વ્યાજે પૈસા આપવા, 3 ઘર, 3 ઓટો-રિક્ષા અને એક કાર... આવી છે કરોડપતિ ભિખારી માંગીલાલની જિંદગી

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લાકડાની સ્લાઇડિંગ ગાડી પર વર્ષોથી ભીખ માંગનાર એક અપંગ ભિખારી 3 પાકા ઘર, એક ઓટો-રિક્ષા અને એક કારનો માલિક નીકળ્યો. આ ભિખારીનું નામ છે માંગીલાલ. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની બચાવ ટીમે સતત મળી રહેલી ફરિયાદોના આધારે સરાફા ક્ષેત્રમાં કાર્યવાહી કરતા માંગીલાલને બચાવ્યો અને તેની પૂછપરછ કરી. ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો.

સરાફા બજાર વિસ્તારમાં નિયમિતપણે આવતી-જતી લગભગ દરેક વ્યક્તિ માંગીલાલને ઓળખે છે. લાકડાની બનેલી સ્લાઇડિંગ ગાડી, તેની પીઠ પર લટકાવેલી થેલી અને હાથોમાં જૂતાથી ધસડીને ચાલવું. આ દૃશ્ય વર્ષોથી સરાફા બજારમાં સામાન્ય હતું. પહેલી નજરે માંગીલાલને જોઈને દરેક વ્યક્તિના મનમાં સહાનુભૂતિ જાગતી હતી અને લોકો કોઈ પણ જાતના વિચાર કર્યા વિના તેને પૈસા આપી દેતા હતા. માંગીલાલ પોતાને અત્યંત અસહાય અને લાચાર બતાવતો હતો. ન તો કોઈ સાથે બળજબરી કરતો હતો અને ન તો મોટેથી કંઈ કહેતો હતો. તે શાંતિથી લોકો પાસે જતો, અને તેની અપંગતા જોઈને લોકો તેને આપમેળે ભિક્ષા આપી દેતા હતા.

બચાવ દરમિયાન એવું તથ્ય પણ સામે આવ્યું કે માંગીલાલને તેની અપંગતા જોતા રેડ ક્રોસ સોસાયટીની મદદથી શાસન દ્વારા 1 BHK ઘર પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં  આવ્યું હતું. તે અલવાસ વિસ્તારમાં એક આશ્રમમાં પણ રહેતો હતો. તેમ છતા તેણે ભિક્ષાવૃત્તિ ન છોડી.

millionaire beggar
x.com/Niitz1

બચાવ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં માંગીલાલની સંપત્તિની જે વિગતો સામે આવી છે, તે ચોંકાવનારી છે. માંગીલાલ પાસે કુલ 3 પાકા ઘરો છે: ભગતસિંહ નગરમાં 16x45 ફૂટનું 3 માળનું પાકું ઘર, શિવનગર વિસ્તારમાં લગભગ 600 ચોરસ ફૂટમાં બનેલું બીજું પાકું ઘર અને અલવાસ વિસ્તારમાં 10x20 ફૂટનું 1 BHK ઘર. આ સંપત્તિઓની કિંમત લાખોમાં નહીં, પરંતુ વર્તમાન બજાર દરો અનુસાર કરોડોમાં અંદાજવામાં આવી રહી છે.

માત્ર ઘર જ નહીં, માંગીલાલ પાસે 3 ઓટોરિક્ષા પણ છે, જે તે ભાડે આપીને ચલાવડાવે છે. તેની પાસે ડિઝાયર ફોર વ્હીલર પણ છે. રસપ્રદ વાત એ છે કે માંગીલાલ આ કારનો ઉપયોગ પોતે કરતો નથી, પરંતુ તેને ભાડે આપીને ચલાવડાવે છે. પૂછપરછ દરમિયાન માંગીલાલે એ પણ સ્વીકાર્યું કે તેણે સરાફા વિસ્તારમાં ઘણા લોકોને વ્યાજ પર પૈસા આપ્યા છે. તેનું કહેવું હતું કે, તે દરરોજ સરાફા વિસ્તારમાં માત્ર ભીખ માંગવા નહીં, પરંતુ વ્યાજ વસૂલવા પણ જાય છે. માંગીલાલના જણાવ્યા મુજબ, તે વ્યાજ અને ભીખ માંગવાથી દરરોજ 400 થી 500 રૂપિયા કમાય લે છે.

બચાવ દરમિયાન માંગીલાલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, તે કોઈને ભીખ માંગવા માટે દબાણ કરતો નથી. લોકો તેની સ્થિતિ જોઈને તેને જાતે પૈસા આપે છે. તે કોઈને મજબૂર કરતો નથી કે ન કોઈ પ્રકારનું દબાણ કરે છે. જો કે, વહીવટીતંત્રનું માનવું છે કે, ભલે બળજબરી ન હોય, પરંતુ ખોટી લાચારી અને અસહાયતાનો ઢોંગ કરીને ભીખ માંગવી પણ ગુનાની શ્રેણીમાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વ્યક્તિ સંપન્ન હોય.

millionaire beggar
x.com/AdvAshutoshBJP

બચાવ ટીમના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, સરાફા ક્ષેત્રમાંથી માંગીલાલ વિરુદ્ધ સતત ફરિયાદો મળી રહી હતી. લોકોનું કહેવું હતું કે તે વર્ષોથી ભીખ માંગી રહ્યો હતો, જ્યારે તેની જીવનશૈલી અને ગતિવિધિઓ શંકા ઉત્પન્ન કરતી હતી. આ જ ફરિયાદોના આધારે ટીમે ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાન હેઠળ કાર્યવાહી કરી અને તેને બચાવ્યો છે. સરકારના નિર્દેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર બાબત પર જિલ્લા કાર્યક્રમ અધિકારી શ્રી રજનીશ સિંહાએ જણાવ્યું હતું કે ભીખ માંગવા સામે કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ ભિક્ષાવૃત્તિ કરશે અથવા તેને પ્રોત્સાહન આપશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા કિસ્સાઓથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને ખરેખર જરૂરિયાતમંદ લોકોના અધિકારો પર પણ અસર પડે છે.

About The Author

Top News

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.