બાળાસાહેબે મહેનતથી તૈયાર કરેલો રાજકીય મંચ તૂટી ગયો છે; હવે રૂ. 74000 કરોડના બજેટવાળી BMC માટે ઠાકરે બંધુઓ શું કરશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને રાજકીય સંઘર્ષ તીવ્ર બન્યો છે. આશરે રૂ. 74000 કરોડના જંગી બજેટવાળી BMC, જે એક સમયે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાનો રાજકીય મંચ બનાવીને તૈયાર કર્યું હતું, તે હવે ઠાકરે પરિવારની પકડમાંથી સરકી રહ્યું હોય તેવું લાગે છે. BJPએ મુંબઈમાં પોતાની પકડ મજબૂત કરી છે, જેના કારણે આગામી BMC ચૂંટણીઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે.

Uddhav Thackeray-Raj Thackeray
jagran.com

BMC લાંબા સમયથી અવિભાજિત શિવસેનાનો ગઢ રહ્યો છે. બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં, દાયકાઓ સુધી શિવસેનાએ મુંબઈમાં સત્તા પર પ્રભુત્વ જમાવી રાખ્યું. જોકે, 2022 પછી, શિવસેનાનું વિભાજન થયું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) નબળી પડી ગઈ. આ વાત વિધાનસભા અને નાગરિક ચૂંટણીઓમાં જોવા મળ્યું હતું, જ્યાં પક્ષનું પ્રદર્શન સતત ઘટતું રહ્યું છે. અહીં તમને બતાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે તાજેતરની નાગરિક ચૂંટણીઓમાં પણ પોતાના પક્ષને બરાબર જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં 288 મ્યુનિસિપલ સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને શિવસેના (UBT) ફક્ત 8 જીતી શકી હતી. આ સ્થિતિ પાર્ટી માટે એક મોટો ઝટકો છે, કારણ કે, BMC ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે. બીજી બાજુ, BJPએ સંગઠનાત્મક તાકાત અને આક્રમક રણનીતિ દ્વારા મુંબઈમાં પોતાની પકડ મજબૂત કરી છે. BJPનો દાવો છે કે BMCના વિશાળ બજેટનો ઉપયોગ વધુ સારા શહેરી શાસન અને પારદર્શિતા માટે કરવામાં આવશે. આ જ કારણ છે કે પાર્ટી આ ચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ માની રહી છે.

Uddhav Thackeray-Raj Thackeray
navbharatlive.com

આ દરમિયાન, ઠાકરે ભાઈઓ વચ્ચે રાજકીય જોડાણ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે મુંબઈમાં મરાઠી મતોના વિભાજનને રોકવા માટે BMC ચૂંટણીમાં એકબીજાની નજીક આવી શકે છે. જોકે, બેઠક વહેંચણી અને રણનીતિ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો હજુ સુધી 12 વોર્ડ પર કોઈ સમજૂતી પર પહોંચ્યા નથી. ખાસ કરીને સાયન, વરલી, ભાંડુપ, વિક્રોલી અને શિવડી જેવા મુખ્ય વિસ્તારોમાં. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તણાવ ચાલુ છે, અને તેઓ બંને પોતપોતાના દાવાઓથી પાછળ હટવા તૈયાર નથી.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે, બંને પક્ષોએ પક્ષના કાર્યકરોની લાગણીઓને સમજવાની અને પછી એક સામાન્ય રસ્તો શોધવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, બેઠકોની વહેંચણી અંગેની બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, અને ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે. બંને પક્ષો વચ્ચે વાટાઘાટો સફળ રહી છે, ખાસ કરીને પુણે, નાસિક અને મીરા ભાઈંદરમાં.

Uddhav Thackeray-Raj Thackeray
amarujala.com

રાઉતે કહ્યું કે, ઠાકરે ભાઈઓનું જોડાણ હવે નક્કી થઇ ગયું છે, અને ફક્ત તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મહા વિકાસ આઘાડીનું જોડાણ હજુ તૂટ્યું નથી, જોકે કોંગ્રેસ સાથેની વાતચીત બંધ થઈ ગઈ છે. તેમના મતે, રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વ્યૂહરચના કરતાં અલગ વ્યૂહરચનાઓની જરૂર પડે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, BMC ચૂંટણીઓ ફક્ત મ્યુનિસિપલ સત્તા વિશે નથી, પરંતુ તે બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસા અને ઠાકરે પરિવારના ભવિષ્યને પણ નક્કી કરશે. જો BMC પણ ઠાકરે છાવણીના હાથમાંથી સરકી જાય છે, તો તે ઉદ્ધવ ઠાકરે માટે એક મોટો રાજકીય ફટકો હશે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.