રાજ્યોના અધિકારોના રક્ષણ માટે CM સ્ટાલિને જસ્ટિસ કુરિયન જોસેફની અધ્યક્ષતામાં કરી સમિતિની રચના

તમિલનાડુ વિધાનસભામાં એક જોરદાર ભાષણમાં, CM MK સ્ટાલિને રાજ્યના અધિકારોના રક્ષણ માટે એક સમિતિની રચના કરી. મંગળવારે, CM NK સ્ટાલિને રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવા અને ભારતના સંઘીય માળખાને સંતુલિત કરવા માટેના પગલાંની સમીક્ષા કરવા અને ભલામણ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી. તેમણે કેન્દ્ર સરકાર પર રાજ્યોની બંધારણીય સત્તાઓનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.

CM MK સ્ટાલિને કહ્યું, 'રાજ્યોના યોગ્ય અધિકારોનું રક્ષણ કરવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંબંધો વધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કુરિયન જોસેફ આ પેનલનું નેતૃત્વ કરશે, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અશોક વર્ધન શેટ્ટી અને અર્થશાસ્ત્રી M નાગનાથનનો પણ સમાવેશ થાય છે. અગાઉની DMK સરકારના કાર્યકાળ દરમિયાન અશોક શેટ્ટી CM MK સ્ટાલિન સાથે સંકળાયેલા હતા, જ્યારે નાગનાથન એક શિક્ષણવિદ છે જેમણે રાજ્ય આયોજન બોર્ડમાં હોદ્દા સંભાળ્યા હતા. તેઓ DMK સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે અને CMના પિતા, સ્વર્ગસ્થ કરુણાનિધિ સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા.

CM MK Stalin
jantaserishta.com

DMKના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર અને BJP શાસિત કેન્દ્ર સરકાર વચ્ચે ખાસ કરીને શિક્ષણ નીતિ, કરવેરા, રાજકોષીય ટ્રાન્સફર અને સંસ્થાકીય સ્વાયત્તતાના મુદ્દાઓ પર વધતા જતા તણાવ વચ્ચે સમિતિની રચના કરવામાં આવી છે. CM MK સ્ટાલિને પોતાના ભાષણમાં કહ્યું, 'એક માતા જ સારી રીતે જાણી શકે છે કે, તેણે તેના ભૂખ્યા બાળકને શું ખાવાનું આપવાનું છે, પરંતુ જો દિલ્હીનો કોઈ વ્યક્તિ નક્કી કરે કે બાળકે શું ખાવું જોઈએ, તેણે શું શીખવું જોઈએ અને કયો માર્ગ અપનાવવો જોઈએ, તો શું માતાની કરુણા અને માતૃત્વની લાગણી બળવામાં નહીં બદલાઈ જાય?'

CM MK સ્ટાલિને એસેમ્બલીને સંઘવાદની હિમાયતમાં તેની ઐતિહાસિક ભૂમિકાની યાદ અપાવી. તેમણે કહ્યું, 'રાજ્યની સ્વાયત્તતા પરની દરેક ચર્ચામાં, પહેલો અવાજ હંમેશા તમિલનાડુમાંથી આવે છે.' જો કે, રાજ્યએ વસ્તી નિયંત્રણના પગલાં સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હોવાથી, આગામી સીમાંકન તેની બેઠકોની સંખ્યા ઘટાડી શકે છે, જેને CM MK સ્ટાલિને સફળતા માટે સજા ગણાવી હતી. તેમણે ગૃહને જણાવ્યું કે, 'પ્રસ્તાવિત સીમાંકન તમિલનાડુના પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર ઘટાડો થવાનું ગંભીર જોખમ ઊભું કરે છે, જાણે કે આ સિદ્ધિ માટે સજા કરવામાં આવી હોય.'

CM MK Stalin
etvbharat.com

તમિલનાડુના CM MK સ્ટાલિને કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્યો બંને બંધારણ દ્વારા બનાવવામાં આવ્યા છે. બંને પોતપોતાની સત્તાઓ બંધારણમાંથી જ મેળવે છે. કોઈ પણ પોતાના ક્ષેત્રમાં બીજાનું આધીન નથી. ભારતને વિકાસના માર્ગ પર લઈ જવાની જવાબદારી મુખ્યત્વે રાજ્યોના ખભા પર છે, પરંતુ આને અમલમાં મૂકવા માટે જરૂરી સત્તાઓ રાજ્યો પાસેથી છીનવી લેવામાં આવી છે અને કેન્દ્ર સરકારના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી છે.'

US સ્થાપક જેમ્સ મેડિસનનો ઉલ્લેખ કરીને, CM MK સ્ટાલિને કહ્યું, 'યુદ્ધ અને ભયના સમયમાં સંઘીય સરકારના કાર્યો સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે, જ્યારે રાજ્ય સરકારોના કાર્યો શાંતિ અને સુરક્ષાના સમયમાં સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે.'

About The Author

Related Posts

Top News

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ...
National 
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મહારાણા મેવાડ ફાઉન્ડેશન 42મા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને યુવા પ્રતિભાઓનું સન્માન

ઉદયપુર (રાજસ્થાન) [ભારત], 17 માર્ચ:  મેવાડની સમૃદ્ધ અને ઐતિહાસિક પરંપરાઓને આગળ ધપાવતા, મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનએ તેના 42મા વાર્ષિક પુરસ્કાર...
Gujarat 
 મહારાણા મેવાડ ફાઉન્ડેશન 42મા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને યુવા પ્રતિભાઓનું સન્માન

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર...
Opinion 
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુનિયા પરેશાન છે. ભારતમાં પણ ગેસ...
Gujarat 
સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.