બાળાસાહેબે મહેનતથી તૈયાર કરેલો રાજકીય મંચ તૂટી ગયો છે; હવે રૂ. 74000 કરોડના બજેટવાળી BMC માટે ઠાકરે બંધુઓ શું કરશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને રાજકીય સંઘર્ષ તીવ્ર બન્યો છે. આશરે રૂ. 74000 કરોડના જંગી બજેટવાળી BMC, જે એક સમયે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાનો રાજકીય મંચ બનાવીને તૈયાર કર્યું હતું, તે હવે ઠાકરે પરિવારની પકડમાંથી સરકી રહ્યું હોય તેવું લાગે છે. BJPએ મુંબઈમાં પોતાની પકડ મજબૂત કરી છે, જેના કારણે આગામી BMC ચૂંટણીઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે.

Uddhav Thackeray-Raj Thackeray
jagran.com

BMC લાંબા સમયથી અવિભાજિત શિવસેનાનો ગઢ રહ્યો છે. બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં, દાયકાઓ સુધી શિવસેનાએ મુંબઈમાં સત્તા પર પ્રભુત્વ જમાવી રાખ્યું. જોકે, 2022 પછી, શિવસેનાનું વિભાજન થયું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) નબળી પડી ગઈ. આ વાત વિધાનસભા અને નાગરિક ચૂંટણીઓમાં જોવા મળ્યું હતું, જ્યાં પક્ષનું પ્રદર્શન સતત ઘટતું રહ્યું છે. અહીં તમને બતાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે તાજેતરની નાગરિક ચૂંટણીઓમાં પણ પોતાના પક્ષને બરાબર જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં 288 મ્યુનિસિપલ સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને શિવસેના (UBT) ફક્ત 8 જીતી શકી હતી. આ સ્થિતિ પાર્ટી માટે એક મોટો ઝટકો છે, કારણ કે, BMC ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે. બીજી બાજુ, BJPએ સંગઠનાત્મક તાકાત અને આક્રમક રણનીતિ દ્વારા મુંબઈમાં પોતાની પકડ મજબૂત કરી છે. BJPનો દાવો છે કે BMCના વિશાળ બજેટનો ઉપયોગ વધુ સારા શહેરી શાસન અને પારદર્શિતા માટે કરવામાં આવશે. આ જ કારણ છે કે પાર્ટી આ ચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ માની રહી છે.

Uddhav Thackeray-Raj Thackeray
navbharatlive.com

આ દરમિયાન, ઠાકરે ભાઈઓ વચ્ચે રાજકીય જોડાણ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે મુંબઈમાં મરાઠી મતોના વિભાજનને રોકવા માટે BMC ચૂંટણીમાં એકબીજાની નજીક આવી શકે છે. જોકે, બેઠક વહેંચણી અને રણનીતિ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો હજુ સુધી 12 વોર્ડ પર કોઈ સમજૂતી પર પહોંચ્યા નથી. ખાસ કરીને સાયન, વરલી, ભાંડુપ, વિક્રોલી અને શિવડી જેવા મુખ્ય વિસ્તારોમાં. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તણાવ ચાલુ છે, અને તેઓ બંને પોતપોતાના દાવાઓથી પાછળ હટવા તૈયાર નથી.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે, બંને પક્ષોએ પક્ષના કાર્યકરોની લાગણીઓને સમજવાની અને પછી એક સામાન્ય રસ્તો શોધવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, બેઠકોની વહેંચણી અંગેની બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, અને ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે. બંને પક્ષો વચ્ચે વાટાઘાટો સફળ રહી છે, ખાસ કરીને પુણે, નાસિક અને મીરા ભાઈંદરમાં.

Uddhav Thackeray-Raj Thackeray
amarujala.com

રાઉતે કહ્યું કે, ઠાકરે ભાઈઓનું જોડાણ હવે નક્કી થઇ ગયું છે, અને ફક્ત તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મહા વિકાસ આઘાડીનું જોડાણ હજુ તૂટ્યું નથી, જોકે કોંગ્રેસ સાથેની વાતચીત બંધ થઈ ગઈ છે. તેમના મતે, રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વ્યૂહરચના કરતાં અલગ વ્યૂહરચનાઓની જરૂર પડે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, BMC ચૂંટણીઓ ફક્ત મ્યુનિસિપલ સત્તા વિશે નથી, પરંતુ તે બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસા અને ઠાકરે પરિવારના ભવિષ્યને પણ નક્કી કરશે. જો BMC પણ ઠાકરે છાવણીના હાથમાંથી સરકી જાય છે, તો તે ઉદ્ધવ ઠાકરે માટે એક મોટો રાજકીય ફટકો હશે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.