બહેનપણીના મજાકથી રડી પડ્યા જીજાજી, ગુસ્સે થઈને દુલ્હને લીધો આ નિર્ણય

બિહારના સારણથી લગ્ન તૂટવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. કોપાના પતીલાના રહેવાસી મોતીલાલના પુત્ર પ્રશાંતની જાન ખૂબ જ ધામધૂમથી નીકળી હતી. કન્યા પક્ષે જાનૈયાઓનું સ્વાગત જોરદાર અંદાજમાં કર્યું હતું. ચારે તરફ ખુશીઓનો માહોલ હતો અને ધીરે ધીરે લગ્નના રીત-રિવાજો ચાલી રહ્યા હતા. વરમાળાની રીત બાદ દુલ્હન અને તેની સખીઓને લાગ્યું કે વરરાજો મંદબુદ્ધિ છે. આ દરમિયાન જેમ જેમ લગ્નના રીત-રિવાજો થતા જઈ રહ્યા હતા, સખીઓની વરરાજા પર શંકા વધુ ગાઢ થતી જઈ રહી હતી.

શંકાને સાચી સાબિત કરવા માટે દુલ્હનની સખીઓએ વરરજાને સવાલ કરવાની શરૂઆત કરી દીધા. તેના પર વરરજો પ્રશાંત ગભરાઈ ગયો અને મંડપમાં બધા સામે રડવા લાગ્યો. વરરાજાને આ પ્રકારે રડતો જોઈને દુલ્હન ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હને સ્પષ્ટ કરી દીધું કે, વરરાજા માનસિક રૂપે સારી નથી એટલે તે કોઈ પણ સ્થિતિમાં તેની સાથે લગ્ન નહીં કરે. છોકરીની આ જાહેરાત બાદ ખુશીઓવાળો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો.

વર અને કન્યા પક્ષ વચ્ચે તીખી બહેસ થવા લાગી અને આખો માહોલ તણાવપૂર્ણ થઈ ગયો. છોકરીના આ નિર્ણયના સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. પછી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળ પર ભેગા થવા લાગ્યા. આ દરમિયાન દુલ્હનને ગામના મોટા વૃદ્ધોએ સમજાવી છતા તે ન માની અને તેણે લગ્ન તોડી દીધા. ત્યારબાદ કન્યાના પિતાએ દહેજમાં આપેલો સામાન પાછો આપવા માટે કહ્યું અને વાત બગડી ગઈ. સમાચાર સાંભળીને મુખિયા પતિ કમલેશ પ્રસાદ, સરપંચના પતિ મોન્ટુ રાય, સોનાલાલ શાહ, રૂસ્તમ, જિતેન્દ્ર ગોસ્વામી.

વર પક્ષ તરફથી મુખિયા મિથલેશ સિંહ વગેરેએ સમજાવવાનો પ્રયાસ કર્યો. દુલ્હનને પૂછવા પર દુલ્હન લગ્ન ન કરવાના પોતાના નિર્ણય પર જ અડગ રહી. ગામના બુદ્ધિજીવીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ વચ્ચે બહાવ કરીને માહોલ શાંત કરાવ્યો. દુલ્હન વિના જ વરરાજાએ પાછા જતું રહેવું પડ્યું. ગામમાં છોકરીના આ નિર્ણયને લઈને જાત જાતની વાતો થઈ રહી છે. કોઈ આ નિર્ણયને સાચો ઠેરવી રહ્યું છે, તો કોઈ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય કહી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.