કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની સફળતા પછી રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની જાહેરાત કરી છે.

CJPના સ્થાપક અભિજીત દિપકેએ ગુરુવારે તેમના વતન છત્રપતિ સંભાજી નગરમાં 'What The Public Says' નામના અભિયાનની જાહેરાત કરી. આ અભિયાનનો હેતુ 'લોકોના મુદ્દાઓ'ને સમજવાનો છે.

આ વર્ષના જૂન અને જુલાઈમાં, CJPએ નવી દિલ્હીના જંતર મંતર ખાતે NEET પેપર લીક પર તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. 25 જુલાઈના રોજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આ વિરોધનો અંત આવ્યો.

ગુરુવારે, છત્રપતિ સંભાજી નગરમાં, CJPના સ્થાપક અભિજીત દિપકે, પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે, તેમની ભાવિ રણનીતિની જાહેરાત કરી.

30

અભિજીત દિપકે એ જણાવ્યું કે, તેમના અભિયાનનું મુખ્ય ધ્યાન શિક્ષણ પર રહેશે. તેમણે કહ્યું કે શાળા, કોલેજ અને કોચિંગ ફીમાં વધારો થવાથી ઘણા પરિવારો માટે સારું શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે.

છત્રપતિ સંભાજી નગરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન, અભિજીત દિપકકે સંસ્થાકીય જવાબદારી વિશે વાત કરી.

તેમણે દાવો કર્યો કે, દેશની તમામ સંસ્થાઓમાંથી દેશનો વિશ્વાસ ઘટી રહ્યો છે, અને લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.

તેમણે કહ્યું, 'રાજકારણ વિશે વાત કરીએ તો, લોકો કહે છે કે અમે સવારે એક પક્ષમાંથી કોઈને ચૂંટીએ છીએ, અને સાંજ સુધીમાં તો તે બીજા પક્ષમાં હોય છે. સવારે અમે એક સરકારને મત આપીએ છીએ, અને સાંજ સુધીમાં બીજી એક અલગ સરકાર બની જાય છે. જ્યારે આવું નથી થતું, ત્યારે ED અને CBI મોકલીને પક્ષોને તોડવામાં આવે છે. આ પ્રકારની રાજકીય વ્યવસ્થાથી તેના પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. જો આવું ચાલુ રહેશે, તો તે દેશના લોકશાહી માટે ખૂબ જ ખતરનાક સંકેત છે.'

31

અભિજીત દિપકેએ ભારતના ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા, તેમણે કહ્યું, 'આપણા દેશમાં એક સમય એવો હતો જ્યારે મતદારો સરકારને પસંદ કરતા હતા, પરંતુ આજે જે થઈ રહ્યું છે તે એ છે કે, સરકાર પસંદ કરી રહી છે કે અમારો મતદાતા કોણ હશે અને કોણ નહીં. લોકશાહી આ રીતે કાર્ય કરી શકતી નથી. ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની જરૂર છે. જો ચૂંટણી પંચ નિશ્ચિત નહીં થાય, તો દેશમાં ચૂંટણીઓમાં ગોટાળા થતા રહેશે.'

'ન્યાયતંત્ર પર પણ એક મોટો પ્રશ્નાર્થ છે. લોકો કહે છે કે ન્યાયતંત્રમાં જતા સામાન્ય લોકોને ઝડપી સુનાવણી મળતી નથી, અને નિર્ણયો ઝડપથી આવતા નથી. પરંતુ કોઈપણ મોટા ઉદ્યોગપતિ જે કોર્ટમાં જાય છે તેની તાત્કાલિક સુનાવણી થાય છે, તેઓના ઘણા કેસમાં મધ્યરાત્રિમાં સુનાવણી થાય છે. જ્યાં સરકારને તોડી પાડવાની હોય છે, ત્યાં તાત્કાલિક સુનાવણી થાય છે.'

ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગોટાળા અંગે, CJP પ્રવક્તા અભિષેક રાંકાએ કહ્યું કે, તેમની પાર્ટીએ 3 દિવસ પહેલા ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓની સમસ્યાઓને ખૂબ જ વિગતવાર સમજી હતી.

તેમણે કહ્યું, 'ઝારખંડમાં વિરોધ કરી રહેલા અમારા સાથીદારોના સમર્થનમાં CJPની આખી ટીમ ઉભી છે. અમે માંગ કરીએ છીએ કે ઝારખંડ સરકાર તેમની બધી માંગણીઓ સ્વીકારે. આજે જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે CJPનું એક પ્રતિનિધિમંડળ રાંચી આવી રહ્યું છે. તેઓ ત્યાંના તમામ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. તેઓ તેમની ચિંતાઓને સમજશે, તેમને ટેકો આપશે અને તેમને જે પણ પ્રકારનો ટેકો જોઈશે તે પૂરો પાડશે અને અમે પણ ઝારખંડ જઈશું અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીશું.'

32

મીડિયા સૂત્રો સાથે વાતચીત દરમિયાન, એક પત્રકારે અભિજીત દિપકેને પૂછ્યું, 'જો કે, તેઓએ ન્યાયતંત્ર અને શિક્ષણ જેવા મુદ્દાઓ નક્કી કરી લીધા છે, તો તેઓ જનતાને શું પૂછવા માંગશે?'

આ પ્રશ્નના જવાબમાં, અભિજીત દિપકેએ કહ્યું, 'મારું માનવું છે કે કોઈપણ સંગઠનનો એક એજન્ડા હોવો જોઈએ, અને જનતાને પણ પૂછવું જોઈએ. જો આપણી પાસે કોઈ એજન્ડા જ નહીં હોય, તો આપણે જનતા સમક્ષ શું લઈને જાશું? જનતાને પણ લાગશે કે આપણે દિશાહીન છીએ.'

'લોકશાહીમાં, આપણે આપણી વાત કહેવાની જરૂર છે. હું મહારાષ્ટ્રમાં રહું છું. મેં જોયું છે કે અહીં રાજકીય પક્ષોને કેવી રીતે તોડવામાં આવ્યા છે. પ્રાદેશિક પક્ષોને તોડવામાં આવ્યા છે. અને બીજે ક્યાં પ્રાદેશિક પક્ષો નથી તૂટી રહ્યા?'

'જંતર-મંતર પર બેઠા પછી, અમે આ બધું જોયું છે. જ્યારે મેં લોકો સાથે વાત કરી, ત્યારે તેઓએ પણ એવું જ કહ્યું, આને ફક્ત NEET સામેનો વિરોધ ન બનાવો. ચૂંટણી પંચ વિશે વાત કરો. ન્યાયતંત્ર વિશે વાત કરો. તેથી, આ બધું સલાહો અને વિચાર કર્યા પછી જ થયું છે અને અમને લાગે છે કે હવે વધુ વિગતવાર સલાહ અને વિચારોની જરૂર છે.'

About The Author

Related Posts

Top News

સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...

NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની ભૂખ હડતાળ કેવી રીતે સમાપ્ત...
National 
સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...

કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની સફળતા પછી રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની જાહેરાત કરી...
National 
કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો

નીતિન ગડકરીએ જુલાઇમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અમેરિકા જેવા જ હશે. હું તમને આ વચન આપવા માંગુ...
National 
ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો

મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ

મુંબઈના રહેવાસી શિવચરણ રામ રતન ગુપ્તા, તેમના સમયના જાણીતા કાપડ વેપારી હતા. તેઓ સારી કમાણી કરતા હતા. તેમનો પરિવાર...
National 
મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.