પોલીસમાં સ્ટાફની અછત દૂર કરવી પડશે. કોર્ટમાં જજોની સંખ્યા વધારવી પડશે. જેલોમાં સુવિધાઓ અને કર્મચારી આપવા પડશે. કાયદાકીય સહાયય માટે વધુ પૈસા અને લોકોની જરૂર છે. પોલીસ અને કોર્ટમાં ઉચ્ચ હોદ્દાઓ માટે મહિલાઓને તકો આપવી પડશે. જેલોમાં જાતિગત ભેદભાવ પૂરી રીતે ખતમ કરવો પડશે. કેદીઓને શિક્ષણ અને તાલીમ આપીને તેમના સુધારા પર ધ્યાન આપવું પડશે. જો આ સુધારા ન થયા તો 2030 સુધીમાં સમસ્યાઓ વધુ વધશે. બધા રાજ્યો અને સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે જેથી દરેક નાગરિકને સમયસર અને નિષ્પક્ષ ન્યાય મળે. આ રિપોર્ટ બતાવે છે કે ભારતની ન્યાય વ્યવસ્થાને મજબૂત અને બધા માટે સુલભ બનાવવા માટે હજુ ઘણી મહેનત કરવાની જરૂર છે.