પત્નીને પેટમાં દુખતું હતું ડૉક્ટર પતિ બોલ્યો હું ઈન્જેક્શન આપી દઉં સારું થઈ જશે પણ...

કર્ણાટકના બેંગ્લોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીની હત્યા કરવાના આરોપમાં એક સર્જન ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મૃતક પણ એક ડૉક્ટર હતી. એવો આરોપ છે કે પતિએ તેની પત્નીની સારવારના બહાને વારંવાર એનેસ્થેસિયા આપતો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.

આરોપ છે કે, ડૉક્ટરે આ વર્ષે એપ્રિલમાં તેની પત્નીની હત્યા હતી, પરંતુ પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. મૃતકના પિતાએ તેમના જમાઈ પર તેમની પુત્રીની હત્યાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડૉ. કૃતિકાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ હૉસ્પિટલ બનાવવા માટે કૃતિકા પાસેથી પૈસા લાવવા માટેની માગ કરી હતી. જોકે, કૃતિકાના પિતા તે રકમ આપી શક્યા નહોતા. ફરિયાદ બાદ પોલીસે મૃતકના વિસરાને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યો, જ્યાં વિસરાના નમૂનામાં એનેસ્થેસિયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ, પોલીસે વિક્ટોરિયા હોસ્પિટલથી આરોપી ડૉક્ટરની ધરપકડ કરી. આરોપી ડૉક્ટર વિક્ટોરિયા હોસ્પિટલમાં સર્જિકલ રેસિડેન્ટ તરીકે તૈનાત છે.

Doctor1
bhaskar.com

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ડૉ. મહેન્દ્ર રેડ્ડી જીએસ (31 વર્ષ)એ માર્ચ 2024માં ડૉ. કૃતિકા રેડ્ડી (28) સાથે લગ્ન કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક તપાસમાં વિસરા રિપોર્ટમાં પ્રોપોફોલની હાજરીની પુષ્ટિ થઈ હતી. આ દવાનો ઉપયોગ બેહોશીના ઇન્જેક્શનમાં દર્દીઓને ઓપરેશન અથવા પ્રક્રિયાઓ માટે બેભાન કરવા માટે થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડૉ. મહેન્દ્ર રેડ્ડી અને તેમની પત્ની ડૉ. કૃતિકા બેંગ્લોરના વ્હાઇટફિલ્ડના મુન્નેકોલ્લાલ વિસ્તારમાં રહેતા હતા. 24 એપ્રિલના રોજ ડૉ. કૃતિકાની તબિયત બગડી અને તે બેહોશ થઈ ગઈ હતી. ડૉ. મહેન્દ્ર તેની પત્નીને કાવેરી હૉસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે જણાવ્યું હતું કે ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ તેમની પત્નીનું ઓટોપ્સી કરાવવાનો ઇનકાર કર્યો હતો અને આ બાબતે હોસ્પિટલના ડૉક્ટરો સાથે બહેસ પણ કરી હતી.

Doctor2
hindustantimes.com

જો કે, આપત્તિ છતા ઓટોપ્સી કરવામાં આવી હતી. પોલીસે આરોપી ડૉક્ટરના ઘરેથી પુરાવા પણ એકત્રિત કર્યા હતા. મંગળવારે, પોલીસને ઓટોપ્સી રિપોર્ટ મળ્યો, ત્યારબાદ અપ્રકૃતિક કારણોસર મોતના કેસને હત્યામાં બદલી દેવામાં આવ્યો હતો અને આરોપી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી. પોલીસ પૂછપરછ દરમિયાન ડૉક્ટરે જણાવ્યું હતું કે તેની પત્નીને પેટ સંબંધિત સમસ્યા હતી અને તેણે તેની સારવાર માટે એનેસ્થેસિયાનો ઉપયોગ કર્યો હતો. જોકે, એનેસ્થેસિયાના ઓવરડોઝ આપવાની વાત પર કઈ સ્પષ્ટ જવાબ આપી શક્યો નહોતો. ત્યારબાદ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.