જયપુરમાં શાળાની મુલાકાતે જતા CJP પર હુમલો, CJPએ 2 માંગ કરી દીધી, પૂરી ન થઈ તો રાજસ્થાનમાં આંદોલન થશે

જયપુરમાં CJP (કોકરોચ જનતા પાર્ટી)ના પ્રવક્તા આશુતોષ રાંકા અને તેમના સાથીઓ પર હુમલો થયો છે. શુક્રવારે સવારે આશરે 10 વાગ્યે રાંકા પોતાની ટીમ સાથે બગરુ સ્થિત સરકારી પ્રાથમિક શાળા રામપુરા કંવરપુરાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તે સમયે ગ્રામજનોએ તેમને માર મારીને ત્યાંથી ભગાવી મૂક્યા હતા. તેમની ગાડીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જ્યારે ટીમમાં સામેલ મહિલા સમર્થકો પર ગામની મહિલાઓએ ધૂળ ફેંકી હતી.

આશુતોષ રાંકાએ ભાજપના કાર્યકરો પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ હુમલામાં વાહનોના કાચ અને મોબાઈલ ફોન તોડી નાખવામાં આવ્યા છે, એક મહિલા સાથે મારપીટ થઈ છે અને તેમનું શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની ટીમના એક સભ્યનો હાથ પણ ફ્રેક્ચર થયો છે.

05

રાંકાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, આજે સમગ્ર દેશમાં ભાજપની ગુંડાટોળીનું આ કૃત્ય લાઈવ જોયું છે. આ બધું જ શિક્ષણ મંત્રી મદન દિલાવરના કહેવાથી થયું છે. અમે 48 કલાકનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. હુમલાખોરોની તુરંત ધરપકડ કરવામાં આવે અને શાળા નિરીક્ષણ રોકવાનો આદેશ પાછો ખેંચવામાં આવે. જો આ માંગણીઓ પૂરી નહીં થાય, તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલન કરીશું અને મદન દિલાવરના રાજીનામાની માંગ કરીશું.

આ ઘટના પહેલા સવારે 8 વાગ્યાની આસપાસ CJPના કેટલાક કાર્યકરો સાથે ગ્રામજનોની ઝપાઝપી થઈ હતી અને ગ્રામજનોએ તેમને ગામ બહાર હાંકી કાઢ્યા હતા. CJPનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો સરકારી શાળાની બહાર ધરણા પર બેસી ગયા હતા. તેમણે ગામના મુખ્ય રસ્તા પર ટ્રેક્ટર-ટ્રોલી ઊભી રાખીને ઘેરાબંધી કરી દીધી હતી અને આવતા-જતા તમામ વાહનોની તપાસ શરૂ કરી દીધી હતી.

રામપુરા ગામની સરકારી શાળાનું મકાન અત્યંત જર્જરિત થઈ ગયું હોવાથી તેને બાળકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. છત પર લોખંડના એંગલ લગાવવામાં આવ્યા છે. શાળાને 50 મીટર દૂર આવેલા એક વાડામાં શિફ્ટ કરવામાં આવી છે, જ્યાં બાળકો પતરાના શેડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર છે. બાળકો જ્યાં ભણે છે તેની બિલકુલ બાજુમાં પશુઓનો ચારો ભરેલો છે અને દીવાલોની ઈંટો પણ ખરી પડી છે.

04

બીજી તરફ, ગ્રામજનો અને ભાજપના કાર્યકરોનું કહેવું છે, અમે આ શાળાને અમારા સ્તરે જ સુધારી લઈશું. સરકારે ₹12.50 લાખ મંજૂર પણ કરી દીધા છે. અમે કોઈપણ બહારની વ્યક્તિને અહીં આવવા દઈશું નહીં. કોકરોચ અહીં આવીને ગંદકી ફેલાવવા માગે છે, જે અમે કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ.

ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે પર પણ 15 જૂન 2026ના રોજ જયપુરમાં હુમલો થયો હતો. અભિજીત નીટ (NEET) પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને યુવાનો સંબંધિત મુદ્દાઓ પર આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા, જ્યાં કેટલાક યુવકોએ તેમને થાપડ મારી દીધી હતી. ત્યારબાદ CJP કાર્યકરોએ તેમને પકડીને માર માર્યો હતો.

CJPએ પોતાના 'X' હેન્ડલ પર લખ્યું, શાળાઓની સ્થિતિ સુધારવાની માંગણી પર અમારી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. રાજસ્થાન પોલીસ આવી ગુંડાટોળીઓને પરવાનગી કેવી રીતે આપી રહી છે? ભાજપના ગુંડાઓ ખુલ્લેઆમ ગુંડાગીરી કરી રહ્યા છે અને રાજસ્થાન પોલીસ તેને નજરઅંદાજ કરી રહી છે. તેનું પરિણામ સૌની સામે છે. રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી.

આશુતોષ રાંકાએ વધુમાં ઉમેર્યું, આજે સમગ્ર દેશે ભાજપની આ બર્બરતા લાઈવ જોઈ છે. પોલીસને આ અંગે પહેલેથી જ જાણ હતી. ત્યાં પહેલાથી જ પથ્થરમારો થઈ રહ્યો હતો, છતાં પોલીસે હાથ ઊંચા કરી દીધા. પોલીસે કહ્યું કે અમે કંઈ નહીં કરીએ, આ તમારો અંગત મામલો છે.

03

તેમણે કહ્યું, આ બધું મદન દિલાવરના કહેવાથી થયું છે. અમારા સ્વયંસેવકોના હાથ ભાંગી નાખવામાં આવ્યા છે, ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા છે અને પથ્થરમારો કરાયો છે. અમારી મહિલાઓ પર વૃદ્ધોએ પથ્થર માર્યા છે અને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે. તેમના ફોન તોડી નખાતા આ આખું કૃત્ય પૂર્વઆયોજિત હતું. અમે 48 કલાકનો સમય આપી રહ્યા છીએ, આ તમામ હુમલાખોરોની અરેસ્ટ થવી જોઈએ અને આદેશ પાછો ખેંચવો જોઈએ. નહીંતર આ આંદોલન હવે માત્ર શિક્ષણ સુધી સીમિત ન રહેતા મદન દિલાવર વિરુદ્ધ ઉગ્ર બનશે. અમે તમારી આવી ધમકીઓથી ડરવાના નથી.

પોતાનો રોષ ઠાલવતા તેમણે કહ્યું, તમને શરમ આવવી જોઈએ, ભેંસોના તબેલામાં શાળા ચાલી રહી છે! એક વર્ષ પહેલા પણ હું આ શાળામાં આવ્યો હતો, ત્યારે પણ શાળા ભેંસોના તબેલામાં જ ચાલતી હતી અને આજે પણ એ જ સ્થિતિ છે. અમે શાળાની સ્થિતિ સુધારવા માંગીએ છીએ, પણ તમે જે પ્રકારની ગુંડાગીરી કરી છે તે શરમજનક છે. ભાજપના ગુંડાઓ ત્યાં હાજર હતા અને પથ્થરમારો થયો, આ બધું જાણવા છતાં રાજસ્થાન પોલીસનો એક પણ જવાન ત્યાં હાજર નહોતો. મારું શર્ટ ફાડી નાખવામાં આવ્યું છે, મહિલાઓ સાથે ભદ્દો વ્યવહાર થયો છે અને પુરુષો તથા ભાજપના ગુંડાઓએ તેમને પીટી છે. આજે રાજસ્થાનના લોકશાહી માટે એક કાળો દિવસ છે.

 

About The Author

Related Posts

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.