અમદાવાદ પ્લેન ક્રેશ: દિવંગત પાયલોટના ભત્રીજાને સમન્સ મોકલાતા પાયલોટ સંગઠન ગુસ્સે

ગયા વર્ષે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઈન્ડિયા પ્લેન ક્રેશ (AI 171)ની તપાસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કેપ્ટન સુમીત સભરવાલના ભત્રીજા કેપ્ટન વરુણ આનંદને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવતા વિવાદ છેડાયો છે. પાયલોટોના સંગઠન 'ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટ્સ' (FIP) એ આ પગલાને અનુચિત ગણાવી કાયદેસરની નોટિસ ફટકારી છે.

02

એર ઈન્ડિયામાં પાયલોટ અને FIPના સભ્ય એવા કેપ્ટન વરુણ આનંદને AAIB 15 જાન્યુઆરીના રોજ તપાસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. આ અંગે પાયલોટ સંગઠને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે- સમન્સમાં હાજર થવા પાછળનું કોઈ કાયદેસરનું કારણ કે હેતુ દર્શાવવામાં આવ્યો નથી. કેપ્ટન આનંદનો આ વિમાન દુર્ઘટના સાથે સીધો કોઈ સંબંધ નથી, તેમ છતાં તેમને બોલાવવા તે ઉત્પીડન સમાન છે. એક દુઃખદ ઘટના બાદ પરિવારના સભ્યને આ રીતે સમન્સ મોકલવો તે માનસિક પીડા આપવા જેવું છે અને તેનાથી પાયલોટની છબીને નુકસાન થઈ શકે છે.

સંગઠને સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કેપ્ટન આનંદ તે ફ્લાઇટ કે ઘટના સાથે જોડાયેલા નહોતા, તો તેમને કયા આધારે બોલાવવામાં આવી રહ્યા છે? જોકે, આ વિરોધ છતાં કેપ્ટન વરુણ આનંદે તપાસમાં સહયોગ આપવાની ખાતરી આપી છે. તેમણે તપાસ એજન્સીના પ્રશ્નોના જવાબ આપવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા સંમતિ દર્શાવી છે.

04

યાદ અપાવી દઈએ કે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 241 મુસાફરો સહિત કુલ 265 લોકોના મોત થયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર એકમાત્ર એવા મુસાફર હતા જેઓ ચમત્કારિક રીતે જીવતા બચ્યા હતા. આ મામલે AAIB હવે શંકાના દાયરામાં છે કે શું તેઓ તપાસના નામે પાયલોટો પર ખોટું દબાણ બનાવી રહ્યા છે?

 

About The Author

Related Posts

Top News

શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના...
Sports 
શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું....
National 
ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.