3 વર્ષમાં રામ મંદિર બનાવવા 900 કરોડ ખર્ચાયા, હજુ ટ્રસ્ટના ખાતામાં આટલા અબજ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો છે અને ટ્રસ્ટના બેન્ક ખાતામાં હજુ પણ રૂ. 30 અબજ એટલે કે 3000 કરોડ છે. ટ્રસ્ટના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

શનિવારે સવારે ટ્રસ્ટના અધિકારીઓની ત્રણ કલાકની બેઠક બાદ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, '5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણમાં રૂ. 900 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને રૂ. 3000 કરોડથી વધુ હજુ પણ ટ્રસ્ટના બેન્ક ખાતામાં પેન્ડીંગ છે.' રાયે જણાવ્યું હતું કે, મીટિંગમાં વિદેશી ચલણમાં દાન સ્વીકારવાની કાનૂની પ્રક્રિયા સહિત 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ટ્રસ્ટે FCRA (ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) હેઠળ પરવાનગી માટે અરજી કરી છે.

રાયે કહ્યું કે સરયુના કિનારે સ્થિત રામ કથા મ્યુઝિયમ એક કાનૂની ટ્રસ્ટ હશે અને તેમાં રામ મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજો રાખવામાં આવશે. ટ્રસ્ટે અપીલ કરી હતી કે, દેશભરના નાગરિકોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સૂર્યાસ્ત સમયે તેમના ઘરની સામે પાંચ દીવા પ્રગટાવવા જોઈએ.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પખવાડિયા પહેલા કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની સાથે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી લગભગ 10,000 મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.

રાયે કહ્યું કે, રામજન્મભૂમિના દરેક મુલાકાતીઓને પ્રસાદની સાથે ભગવાન રામની તસવીરો પણ વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે, લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યું છે કે, બે વર્ષમાં ભગવાન રામની તસવીર 10 કરોડ ઘરોમાં પહોંચે. રાયે કહ્યું કે, 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ભારતના 5 લાખ ગામડાઓમાં પૂજા અક્ષત (પૂજા કરાયેલા ચોખા)નું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અક્ષતને વહેંચીને વિવિધ વિસ્તારોના તેમના મંદિરોમાં તહેવારોની જેમ અયોધ્યાની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ પહેલા ભગવાન રામની સામે ચોખાની પૂજા કરવામાં આવશે અને પૂજા કરાયેલા ચોખા સમગ્ર ભારતમાં વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતભરના 50 કેન્દ્રોના કાર્યકરો અક્ષતને વિવિધ કેન્દ્રો પર લઈ જશે. તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ માટે ધાર્મિક સમિતિની રચના કરવામાં આવી છે. રાયે કહ્યું કે મંદિર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે અને અંતિમ નિર્માણ જાન્યુઆરી 2025 સુધીમાં પૂરું થશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.