રાજ્યોના અધિકારોના રક્ષણ માટે CM સ્ટાલિને જસ્ટિસ કુરિયન જોસેફની અધ્યક્ષતામાં કરી સમિતિની રચના

તમિલનાડુ વિધાનસભામાં એક જોરદાર ભાષણમાં, CM MK સ્ટાલિને રાજ્યના અધિકારોના રક્ષણ માટે એક સમિતિની રચના કરી. મંગળવારે, CM NK સ્ટાલિને રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવા અને ભારતના સંઘીય માળખાને સંતુલિત કરવા માટેના પગલાંની સમીક્ષા કરવા અને ભલામણ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી. તેમણે કેન્દ્ર સરકાર પર રાજ્યોની બંધારણીય સત્તાઓનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.

CM MK સ્ટાલિને કહ્યું, 'રાજ્યોના યોગ્ય અધિકારોનું રક્ષણ કરવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંબંધો વધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કુરિયન જોસેફ આ પેનલનું નેતૃત્વ કરશે, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અશોક વર્ધન શેટ્ટી અને અર્થશાસ્ત્રી M નાગનાથનનો પણ સમાવેશ થાય છે. અગાઉની DMK સરકારના કાર્યકાળ દરમિયાન અશોક શેટ્ટી CM MK સ્ટાલિન સાથે સંકળાયેલા હતા, જ્યારે નાગનાથન એક શિક્ષણવિદ છે જેમણે રાજ્ય આયોજન બોર્ડમાં હોદ્દા સંભાળ્યા હતા. તેઓ DMK સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે અને CMના પિતા, સ્વર્ગસ્થ કરુણાનિધિ સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા.

CM MK Stalin
jantaserishta.com

DMKના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર અને BJP શાસિત કેન્દ્ર સરકાર વચ્ચે ખાસ કરીને શિક્ષણ નીતિ, કરવેરા, રાજકોષીય ટ્રાન્સફર અને સંસ્થાકીય સ્વાયત્તતાના મુદ્દાઓ પર વધતા જતા તણાવ વચ્ચે સમિતિની રચના કરવામાં આવી છે. CM MK સ્ટાલિને પોતાના ભાષણમાં કહ્યું, 'એક માતા જ સારી રીતે જાણી શકે છે કે, તેણે તેના ભૂખ્યા બાળકને શું ખાવાનું આપવાનું છે, પરંતુ જો દિલ્હીનો કોઈ વ્યક્તિ નક્કી કરે કે બાળકે શું ખાવું જોઈએ, તેણે શું શીખવું જોઈએ અને કયો માર્ગ અપનાવવો જોઈએ, તો શું માતાની કરુણા અને માતૃત્વની લાગણી બળવામાં નહીં બદલાઈ જાય?'

CM MK સ્ટાલિને એસેમ્બલીને સંઘવાદની હિમાયતમાં તેની ઐતિહાસિક ભૂમિકાની યાદ અપાવી. તેમણે કહ્યું, 'રાજ્યની સ્વાયત્તતા પરની દરેક ચર્ચામાં, પહેલો અવાજ હંમેશા તમિલનાડુમાંથી આવે છે.' જો કે, રાજ્યએ વસ્તી નિયંત્રણના પગલાં સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હોવાથી, આગામી સીમાંકન તેની બેઠકોની સંખ્યા ઘટાડી શકે છે, જેને CM MK સ્ટાલિને સફળતા માટે સજા ગણાવી હતી. તેમણે ગૃહને જણાવ્યું કે, 'પ્રસ્તાવિત સીમાંકન તમિલનાડુના પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર ઘટાડો થવાનું ગંભીર જોખમ ઊભું કરે છે, જાણે કે આ સિદ્ધિ માટે સજા કરવામાં આવી હોય.'

CM MK Stalin
etvbharat.com

તમિલનાડુના CM MK સ્ટાલિને કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્યો બંને બંધારણ દ્વારા બનાવવામાં આવ્યા છે. બંને પોતપોતાની સત્તાઓ બંધારણમાંથી જ મેળવે છે. કોઈ પણ પોતાના ક્ષેત્રમાં બીજાનું આધીન નથી. ભારતને વિકાસના માર્ગ પર લઈ જવાની જવાબદારી મુખ્યત્વે રાજ્યોના ખભા પર છે, પરંતુ આને અમલમાં મૂકવા માટે જરૂરી સત્તાઓ રાજ્યો પાસેથી છીનવી લેવામાં આવી છે અને કેન્દ્ર સરકારના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી છે.'

US સ્થાપક જેમ્સ મેડિસનનો ઉલ્લેખ કરીને, CM MK સ્ટાલિને કહ્યું, 'યુદ્ધ અને ભયના સમયમાં સંઘીય સરકારના કાર્યો સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે, જ્યારે રાજ્ય સરકારોના કાર્યો શાંતિ અને સુરક્ષાના સમયમાં સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે.'

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.