બેરોજગાર જમાઈને સસરાએ ભણાવીને પોલીસ બનાવ્યો,પણ પરિવાર છોડી બીજી સ્ત્રી પાછળ પાગલ

બિહારના ભાગલપુરમાં મક્કારીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બેરોજગાર જમાઈને સસરાએ પોતાના ખર્ચે ભણાવીને પોતાના પગ પર ઉભો રહે તે માટે સક્ષમ બનાવ્યો, તે જમાઈ પોતાની પત્ની અને બાળકોને છોડીને એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ થઈ ગયો. વાસ્તવમાં ભાગલપુરના નાથનગર વિસ્તારમાં જૂની સરાયની રહેવાસી ચંદ્રકલા દેવીના લગ્ન વર્ષ 2013માં કંપનીબાગના ગોપાલ કુમાર મંડલ સાથે થયા હતા. ગોપાલ મંડલની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે ચંદ્રકલા દેવી સાથે તેના સાસરે જ રહેવા લાગ્યો. આ દરમિયાન સસરા રાધારમણ મંડલે પોતાના જમાઈ ગોપાલ મંડલને પોતાના પૈસાથી ભણાવ્યો ગણાવ્યો, અને એ લાયક બનાવ્યો કે તે પોતાના પગ પર ઉભો રહી શકે. ત્યાર પછી તેણે જમાઈ ગોપાલ મંડલને બિહાર પોલીસમાં નોકરી અપાવી.

નોકરી મળતાં જ ગોપાલ મંડલે તેની પત્નીને છોડીને સાસરે આવવા જવાનું બંધ કરી દીધું હતું અને બીજા લગ્ન કરવાની ધમકી આપવા લાગ્યો હતો. ચંદ્રકલા દેવીના કહેવા પ્રમાણે, લગ્નના થોડા વર્ષો સુધી તો બધું બરાબર ચાલતું હતું, પરંતુ આ દરમિયાન ભાગલપુરના ભટૌડિયામાં રહેતી બે બાળકોની માતા વીણા દેવી સાથે ગોપાલ મંડલનું પ્રેમસંબંધ ચાલવા લાગ્યું, જેના માટે ગામમાં પંચાયત પણ બોલાવવામાં આવી હતી. આ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ગોપાલ મંડલે તેની પત્ની ચંદ્રકલા દેવી સાથે રહેવાની વાત કરી હતી, પરંતુ ડ્યુટી પર જવાનું બહાનું કરીને ગોપાલ મંડલે તેની પ્રેમિકા વીણા દેવીને ગુપ્ત રીતે મળતો રહ્યો.

જ્યારે પણ ચંદ્રકલા દેવી આનો વિરોધ કરતી ત્યારે ગોપાલ મંડલ તેની સાથે મારપીટ કરતો હતો. હવે ગોપાલ મંડલ તેની પત્ની ચંદ્રકલાને છોડીને તેની પ્રેમિકા વીણા દેવી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે, જે બાળકની માતા છે. ત્યાર પછી ચંદ્રકલા ભાગલપુર પોલીસ કેપ્ટન આનંદ કુમાર પાસે ન્યાય મેળવવા માટે અરજી કરવા પહોંચી હતી. બીજી તરફ ભાગલપુરના SSP આનંદ કુમારે કહ્યું કે, મામલો સામે આવ્યો છે. ચંદ્રકલા દેવીની અરજી મળી છે અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પીડિતાને વકીલ મારફત કોર્ટને જાણ કરવા કહેવામાં આવ્યું છે. અમે પણ આ મામલાની અમારી રીતે તપાસ કરીશું. અહીં તમને જણાવી દઈએ કે, ચંદ્રકલા દેવીને પાંચ વર્ષની પુત્રી છે. પતિ ગોપાલ મંડલ હાલમાં ઔરંગાબાદની પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.