અનિલ વીજનો CM પર પ્રહાર; કહ્યું- 'નાયબ CM બન્યા ત્યારથી હેલિકોપ્ટરમાં રહે છે...'

હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે ફરી એકવાર સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે CM નાયબ સિંહ સૈની પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, લોકોએ મને ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આટલા દિવસો પછી પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અનિલ વિજે કહ્યું કે ચૂંટણી દરમિયાન તેમના પર હુમલો થયો હતો. તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલા મને શંકા હતી કે આની પાછળ કોઈ મોટા નેતા છે. પરંતુ હવે એવો વિશ્વાસ છે કે, આ ષડયંત્ર પાછળ કોઈ મોટા નેતાનો જ હાથ છે. મેં આ અંગે હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી, પરંતુ 100 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વિજે કહ્યું કે આ બધા પાછળ કોઈ મોટા નેતાનો હાથ છે અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઈ તે સાબિત કરે છે કે, ચૂંટણી દરમિયાન તેમની સાથે બનેલી ઘટનાઓ પાછળ કોઈ મોટા નેતાનો જ હાથ છે.

CM સૈની પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જ્યારથી નાયબ સૈની CM બન્યા છે, ત્યારથી તેઓ હેલિકોપ્ટરમાં જ રહે છે. જો તમે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરશો, તો તમે લોકોની સમસ્યાઓ અને વેદનાઓ સાંભળશો.

અનિલ વિજે અગાઉ પણ કહ્યું હતું કે, અંબાલાના લોકોએ મને 7 વખત ધારાસભ્ય બનાવ્યો છે. જો તેમના કામ માટે કોઈ આંદોલન કરવાની જરૂર પડે તો પણ તે તેવું કરશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, જો તેમને ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની જેમ આમરણાંત ઉપવાસ પર જવું પડે તો પણ તેઓ તે કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે અનિલ વિજ પોતાની સરકારથી નારાજ થયા હોય, આ પહેલા અનિલ વિજ આખા હરિયાણામાં જાહેર દરબાર યોજતા હતા. BJPના બીજા કાર્યકાળમાં, તેમણે ગૃહ અને આરોગ્ય મંત્રાલય સંભાળ્યું; રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના લોકો અંબાલામાં વિજના જનતા દરબારમાં જતા અને તેમની સમસ્યાઓ રજૂ કરતા. જ્યારે મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સૈનીને CM બનાવવામાં આવ્યા, ત્યારે અનિલ વિજ ગુસ્સે થયા. તેમને આશા હતી કે પાર્ટી CM પદ માટે તેમનું નામ પસંદ કરશે, પરંતુ એવું થયું નહીં.

અનિલ વિજને ફરીથી નાયબ સૈની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ આ વખતે તેમણે રાજ્યભરમાં જાહેર દરબાર યોજવાનું બંધ કરી દીધું અને પોતાને તેમના વિધાનસભા મતવિસ્તાર અંબાલા કેન્ટ સુધી મર્યાદિત કરી દીધા. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અનિલ વિજ અંબાલા કેન્ટની બહાર પ્રચાર કરવા ગયા ન હતા.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.