યુવકના લગ્ન ચાલી રહ્યા હતા, પહેલી પત્નીએ સ્ટેજ પર આવીને જાહેરમાં તેને ફટકાર્યો

લગ્નની જાન કન્યાના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. વરરાજા સ્ટેજ પર પહોંચી ગયો હતો અને તે કન્યાની રાહ જોઈ રહ્યો હતો. પછી અચાનક બીજી એક સ્ત્રી સ્ટેજ પર આવી અને જ્યાં સુધીમાં આસપાસના લોકો કંઈપણ સમજી શકતા હતા. ત્યાં સુધીમાં તો તેણે વરરાજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન વચ્ચે પાડવા આવેલા વરરાજાના પરિવારના સભ્યોને પણ માર મારવામાં આવ્યો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, વરરાજા તેને છૂટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મામલો શાંત કરાવ્યો અને હવે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આ મામલો ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાનો છે. ઝાંસીના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભટ્ટા ગામમાં સ્થિત નૂર ગાર્ડન મેરેજ હોલમાં વિદ્યા પ્રકાશ વિક્રમના પુત્ર દિવ્ય પ્રકાશ વિક્રમના લગ્ન થઈ રહ્યા હતા. દિવ્યા પ્રકાશ ખૂબ જ ધામધૂમથી લગ્નની જાન લઈને જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચ્યા. શરૂઆતની બધી વિધિઓ પછી, તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા. વિક્રમ સ્ટેજ પર બેઠો હતો ત્યારે એક મહિલા તેના પરિવાર સાથે ત્યાં પહોંચી. અને વરરાજાને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ ફરીથી હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઘણી હોબાળો થયા પછી, પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધમાલ મચાવી રહેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સારિકા જણાવ્યું. સારિકાના મતે, તે વરરાજાની પહેલી પત્ની છે.

સારિકાએ વધુમાં જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી, તેના પતિએ તેને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી. ત્યાર પછી તે તેના પિયરમાં રહેવા લાગી. તેમના મતે, તેમનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને છૂટાછેડાનો કેસ હજુ સુધી ફાઇનલ થયો નથી.

વરરાજાએ જણાવ્યું કે લગ્ન પછી, સારિકા તેના ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને તેના પિયરના ઘરે ભાગી ગઈ હતી. ત્યાર પછી તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. કોર્ટે સારિકાને ઘણી વખત નોટિસ મોકલી. પરંતુ તેમના તરફથી કોઈએ પણ તેને રિસીવ ન કર્યું. પછી કોર્ટે એક જાહેરાત પ્રકાશિત કરાવી. તો પણ, સારિકાના પક્ષ તરફથી કોઈ આવ્યું નહીં. ત્યાર પછી કોર્ટે 20 એપ્રિલ 2024ના રોજ એકપક્ષીય છૂટાછેડા મંજૂર કર્યા.

દિવ્યા પ્રકાશે વધુમાં જણાવ્યું કે, છૂટાછેડા પછી તેણે બીજી છોકરી વંદના સાથે પોતાના લગ્ન નક્કી કર્યા. અને તેની પાસે છૂટાછેડાના કાગળો પણ છે. ઝાંસી સર્કલ ઓફિસર રામવીર સિંહે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીના રોજ ડાયલ નંબર 112 પરથી માહિતી મળી હતી કે, એક લગ્ન સમારોહમાં ઝઘડો થઈ રહ્યો છે. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યા પ્રકાશની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના છૂટાછેડા થયા નથી. પરંતુ દસ્તાવેજો તપાસ્યા પછી, વરરાજાના પક્ષ લોકો સાચા હોવાનું જાણવા મળ્યું. એપ્રિલ 2024માં તેમના છૂટાછેડા થઇ ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી...
National 
ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ

રાજ્ય સરકારે તાજેતરમાં જ બે નિર્ણય લીધા હતા. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે...
Gujarat 
બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ

2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

શિરોમણી અકાલી દળ (SAD) સાથે સમાધાન અંગેની અટકળોનો અંત લાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જાહેરાત કરી...
Politics 
2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

Opinion

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે...
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.