વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાના શોખને લીધે 11મા ધોરણની વિદ્યાર્થીનીના આંતરડા ચોંટી ગયા; જીભના ચટકારાએ લીધો જીવ!

અમરોહાની 11મા ધોરણની વિદ્યાર્થીની આહાના (16 વર્ષ)નું ફાસ્ટ ફૂડ ખાવાના શોખને કારણે મૃત્યુ થયું. ચાઉમીન, મેગી, પિઝા અને બર્ગર ખાવાથી તેના આંતરડાને નુકસાન થયું, જેના કારણે તેમાં કાણાં થઈ ગયા. ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છતાં તેને બચાવી શકાઈ નહીં.

દિલ્હીના એઈમ્સમાં સારવાર દરમિયાન રવિવારે રાત્રે વિદ્યાર્થીનું મૃત્યુ થયું. આહાના અમરોહા શહેરના મોહલ્લા અફઘાનના રહેવાસી મન્સૂર ખાનની પુત્રી હતી. ખેડૂત મન્સૂર ખાનને પરિવારમાં પત્ની સારા ખાન સાથે એક પુત્ર અને બે પુત્રીઓ છે.

સૌથી નાની પુત્રી આહાના શહેરની હાશ્મી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં 11મા ધોરણની વિદ્યાર્થીની હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, આહાના ફાસ્ટ ફૂડની શોખીન હતી. ના પાડવા છતાં, તે ચાઉમીન, મેગી, પિઝા અને બર્ગર જેવી ફાસ્ટ ફૂડ વસ્તુઓ ખાવાનું ચાલુ રાખતી હતી. સપ્ટેમ્બરમાં આહાનાની તબિયત બગડી ગઈ હતી.

Sambhal-Fast Food Addiction
zeenews.india.com

પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરતાં, 30 નવેમ્બરના રોજ તેને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેના આંતરડા ચોંટેલા હોવાનું અને તેમાં કાણાં હોવાનું નિદાન કર્યું હતું. તેમણે ફાસ્ટ ફૂડ ખાવાને કારણે આંતરડાને નુકસાન થયું હોવાનું કારણ આપ્યું હતું.

30 નવેમ્બરની રાત્રે, ડોક્ટરોએ આહાનાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. દસ દિવસ પછી, આહાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જોકે, આહાના સતત કમજોર થઇ રહી હતી અને ચાર દિવસ પહેલા તેની હાલત ફરી બગડી. ત્યારપછી, તેના પરિવારે તેને દિલ્હીના AIIMSમાં દાખલ કરી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આહાનાની તબિયતમાં થોડો સુધારો થયો હતો અને તે ચાલી પણ શકતી હતી. જોકે, રવિવારે રાત્રે, આહાનાની હાલત અચાનક બગડી અને તેનું હૃદય બંધ થવાથી મૃત્યુ થયું.

આહાનાના મામા ગુલઝાર ખાન ઉર્ફે ગુડ્ડુએ જણાવ્યું હતું કે, ફાસ્ટ ફૂડ ખાવાથી આંતરડાને નુકસાન થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આશાસ્પદ આહાનાના મૃત્યુથી પરિવાર દુ:ખી થઇ ગયો છે.

ફાસ્ટ ફૂડનો સ્વાદ સારો હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તમારે તેને ખુબ ઓછું ખાવું જોઈએ અને સ્વસ્થ ખોરાકને આદત બનાવવો જોઈએ. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો જંક ફૂડને ખાવાનું ટાળો અને પૌષ્ટિક આહાર લો. આ ઉપરાંત, નિયમિતપણે કસરત કરો, પાણી પીઓ અને રોગથી પોતાને બચાવવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો.

Sambhal-Fast Food Addiction
bhaskar.com

CMO ડૉ. SP સિંહે સમજાવ્યું કે, ફાસ્ટ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આપણા શરીરને સૌથી વધુ નુકસાન થાય છે. આ પ્રકારનું ખાવાનું ફક્ત શરીરનું વજન ઝડપથી વધારતું નથી પરંતુ ઘણા ક્રોનિક રોગોનું જોખમ પણ વધારી શકે છે. ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય પર શારીરિક અને માનસિક અસર જોવા મળે છે.

ડૉક્ટરની સલાહ: જંક ફૂડમાં કેલરી વધુ હોય છે, જે શરીરમાં ચરબી એકઠી કરે છે. વજન વધવાથી ઘણા રોગોનું જોખમ વધે છે. ફાસ્ટ ફૂડમાં ચરબી અને કોલેસ્ટ્રોલ વધુ હોય છે, જે હૃદયની નળીઓને બ્લોક કરી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. વધુ પડતી મીઠાઈઓ અને તળેલા ખોરાક ખાવાથી બ્લડ સુગર વધે છે. શરીરમાં ઇન્સ્યુલિનની અસરકારકતા ઓછી થઈ શકે છે, જેનાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. જંક ફૂડમાં ફાઇબરનો અભાવ હોય છે, જે કબજિયાત, એસિડિટી અને ગેસનું કારણ બને છે. તેનાથી પેટની અન્ય બીમારીઓ પણ થઇ શકે છે. વધુ પડતું જંક ફૂડ ખાવાથી તણાવ અને ચિંતા વધી શકે છે. તે ડિપ્રેશન અને મૂડ સ્વિંગનું કારણ પણ બની શકે છે. તમને કોઈપણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.

