BJP સાંસદ અરુણ ગોવિલે DMને ફોન પર કહ્યું, 'આ મહિલા પોતાને ભૂત બતાવી રહી છે, તેને પાછી જીવિત કરો...'

હાપુર તહસીલના ધનૌરા ગામની રહેવાસી કુસુમ ત્યાગી સમાધાન દિવસ પર સાંસદ અરુણ ગોવિલને મળી અને તેમને પોતાને જીવિત સાબિત કરવા વિનંતી કરી. જાન્યુઆરી 2022માં, હાપુર સમાજ કલ્યાણ વિભાગે દસ્તાવેજીકરણ ભૂલને કારણે કાગળ પર કુસુમ ત્યાગીને મૃત જાહેર કરી અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના આંટા ફેરા કરતી મહિલાની દુર્દશા સાંભળીને, સાંસદે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પાંડેને ફોન કર્યો. સાંસદે જિલ્લા મેજિસ્ટ્રેટને ટોણો મારતા કહ્યું, 'તમારા વિસ્તારની એક વૃદ્ધ મહિલા પોતે 'ભૂત' હોવાનો દાવો કરી રહી છે, તેને કાગળ પર પાછી જીવતી કરો.'

Arun Govil
newstrack.com

કુસુમ ત્યાગીનો આરોપ છે કે, તે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શિવકુમાર અને અન્ય અધિકારીઓની ઓફિસમાં આંટા ફેરા લગાવી રહી છે, પરંતુ તેની અરજીઓ સાંભળવામાં આવી નથી. તે દરેક સમાધાન દિવસ પર પોતાનું પેન્શન ફરીથી શરુ કરાવવાની વિનંતી સાથે હાજરી આપે છે.

શનિવારે, જ્યારે સાંસદ અરુણ ગોવિલ ધાબળા વિતરણ કરવા માટે મ્યુનિસિપલ હોલ ગયા, ત્યારે કુસુમે તેમને પોતાની દુઃખદ વાત જણાવી. સાંસદે આ મામલાની ગંભીરતાને સમજીને જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક બેદરકારી સુધારવાનો નિર્દેશ આપ્યો.

Arun Govil
amarujala.com

સાંસદની કડક સૂચનાઓને અનુસરીને, જિલ્લા મેજિસ્ટ્રેટે કુસુમના પરિવાર સાથે ફોન પર વાત કરી અને ગ્રામ પંચાયત સચિવને મામલો ઉકેલવાનો આદેશ આપ્યો. જોકે, કુસુમ ત્યાગી કહે છે કે, TV પર ભગવાન રામનો અભિનય કરનારા સાંસદની વિનંતીઓ અને DMના આદેશો છતાં, હજુ સુધી કોઈ અધિકારી તેના ઘરે આવ્યા નથી. તેને ડર છે કે અધિકારીઓની લાપરવાહી ફરી એકવાર તેની આશાઓ પર પાણી ફેરવી શકે છે. પીડિતા હજુ પણ તેના પેન્શનના ફરી શરુ થવા માટે કાગળકામ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે.

Arun Govil
amarujala.com

જ્યારે આ બાબતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શિવકુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે કેમેરા સામે કઈપણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમણે માત્ર ધીમા અવાજે કહ્યું કે, આ મામલો તેમના ધ્યાન પર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી કે, તે મહિલાને ટૂંક સમયમાં જ કાગળ પર જીવતી જાહેર કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે, એક જીવતી મહિલાને 'મૃત' બનાવનારી સિસ્ટમ, કાગળ પર તેનો 'શ્વાસ' પાછો આપવા માટે કેટલો સમય લેશે?

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અમરેલી 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું...
Gujarat 
ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

‘કહેવાય છે ને પ્રેમ તો આંધળો હોય છે, ગમે તેની સાથે ગમે ત્યારે થઈ શકે છે’, પરંતુ...
Gujarat 
વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ...
Gujarat 
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર...
National 
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.