3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું 3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી

બિહારની રાજધાની પટનામાં 3 દિવસ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે જે.પી. ગંગા પથ (જે.પી. સેતુ)નું ઉદ્ધઘાટન કર્યું હતું, પરંતુ 3 દિવસોની અંદર જ આ પુલમાં મોટી-મોટી દરારો નજરે પડી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બ્રિજ પર આવેલી દરારો સ્પષ્ટ નજરે પડી રહી છે. પટનાના જે.પી. ગંગા પથને 3831 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. 3 દિવસ અગાઉ જ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ દરારો દીદારગંજ પાસે પુલના પિલર નંબર A-3 પાસે નજરે પડી રહી છે. આ દરારો બ્રિજની બંને લેનમાં નજરે પડી રહી છે.

1501399919nitish-kumar

9 એપ્રિલના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનાના કંગન ઘાટના દીદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર બિહારના બંને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, પથ નિર્માણ મંત્રી નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારી અને જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ લોકાર્પણ બાદ જ્યારે બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ થઈ તો આ માર્ગ પર વાહનોનો દબાવ પડવાનો શરૂ થયો, જેથી રસ્તા પર દરારો પડી ગઈ.

નિષ્ણાતો અને સામાન્ય લોકોનું મંતવ્ય છે કે આ દરારો એક સંકેત છે કે ક્યાંક ને ક્યાંક નિર્માણની ગુણવતા સાથે સમજૂતી કરવામાં આવી છે, એવામાં હવે સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કર્યું, જેના કારણે તેમાં દરારો આવી ગઈ. ભારે તોફાન અને વરસાદ વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ઉદ્ધઘાટન કાર્યક્રમમાં પહોંચવું અને એજ પુલ પર દરારો આવી જવી, એ બતાવે છે કે ઉદ્ઘાટન અગાઉ ટેક્નિકલ પરીક્ષણ અને સેફ્ટીની તપાસ પૂરી રીતે કરવામાં આવી નહોતી.

Bridge
firstbihar.com

સવાલ એ ઊભા થાય છે કે, શું બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ તપાસ કર્યા વિના ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કરી દીધું? બિહારના લોકોને ચૂંટણીની ભેટ આપવાની ઉતાવળમાં, સરકાર ક્યાંક લોકોની જિંદગી સાથે તો નથી રમી રહી ને? એવી શું ઉતાવળ હતી કે ભારે તોફાન અને વરસાદ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર પુલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા? ચૂંટણી ભેટ આપવામાં ઉતાવળ બિહારની જનતા પર ક્યાંક ભારે ન પડી જાય.

તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલી ઘટના નથી, જ્યારે બિહારમાં કોઈ મોટા પુલ કે રોડ પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો હોય. આ અગાઉ પણ ઘણી વખત નિર્માણાધીન પુલો પડવા, રસ્તા ધસી પડવા અને સમય અગાઉ રસ્તાઓના તૂટવા-ફૂટવાના સમાચારો આવતા રહે છે.  તેનાથી સરકારી તંત્રની જવાબદારી અને દેખરેખ પ્રણાલી પર સવાલ ઉભા થાય છે.

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.