USAમાં ગેરકાયદેસર રીતે જનારા 97000 ભારતીયો કસ્ટડીમાં, આ 2 રાજ્યોના સૌથી વધુ

લગભગ 97 હજાર ભારતીયોએ જાનમાલની હાનિ હોવા છતાં ખતરનાક રસ્તાઓથી અમેરિકામાં પ્રવેશ કરવાની કોશિશ કરી. જેમાં 700થી વધારે તો બાળકો છે. ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે એટલે કે 1 વર્ષમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા સમયે રેકોર્ડ 96,917 ભારતીયો પકડાયા હતા. આ ખુલાસો અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓથી થયો છે. જેમાંથી 30,010ને કેનેડા તરફથી અમેરિકામાં ઈલલીગલ પ્રવેશ પછી પકડવામાં આવ્યા.

5 વર્ષમાં પાંચ ગણા આંકડા વધ્યા

એક વર્ષમાં લગભગ 97 હજાર ભારતીયો અમેરિકામાં ગેર કાયદેસર રીતે પ્રવેશના મામલામાં પકડાયા. અમેરિકામાં આ રીતે પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પાછલા પાંચ વર્ષમાં આ આંકડો 5 ગણો વધ્યો છે. 2019-20માં 19,883 ભારતીયો ગેરકાયદેસર પ્રવેશના મામલામાં પકડાયા હતા. જે હવે વધીને 96,917 પર પહોંચી ગયો. એક મીડિયા રિપોર્ટમાં પોલીસ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે આ આંકડો હજુ મોટો હોઇ શકે છે. કારણ કે બોર્ડર પર ગેરકાયદેસર રીતે પ્રવેશના મામલામાં જો એક વ્યક્તિ પકડાઇ છે તો 10 અન્ય કોઇ રીતે પ્રવેશ કરી લે છે.

ગુજરાત અને પંજાબના લોકો કરી રહ્યા છે કોશિશ

પોલીસ અધિકારી અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકો ગુજરાત અને પંજાબના છે. જે અમેરિકામાં રહેવા માગે છે. જેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેમને 4 કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સિંગલ્સ, એકલા બાળકો, પરિવારની સાથે બાળકો અને આખી ફેમિલી. જેટલા લોકોને પકડવામાં આવ્યા છે, તેમાંથી 730 તો બાળકો જ છે. તો 84000 એકલા જ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

સ્થાનીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર વર્ષે ઘણાં ભારતીય ગેરકાયદેસર પ્રવેશ કરવાની કોશિશમાં પકડાઇ જાય છે. પણ માત્ર અમુકોને જ નિર્વાસિત કરવામાં આવે છે. કારણ કે તેઓ માનવીય આધારનો હવાલો આપીને ત્યાં શરણ લેવા માગે છે. 

જણાવીએ કે, ટ્રાવેલ એજન્ટ અને સ્મગલર્સ ગેરકાયદેસર રીતે અમેરિકા જઇ રહેલા ભારતીયોનો ફાયદો સૌથી વધારે ઉઠાવે છે. તેઓ બોર્ડર પાર કરાવવા માટે ગેરકાયદેસરના પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલે છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.