યુવકના લગ્ન ચાલી રહ્યા હતા, પહેલી પત્નીએ સ્ટેજ પર આવીને જાહેરમાં તેને ફટકાર્યો

લગ્નની જાન કન્યાના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. વરરાજા સ્ટેજ પર પહોંચી ગયો હતો અને તે કન્યાની રાહ જોઈ રહ્યો હતો. પછી અચાનક બીજી એક સ્ત્રી સ્ટેજ પર આવી અને જ્યાં સુધીમાં આસપાસના લોકો કંઈપણ સમજી શકતા હતા. ત્યાં સુધીમાં તો તેણે વરરાજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન વચ્ચે પાડવા આવેલા વરરાજાના પરિવારના સભ્યોને પણ માર મારવામાં આવ્યો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, વરરાજા તેને છૂટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મામલો શાંત કરાવ્યો અને હવે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આ મામલો ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાનો છે. ઝાંસીના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભટ્ટા ગામમાં સ્થિત નૂર ગાર્ડન મેરેજ હોલમાં વિદ્યા પ્રકાશ વિક્રમના પુત્ર દિવ્ય પ્રકાશ વિક્રમના લગ્ન થઈ રહ્યા હતા. દિવ્યા પ્રકાશ ખૂબ જ ધામધૂમથી લગ્નની જાન લઈને જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચ્યા. શરૂઆતની બધી વિધિઓ પછી, તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા. વિક્રમ સ્ટેજ પર બેઠો હતો ત્યારે એક મહિલા તેના પરિવાર સાથે ત્યાં પહોંચી. અને વરરાજાને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ ફરીથી હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઘણી હોબાળો થયા પછી, પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધમાલ મચાવી રહેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સારિકા જણાવ્યું. સારિકાના મતે, તે વરરાજાની પહેલી પત્ની છે.

સારિકાએ વધુમાં જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી, તેના પતિએ તેને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી. ત્યાર પછી તે તેના પિયરમાં રહેવા લાગી. તેમના મતે, તેમનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને છૂટાછેડાનો કેસ હજુ સુધી ફાઇનલ થયો નથી.

વરરાજાએ જણાવ્યું કે લગ્ન પછી, સારિકા તેના ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને તેના પિયરના ઘરે ભાગી ગઈ હતી. ત્યાર પછી તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. કોર્ટે સારિકાને ઘણી વખત નોટિસ મોકલી. પરંતુ તેમના તરફથી કોઈએ પણ તેને રિસીવ ન કર્યું. પછી કોર્ટે એક જાહેરાત પ્રકાશિત કરાવી. તો પણ, સારિકાના પક્ષ તરફથી કોઈ આવ્યું નહીં. ત્યાર પછી કોર્ટે 20 એપ્રિલ 2024ના રોજ એકપક્ષીય છૂટાછેડા મંજૂર કર્યા.

દિવ્યા પ્રકાશે વધુમાં જણાવ્યું કે, છૂટાછેડા પછી તેણે બીજી છોકરી વંદના સાથે પોતાના લગ્ન નક્કી કર્યા. અને તેની પાસે છૂટાછેડાના કાગળો પણ છે. ઝાંસી સર્કલ ઓફિસર રામવીર સિંહે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીના રોજ ડાયલ નંબર 112 પરથી માહિતી મળી હતી કે, એક લગ્ન સમારોહમાં ઝઘડો થઈ રહ્યો છે. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યા પ્રકાશની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના છૂટાછેડા થયા નથી. પરંતુ દસ્તાવેજો તપાસ્યા પછી, વરરાજાના પક્ષ લોકો સાચા હોવાનું જાણવા મળ્યું. એપ્રિલ 2024માં તેમના છૂટાછેડા થઇ ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.