આરિફે સારસને મેગી ખાવાની લગાવી હતી લત,હવે તેને અપાઈ રહી છે પક્ષી બનવાની ટ્રેનિંગ

ઉત્તર પ્રદેશના અમેઠીના મોહમ્મદ આરિફ અને જંગલી સારસની મિત્રતાને કોઈ ભૂલી નથી શક્યું. આ માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થનારું એક કન્ટેન્ટ નથી. આવનારા સમયમાં આ અનોખી મિત્રતાની ચર્ચા થશે, તેના પર સ્ટોરીઓ પણ લખાશે. સારસને વન વિભાગવાળા લઈ ગયા હતા અને હાલ તે કાનપુર ઝૂમાં છે. માણસો સાથે રહેતા સારસ માણસોની આદતો શીખવા માંડ્યું હતું. તેનું ખાનપાન પણ માણસો જેવુ થઈ ચુક્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાનપુર ઝૂના નિર્દેશક કૃષ્ણા કુમાર સિંહે સારસની આદતો વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી. કૃષ્ણા કુમાર સિંહે જણાવ્યું કે, સારસને મેગી ખાવાની આદત પડી ગઈ હતી, તે માત્ર દાળ-ભાત અને મેગી જ ખાતું હતું.

કાનપુર ઝૂ પ્રશાસન હવે સારસને ફરીથી પક્ષી બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સારસને સુપરવર્મની સાથે ધાન, દાળ, પાલક વગેરે ખવડાવવામાં આવી રહ્યું છે. સારસને માણસના હાથથી પણ ખાવાની આદત પડી ગઈ હતી. ધીમે-ધીમે તેની આદત બદલાઈ રહી છે અને હવે તે જમીન પર પડેલી વસ્તુઓને ચાંચમાં ઉઠાવીને ખાઈ રહ્યું છે.

ઝૂમાં એક મોટા વાડામાં સારસને એકલું જ રાખવામાં આવ્યું છે. CCTV કેમેરા દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કૃષ્ણા કુમાર સિંહે એ પણ જણાવ્યું કે, કદાચ આ સારસ જન્મતાની સાથે જ માણસોની આસપાસ જ રહ્યું છે. જ્યારે પણ તે કોઈ વ્યક્તિ, જેમ કે ઝૂના કોઈ સફાઈકર્મીને પણ જુએ છે તો ઉછળવા માંડે છે.

ઓગસ્ટ, 2022માં આરિફને ઇજાગ્રસ્ત હાલતમાં એક સારસ ખેતરમાં મળ્યું હતું. તે સારસને ઘરે લાવ્યો, તેની સારવાર કરી, તેને ખવડાવ્યું. સાજા થયા બાદ સ્વભાવની વિપરીત આ સારસ ઉડીને જંગલમાં ના ગયું તેનાથી ઉલટ આરિફની સાથે જ રહેવા માંડ્યું. 21 માર્ચે ઉત્તર પ્રદેશ વન વિભાગના લોકો સારસને પોતાની સાથે લઇ ગયા અને તેને સમસપુર પક્ષી વિહારમાં રાખ્યું. ત્યારબાદ સારસના ત્યાંથી ગાયબ થવાના પણ સમાચાર આવ્યા હતા. સારસને કેટલાક ગામના લોકોએ શોધ્યું. વન વિભાગે પછી સારસને કાનપુર ઝુમાં શિફ્ટ કરી દીધુ. વન વિભાગે આરિફ પર વન્યજીવ સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કરાવ્યો હતો અને નોટિસ પણ મોકલી હતી.

એપ્રિલ 2023માં સારસને મળવા આરિફ કાનપુર ઝુ પહોંચ્યો. આરિફને જોતા જ સારસ પોતાની પાંખો ફફડાવવા માંડ્યું. આ બંનેની મિત્રતા દરેક માટે એક મિસાલ બની ચુકી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.