પૂર્વ મુખ્યમંત્રી અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, જાણો શું છે આરોપ

આંધ્ર પ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી લેવામાં આવી છે. CIDએ તેલેગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. વોરંટ જાહેર થયાના થોડા જ સમય બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. જે સમયે તેમની ધરપકડ કરી એ સમયે ચંદ્રબાબુ નંદયાલામાં બસમાં રોકાયા હતા. બસથી ઉતર્યા બાદ પોલીસે તેમની સાથે વાતચીત કરી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી.

કૌશલ વિકાસ કૌભાંડના કેસમાં SIT અને CID અધિકારીઓએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. ચંદ્રબાબુએ સવાલ કર્યો કે, જ્યારે કૌશલ કૌભાંડ સાથે જોડાયેલા કોઈ પુરાવા વિના કેસની તપાસ કોર્ટમાં ચાલી રહી છે તો તેમની કેવી રીતે ધરપકડ કરવામાં આવશે. વકીલોએ કેસના કાગળો આપવા અને FIR કોપી દેખાડવા કહ્યું કે, પરંતુ પોલીસે કહ્યું કે, તેઓ રિમાન્ડ રિપોર્ટ નહીં આપી શકે. ચંદ્રબાબુની ધરપકડ દરમિયાન ખૂબ ડ્રામા થયા. તેમની તબિયત ખરાબ થવાનો દાવો કરવામાં આવ્યો. ધરપકડ બાદ CID તેમની તપાસ માટે હૉસ્પિટલ લઈ ગઈ.

આંધ્ર પ્રદેશના મંત્રીઓ અને સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના નેતાઓએ દાવો કર્યો હતો કે, TDPના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 118 કરોડ રૂપિયાની લાંચ લીધી. એ સિવાય તેમના ઉપર 350 કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે. ચંદ્રબાબુ નાયડુએ બે દિવસ અગાઉ જ કહ્યું હતું કે, તેમણે કસ્ટડીમાં લઈ શકાય છે. હાઇ બ્લડ પ્રેશર અને સુગરની જાણકારી મળ્યા બાદ CID ચંદ્રબાબુ નાયડુને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે. ચંદ્રબાબુ નાયડુના વકીલે કહ્યું કે, અમે જામીન માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છીએ.

વકીલોએ FIRમાં ચંદ્રબાબુ નાયડુનું નામ હોવા પર સવાલ ઉઠાવ્યા. ચંદ્રબાબુએ પોલીસને સવાલ કર્યો કે, FIRમાં નામ બતાવ્યા વિના તેમની ધરપકડ કેવી રીતે કરી શકે છે. પોલીસે કહ્યું કે, ધરપકડ કરવા અગાઉ એ દસ્તાવેજ આપવા પડશે. ચંદ્રબાબુએ કહ્યું કે, સામાન્ય વ્યક્તિને પણ એ પૂછવાનો અધિકાર છે કે તેની શા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, તેમણે ડી.કે. બસુના કેસ મુજબ કાર્યવાહી કરી છે. તેઓ 24 કલાકની અંદર ધરપકડના કારણો સાથે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી દેશે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, પોલીસ સમજ્યા વિના કામ કરી રહી છે. તે ચંદ્રબાબુની ધરપકડ કરીને વિજયવાડા લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. ચંદ્રબાબુ કૌશલ વિકાસ કૌભાંડમાં આરોપી છે. ચંદ્રબાબુ નંદયાલાની યાત્રાએ હતા. તેઓ આર.કે.ના સમારોહ હોલમાં રોકાયા હતા. DIG રઘુરામી રેડ્ડી અને જિલ્લા SP રઘુવીરા રેડ્ડી અન્ય પોલીસ અધિકારીઓ સાથે રાત્રે એ જગ્યા પર ગયા, જ્યાં તેઓ રોકાયા હતા. અંતે TDP નેતાઓને કસ્ટડીમાં  લેવામાં આવ્યા અને ત્યાંથી લઈ જવામાં આવ્યા.

શનિવારે સવારે 05:00 વાગ્યા બાદ પોલીસ એ ગાડી સુધી પહોંચી જ્યાં ચંદ્રબાબુ રોકાયા હતા. ગાડીની આસપાસ ઉપસ્થિત TDP નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ કરવામાં આવલા લોકોમાં ભૂમા બ્રહ્માનંદ રેડ્ડી, ભૂમા અખિલપ્રિયા, જગત વિખ્યાત રેડ્ડી, એ.વી. સુબાર રેડ્ડી, બી.સી. જનાર્દન રેડ્ડી અને અન્ય સ્થાનિક TDP નેતા સામેલ હતા. સમારોહ હૉલ પાસે ઉપસ્થિત TDP નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે ત્યાંથી હટાવી દીધા.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.