રાહુલ ગાંધી પર એક્શન એ BJPનો સેલ્ફ ગોલ છે, રાહુલને ફાયદો થશે: શશિ થરૂર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે એક નિવેદનમાં કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે લોકસભા સભ્ય પદ કરવાનો જે નિર્ણય લેવાયો તે ભાજપનો પોતાનો હેતું છે, ભાજપનો આ સેલ્ફ ગોલ છે. થરુરે કહ્યું કે રાહુલ ગાંધી પર લેવાયેલા પગલાંને કારણે વિપક્ષ અને રાહુલ ગાંધીને જ ફાયદો થવાનો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું  સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. જનપ્રતિનિધિત્વ કાયદાના કાયદાને કારણે રાહુલ ગાંધીએ પોતાનું પદ ગુમાવ્યું છે. તેમની ગેરલાયકાતનો મામલો એક તરફ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે તો બીજી તરફ વિપક્ષ કેન્દ્ર સરકાર સામે એકઠા થઇ ગયા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે રાહુલ ગાંધી પરની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સેલ્ફ ગોલ હોવાનું કહ્યું છે.

શશિ થરૂરે કહ્યું, આખરે આ મુદ્દાનો ફાયદો માત્ર વિરોધ પક્ષો અને રાહુલ ગાંધીને જ થશે. આનાથી ભાજપ માટે કેટલાક અણધાર્યા પરિણામો આવશે. રાહુલ ગાંધી સાથે જે થયું તેની દરેક રાજધાનીમાં ચર્ચા છે. થરુરે કહ્યું કે ભાજપે તો વિપક્ષી એકતા માટે  એક એવું પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે જે પહેલા ક્યારેય નહોતું. મતલબ કે પહેલા વિપક્ષો એકજૂટ નહોતા,અનેક મુદ્દાઓ પર વિરોધ પક્ષો સાથે આવવાની વાત કરતા રહેતા, પરંતુ સાથે નહોતા આવતા. રાહુલ ગાંધી સામે જે પગલાં લેવાયા તે પછી વિરોધ પક્ષ એક મંચ પર ભેગા આવીને તેમની એકતા બતાવી રહ્યા છે.

મોટાભાગના વિપક્ષી નેતાઓનું વલણ પણ એવું છે જે શશિ થરૂરની વાતને સાચી સાબિત કરી રહ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના ચુકાદા પછી બધા વિપક્ષ કેન્દ્ર સરકારની સામે એકજૂટ થઇ ગયા છે. લોકો પણ સુરત કોર્ટમાં સંભળાવવામાં આવેલા ચુકાદા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

રાહુલ ગાંધી પર સુરતની કોર્ટમાં કરવામાં આવેલા એક માનહાનિ કેસમાં 23 માર્ચે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 દંડ કરવામાં આવ્યો હતો. જો કે રાહુલ ગાંધીને તરત જામીન પણ આપી દેવામાં આવ્યાહતા. આ આદેશ પછી 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સંસદમાંથી ડિસક્વોલીફાય કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

લોકસભા સચિવાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું કે તેમના સભ્ય પદ રદ કરવાનો નિર્ણય 23 માર્ચથી અમલી ગણાશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.