મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, CBI ચાર્જશીટમાં પહેલીવાર આવ્યું નામ

દારૂ નીતિ ઘોટાળા મામલામાં CBI એ મંગળવારે રોઉજ એવન્યૂ કોર્ટમાં પૂરક આરોપ પત્ર દાખલ કર્યો, જેમા પહેલીવાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આરોપ પત્રમાં બુચી બાબુ, અમનદીપ સિંહ ઢલ અને અર્જુન પાંડે વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ પર ધ્યાન આપવા માટે કોર્ટે 12 મેની સવારે સાડા 10 વાગ્યોનો સમય નક્કી કર્યો છે.

CBI દારૂ નીતિમાં થયેલી કથિત અનિયમિતતાને લઈને તપાસ કરી રહી છે, તેને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી CM સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ED પણ આબકારી નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ મામલાને લઇને સિસોદિયાની પૂછપરછ કરતા દાવો કરી રહી છે કે, આબકારી નીતિમાં થયેલા ભ્રષ્ટાચારમાં સિસોદિયા જ મુખ્ય ષડયંત્ર રચનાર છે. આરોપ છે કે, દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂ કારોબારીઓને લાયસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો. જેમણે કથિતરીતે તેના માટે લાંચ પણ આપી હતી. આ નીતિ  બાદમાં રદ્દ કરી દેવામાં આવી હતી.

આ પહેલા, 17 એપ્રિલે રાષ્ટ્રીય રાજધાનીની એક વિશેષ કોર્ટે કથિત આબકારી ઘોટાળામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) અને પ્રવર્તન નિદેશાલય (ED) તરફથી દાખલ ક્રમશઃ ભ્રષ્ટાચાર અને ધનશોધન મામલાઓમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી અવધિ વધારી દીધી હતી. બંને મામલાઓમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની અવધિ સમાપ્ત થવા પર તેમને વિશેષ જજ એમ. કે. નાગપાલ સમક્ષ હાજર કરવામાં આવ્યા. ત્યારબાદ કોર્ટે CBI મામલામાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 27 એપ્રિલ સુધી અને ED મામલામાં 29 એપ્રિલ સુધી વધારી દીધી હતી.

વિશેષ કોર્ટે ભ્રષ્ટાચારના મામલામાં મનીષ સિસોદિયાની જામીન અરજી 31 માર્ચે એવુ કહીને રદ્દ કરી દીધી હતી કે પૂર્વ ઉપમુખ્યમંત્રી આશરે 90થી 100 કરોડ રૂપિયાની કથિત દલાલીની અગ્રિમ ચૂકવણીના આપરાધિક ષડયંત્રના પ્રથમ દ્રષ્ટા શિલ્પકાર હતા. કોર્ટે કહ્યું હતું કે, એવા સમયમાં વરિષ્ઠ આપ નેતાને છોડવાના મામલામાં ચાલી રહેલી તપાસ ખરાબરીતે પ્રભાવિત થશે.

ઉપરાજ્યપાલ અને દિલ્હીના CMને સોંપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલની મંજૂરી વિના દારૂ નીતિમાં બદલાવ કર્યો. સરકારે કોરોના મહામારીના નામ પર 144.36 કરોડ રૂપિયાની ટેન્ડર લાયસન્સ ફી માફ કરી દીધી. આરોપ છે કે, તેનાથી દારૂના વ્યવસાયીઓને ફાયદો થયો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેનાથી મળેલા કમિશનનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કર્યો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.