યુવકના લગ્ન ચાલી રહ્યા હતા, પહેલી પત્નીએ સ્ટેજ પર આવીને જાહેરમાં તેને ફટકાર્યો

લગ્નની જાન કન્યાના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. વરરાજા સ્ટેજ પર પહોંચી ગયો હતો અને તે કન્યાની રાહ જોઈ રહ્યો હતો. પછી અચાનક બીજી એક સ્ત્રી સ્ટેજ પર આવી અને જ્યાં સુધીમાં આસપાસના લોકો કંઈપણ સમજી શકતા હતા. ત્યાં સુધીમાં તો તેણે વરરાજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન વચ્ચે પાડવા આવેલા વરરાજાના પરિવારના સભ્યોને પણ માર મારવામાં આવ્યો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, વરરાજા તેને છૂટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મામલો શાંત કરાવ્યો અને હવે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આ મામલો ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાનો છે. ઝાંસીના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભટ્ટા ગામમાં સ્થિત નૂર ગાર્ડન મેરેજ હોલમાં વિદ્યા પ્રકાશ વિક્રમના પુત્ર દિવ્ય પ્રકાશ વિક્રમના લગ્ન થઈ રહ્યા હતા. દિવ્યા પ્રકાશ ખૂબ જ ધામધૂમથી લગ્નની જાન લઈને જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચ્યા. શરૂઆતની બધી વિધિઓ પછી, તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા. વિક્રમ સ્ટેજ પર બેઠો હતો ત્યારે એક મહિલા તેના પરિવાર સાથે ત્યાં પહોંચી. અને વરરાજાને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ ફરીથી હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઘણી હોબાળો થયા પછી, પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધમાલ મચાવી રહેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સારિકા જણાવ્યું. સારિકાના મતે, તે વરરાજાની પહેલી પત્ની છે.

સારિકાએ વધુમાં જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી, તેના પતિએ તેને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી. ત્યાર પછી તે તેના પિયરમાં રહેવા લાગી. તેમના મતે, તેમનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને છૂટાછેડાનો કેસ હજુ સુધી ફાઇનલ થયો નથી.

વરરાજાએ જણાવ્યું કે લગ્ન પછી, સારિકા તેના ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને તેના પિયરના ઘરે ભાગી ગઈ હતી. ત્યાર પછી તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. કોર્ટે સારિકાને ઘણી વખત નોટિસ મોકલી. પરંતુ તેમના તરફથી કોઈએ પણ તેને રિસીવ ન કર્યું. પછી કોર્ટે એક જાહેરાત પ્રકાશિત કરાવી. તો પણ, સારિકાના પક્ષ તરફથી કોઈ આવ્યું નહીં. ત્યાર પછી કોર્ટે 20 એપ્રિલ 2024ના રોજ એકપક્ષીય છૂટાછેડા મંજૂર કર્યા.

દિવ્યા પ્રકાશે વધુમાં જણાવ્યું કે, છૂટાછેડા પછી તેણે બીજી છોકરી વંદના સાથે પોતાના લગ્ન નક્કી કર્યા. અને તેની પાસે છૂટાછેડાના કાગળો પણ છે. ઝાંસી સર્કલ ઓફિસર રામવીર સિંહે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીના રોજ ડાયલ નંબર 112 પરથી માહિતી મળી હતી કે, એક લગ્ન સમારોહમાં ઝઘડો થઈ રહ્યો છે. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યા પ્રકાશની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના છૂટાછેડા થયા નથી. પરંતુ દસ્તાવેજો તપાસ્યા પછી, વરરાજાના પક્ષ લોકો સાચા હોવાનું જાણવા મળ્યું. એપ્રિલ 2024માં તેમના છૂટાછેડા થઇ ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.