પરિવારમાં દીકરો નહોતો, 7 દીકરીઓએ માતાને કાંધ આપીને પરંપરા તોડી

બિહારના બાંકા જિલ્લામાં આવું ચિત્ર જોવા મળ્યું છે, જેણે દીકરા-દીકરી વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે. મોટાભાગે લોકો દીકરા-દીકરાની રટ લગાવતા રહેતા હોય છે. લોકોની અપેક્ષા દીકરાઓ પાસેથી વધુ હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ મૃત્યુ પામે ત્યારે દીકરો તેમની ચિતાને અગ્નિદાહ આપે, તેમના અર્થીને કાંધ આપે, પરંતુ આજે એક વૃદ્ધ મહિલાની 7દીકરીઓએ  અર્થીને કાંધ આપીને આ પરંપરાને તોડી છે. દીકરીઓએ સાબિત કર્યું છે કે તેઓ દીકરાઓથી કમ નથી. જમાનો બદલાયો છે તેની સાથે પરંપરાઓ પણ બદલાઇ રહી છે.

હિંદુ ધર્મમાં અનેક પંરપરાઓ એવી છે જેનું ખાસ મહત્ત્વ હોય છે. હિંદુ ધર્મમાં એવી પરંપરા છે કે માતા-પિતાના મોત પછી પુત્ર જ અર્થીને કાંધ અને મુખાગ્નિ આપે. પરંતુ સમયના બદલાવની સાથે કેટલીક પરંપરાઓ પણ બદલાઇ રહી છે. બિહારના બાંકા જિલ્લામાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારમાં દીકરો નહોતો, તો 7 દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો હતો. જો કે હવે શહેરોમાં કેટલીક વખત એવું બને છે કે દીકરીઓ પણ સ્મશાને જાય છે અને માતા કે પિતાના શબને મુખાગ્નિ આપે છે. પરંતુ ગામડાઓમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.

બાંકા જિલ્લાના કટોરિયા બ્લોકની દેવાસી પંચાયતમાં જ્યારે 7 બહેનોએ ભાઈ ન હોવાના કારણે માતાની અર્થીને કાંધ આપી, ત્યારે ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.કટોરિયા બ્લોકની દેવસી પંચાયતના ખિજુરિયાની રહેવાસી ધર્મશીલા દેવીના અવસાન બાદ સાત દીકરીઓએ અર્થીને કાંધ આપવાની ફરજ નિભાવી હતી.

માતા ધર્મશીલા દેવીની અર્થીને જ્યારે 7 પુત્રીઓ કાંધ આપી ત્યારે તેમના આક્રંદે આખા વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો. સાતેય દીકરીઓ માતાની અર્થીને નદી સુધી લઇ ગઇ હતી. ધર્મશીલા દેવીના શબને મુખાગ્નિ તેમના પતિ અને સાતેય દીકરીઓના પિતાએ આપ્યો હતો. સાત દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી તેની બિહારમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે, ધર્મશીલા દેવી 80 વર્ષના હતા અને તેઓ ઘણા સમયથી બિમાર હતા. તેમનું હિમોગ્લોબીન ઘટી ગયું હતું અને અંતે તેઓ મોતને ભેટ્યા.

છ વર્ષ પૂર્વે કટોરીયા બજારના ચુન્નીલાલ સાહનું કિડનીની બિમારીના કારણે અવસાન થતાં પુત્રની ગેરહાજરીમાં નવ પુત્રીઓએ અર્થીને કાંધ આપી હતી. ત્યારે પણ આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.