જંક ફૂડ તાત્કાલિક ઊર્જા પ્રદાન કરે છે, પરંતુ તે ઝડપથી ક્ષીણ પણ થાય છે. તે શરીરને સુસ્ત બનાવી શકે છે અને તમારી કામ કરવાની ક્ષમતા ઘટાડી શકે છે. વધુ પડતા તળેલા ખોરાક અને મીઠાઈ ખાવાથી ખીલ અને મસા થઈ શકે છે. ત્વચા નિસ્તેજ અને શુષ્ક બની શકે છે. ફાસ્ટ ફૂડ ખાવાના કારણે પોષણ નથી મળતું અને તેના અભાવે શરીરની રોગો સામે લડવાની ક્ષમતાને નબળી પડી શકે છે. ઇન્ફેકશન, શરદી અને ખાંસી જલ્દી થાય છે.

Sambhal-Fast Food Addiction
bhaskar.com

સ્વસ્થ રહેવા માટે આ પ્રકારનું ખાવાનું ટાળો: સમોસા, કચોરી, પકોડા, ફ્રેન્ચ ફ્રાઈસ, વગેરે; પિઝા, બર્ગર, હોટ ડોગ્સ, મોમો, વગેરે; કેક, કૂકીઝ, પેસ્ટ્રી, ચોકલેટ, વગેરે; ચિપ્સ, નમકીન, કુરકુરે, વગેરે; સોડા, એનર્જી ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, વગેરે.

આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડૉ. ફૈક અલીનું કહેવું છે કે, 'દાળ, રોટલી અને શાકભાજી સાથેનો સંબંધ તૂટી ગયો છે, અને આ ઝડપી જીવનમાં, ફાસ્ટ ફૂડ લોકોના આહારનો એક ભાગ બની ગયો છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ફાસ્ટ ફૂડની વધુને વધુ ઇચ્છા કરી રહ્યા છે. પિઝા, બર્ગર, ચાઉમીન અને કોલ્ડ ડ્રિંક્સના સ્વાસ્થ્ય જોખમોથી અજાણ, યુવાનોએ તેમને તેમના રોજિંદા આહારમાં સામેલ કરી દીધા છે. ફાસ્ટ ફૂડના સતત સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ થઈ રહ્યા છે. બાળકોની પસંદગીઓ અને વલણોને કારણે, માતાપિતા પણ તેમને ફાસ્ટ ફૂડ ખાવાથી રોકતા નથી. નિયમિત ફાસ્ટ ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે, અને તેના કારણે કિશોર અવસ્થામાં જ ફેટી લીવર ના ભોગ બની જાય છે. પિઝા, બર્ગર અને ચાઉમીન બધા મેંદાના લોટથી બનાવવામાં આવે છે, જે આંતરડાને નુકસાન પહોંચાડે છે. વારંવાર ખાવાથી લીવરને નુકસાન થવાના ઘણા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. ગલી મોહલ્લામાં લારી પર વેચાતા ફાસ્ટ ફૂડમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત તેલ અને મસાલાનો અભાવ હોય છે.'

Sambhal-Fast Food Addiction
news4nation.com

ફાસ્ટ ફૂડના નિયમિત સેવનથી આ પ્રકારના રોગો થવાની શક્યતા રહેલી છે: લીવર સબંધિત રોગ, સ્થૂળતા, ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ અને હાયપરટેન્શન.

તમારા આહારમાંથી આવું ખાવાનું હટાવી દો: ગલી મોહલ્લામાં લારી પર મળતા પિઝા, ચાઉમીન અને બર્ગર ટાળો; વધુ પડતા મસાલા અને મરચાંથી બનેલા ખોરાક ટાળો; મેંદાના લોટથી બનેલા ખોરાકનો વપરાશ મર્યાદિત કરો; સોફ્ટ ડ્રિંક્સનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તમારા આહારમાં આ પ્રકારનું ખાવાનું શરુ કરો: દાળ, શાકભાજી, રોટલી અને ભાતનો સમાવેશ કરો; ઘરે બનાવેલા ફાસ્ટ ફૂડને પ્રાધાન્ય આપો; તમારા લંચ અને નાસ્તામાં સલાડનો સમાવેશ કરો.

વરિષ્ઠ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. રાજીવ ગુપ્તા કહે છે કે, વધુ પડતા ફાસ્ટ ફૂડે લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડ્યું છે. બાળકો અને યુવાનોમાં ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનને કારણે, નાની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લીવરના કેસ વધી રહ્યા છે. જો કોઈ ભોજનને બદલે ફાસ્ટ ફૂડ લે છે, તો તે સમય જતાં જીવલેણ બની શકે છે. આનાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, અલ્સર અને સિરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે વધુને વધુ જટિલ બનતી જાય છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.