નવી બાઇક વારંવાર ખરાબ થતા યુવકે શોરૂમની સામે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી

બિકાનેરમાં એક બાઇક શોરૂમની સામે એક યુવકે પોતાની નવી બાઇકને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. એમાં થયું એવું કે, આ યુવકે 6 મહિના પહેલા જ ખાજુવાલામાં સ્થિત હીરો કંપનીના શોરૂમમાંથી બાઇકની ખરીદી કરી હતી. જે વારંવાર બગડતી જતી હતી. તેનાથી પરેશાન યુવક સોમવારે સવારે બાઇક લઇને શોરૂમની સામે પહોંચ્યો હતો. પછી તે ગાડીને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ઘટનાની નજીક એક સરકારી હોસ્પિટલ પણ છે. આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોમાં  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ક્રિષ્ના હીરોઝ શોરૂમના ડાયરેક્ટર શુભકરણ ગેહલોતે કહ્યું, મહાવીરના પુત્ર શિવશંકરે પાછલાં મહિનાઓ દરમિયાન તેમની પાસેથી એક બાઇક ખરીદી હતી. એક દિવસ પહેલા જ તેણે બાઇકમાં ખરાબી હોવાની ફરિયાદ કરી હતી. તેને સોમવારે બાઇક શોરૂમ પર લઇ આવવા જણાવ્યું હતું. સવારે 10 વાગે તે બાઇક લઈને આવ્યો ત્યારે તેની સાથે અન્ય ત્રણ-ચાર છોકરાઓ પણ હતા. શોરૂમની અંદર બે લોકો હતા. બે બહાર હતા. દરમિયાન એકે બાઇક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે આજુબાજુની બાઇકો પણ બળી શકતી હતી, પરંતુ કોઈક રીતે તેને દૂર કરવામાં આવી હતી. મહાવીરની બાઇકમાં પેટ્રોલ ભરેલું હતું, જે તરત જ આગની લપેટમાં આવી ગયું હતું. થોડી જ વારમાં બાઇક બળીને રાખ થઇ ગયું હતું.

તપાસ કરતા જાણવા મળ્યું કે, મહાવીરે 27 ઓક્ટોબર 2022ના રોજ ખાજુવાલાની ક્રિષ્ના હીરો એજન્સી પાસેથી એક્સ્ટ્રીમ 160 બાઇક ખરીદી હતી. તેની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા છે. બાઇકના એન્જિનમાં વારંવાર સમસ્યા આવી રહી હતી. જેના કારણે ગાડીનો માલિક મહાવીર પરેશાન થઇ ગયો હતો. તેણે અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ શોરૂમ સંચાલકનું કહેવું છે કે ભૂતકાળમાં કોઈ ફરિયાદ મળી નથી.

બાઇક સળગાવવામાં મહાવીરનો મિત્ર મનજીત પણ તેની સાથે આવ્યો હતો. મનજીતે પણ બાઇક સળગાવી દીધી હતી. બાઇક માલિક મહાવીર પોતે મનજીતની દુકાન પર વેલ્ડીંગનું કામ કરે છે. પોલીસ હવે બંને સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

સરકારી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)એ સ્થળની નજીક જ છે, જ્યાં બાઇકમાં આગ લગાવવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાં એક લેબ પણ છે. જ્યાં વિવિધ પ્રકારના રસાયણો રહે છે. આવી સ્થિતિમાં આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો હોસ્પિટલની બહાર આવી ગયા.

બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાઇકને આગ લગાવ્યા બાદ મહાવીર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તેને પકડવા માટે દરોડા પણ ચાલુ છે. બીજી તરફ શોરૂમ સંચાલક પણ પોલીસ મથકે પહોંચી ગયો છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.