BJP સાંસદ અરુણ ગોવિલે DMને ફોન પર કહ્યું, 'આ મહિલા પોતાને ભૂત બતાવી રહી છે, તેને પાછી જીવિત કરો...'

હાપુર તહસીલના ધનૌરા ગામની રહેવાસી કુસુમ ત્યાગી સમાધાન દિવસ પર સાંસદ અરુણ ગોવિલને મળી અને તેમને પોતાને જીવિત સાબિત કરવા વિનંતી કરી. જાન્યુઆરી 2022માં, હાપુર સમાજ કલ્યાણ વિભાગે દસ્તાવેજીકરણ ભૂલને કારણે કાગળ પર કુસુમ ત્યાગીને મૃત જાહેર કરી અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના આંટા ફેરા કરતી મહિલાની દુર્દશા સાંભળીને, સાંસદે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પાંડેને ફોન કર્યો. સાંસદે જિલ્લા મેજિસ્ટ્રેટને ટોણો મારતા કહ્યું, 'તમારા વિસ્તારની એક વૃદ્ધ મહિલા પોતે 'ભૂત' હોવાનો દાવો કરી રહી છે, તેને કાગળ પર પાછી જીવતી કરો.'

Arun Govil
newstrack.com

કુસુમ ત્યાગીનો આરોપ છે કે, તે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શિવકુમાર અને અન્ય અધિકારીઓની ઓફિસમાં આંટા ફેરા લગાવી રહી છે, પરંતુ તેની અરજીઓ સાંભળવામાં આવી નથી. તે દરેક સમાધાન દિવસ પર પોતાનું પેન્શન ફરીથી શરુ કરાવવાની વિનંતી સાથે હાજરી આપે છે.

શનિવારે, જ્યારે સાંસદ અરુણ ગોવિલ ધાબળા વિતરણ કરવા માટે મ્યુનિસિપલ હોલ ગયા, ત્યારે કુસુમે તેમને પોતાની દુઃખદ વાત જણાવી. સાંસદે આ મામલાની ગંભીરતાને સમજીને જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક બેદરકારી સુધારવાનો નિર્દેશ આપ્યો.

Arun Govil
amarujala.com

સાંસદની કડક સૂચનાઓને અનુસરીને, જિલ્લા મેજિસ્ટ્રેટે કુસુમના પરિવાર સાથે ફોન પર વાત કરી અને ગ્રામ પંચાયત સચિવને મામલો ઉકેલવાનો આદેશ આપ્યો. જોકે, કુસુમ ત્યાગી કહે છે કે, TV પર ભગવાન રામનો અભિનય કરનારા સાંસદની વિનંતીઓ અને DMના આદેશો છતાં, હજુ સુધી કોઈ અધિકારી તેના ઘરે આવ્યા નથી. તેને ડર છે કે અધિકારીઓની લાપરવાહી ફરી એકવાર તેની આશાઓ પર પાણી ફેરવી શકે છે. પીડિતા હજુ પણ તેના પેન્શનના ફરી શરુ થવા માટે કાગળકામ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે.

Arun Govil
amarujala.com

જ્યારે આ બાબતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શિવકુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે કેમેરા સામે કઈપણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમણે માત્ર ધીમા અવાજે કહ્યું કે, આ મામલો તેમના ધ્યાન પર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી કે, તે મહિલાને ટૂંક સમયમાં જ કાગળ પર જીવતી જાહેર કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે, એક જીવતી મહિલાને 'મૃત' બનાવનારી સિસ્ટમ, કાગળ પર તેનો 'શ્વાસ' પાછો આપવા માટે કેટલો સમય લેશે?

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.