રાજ્યોના અધિકારોના રક્ષણ માટે CM સ્ટાલિને જસ્ટિસ કુરિયન જોસેફની અધ્યક્ષતામાં કરી સમિતિની રચના

તમિલનાડુ વિધાનસભામાં એક જોરદાર ભાષણમાં, CM MK સ્ટાલિને રાજ્યના અધિકારોના રક્ષણ માટે એક સમિતિની રચના કરી. મંગળવારે, CM NK સ્ટાલિને રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવા અને ભારતના સંઘીય માળખાને સંતુલિત કરવા માટેના પગલાંની સમીક્ષા કરવા અને ભલામણ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી. તેમણે કેન્દ્ર સરકાર પર રાજ્યોની બંધારણીય સત્તાઓનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.

CM MK સ્ટાલિને કહ્યું, 'રાજ્યોના યોગ્ય અધિકારોનું રક્ષણ કરવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંબંધો વધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કુરિયન જોસેફ આ પેનલનું નેતૃત્વ કરશે, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અશોક વર્ધન શેટ્ટી અને અર્થશાસ્ત્રી M નાગનાથનનો પણ સમાવેશ થાય છે. અગાઉની DMK સરકારના કાર્યકાળ દરમિયાન અશોક શેટ્ટી CM MK સ્ટાલિન સાથે સંકળાયેલા હતા, જ્યારે નાગનાથન એક શિક્ષણવિદ છે જેમણે રાજ્ય આયોજન બોર્ડમાં હોદ્દા સંભાળ્યા હતા. તેઓ DMK સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે અને CMના પિતા, સ્વર્ગસ્થ કરુણાનિધિ સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા.

CM MK Stalin
jantaserishta.com

DMKના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર અને BJP શાસિત કેન્દ્ર સરકાર વચ્ચે ખાસ કરીને શિક્ષણ નીતિ, કરવેરા, રાજકોષીય ટ્રાન્સફર અને સંસ્થાકીય સ્વાયત્તતાના મુદ્દાઓ પર વધતા જતા તણાવ વચ્ચે સમિતિની રચના કરવામાં આવી છે. CM MK સ્ટાલિને પોતાના ભાષણમાં કહ્યું, 'એક માતા જ સારી રીતે જાણી શકે છે કે, તેણે તેના ભૂખ્યા બાળકને શું ખાવાનું આપવાનું છે, પરંતુ જો દિલ્હીનો કોઈ વ્યક્તિ નક્કી કરે કે બાળકે શું ખાવું જોઈએ, તેણે શું શીખવું જોઈએ અને કયો માર્ગ અપનાવવો જોઈએ, તો શું માતાની કરુણા અને માતૃત્વની લાગણી બળવામાં નહીં બદલાઈ જાય?'

CM MK સ્ટાલિને એસેમ્બલીને સંઘવાદની હિમાયતમાં તેની ઐતિહાસિક ભૂમિકાની યાદ અપાવી. તેમણે કહ્યું, 'રાજ્યની સ્વાયત્તતા પરની દરેક ચર્ચામાં, પહેલો અવાજ હંમેશા તમિલનાડુમાંથી આવે છે.' જો કે, રાજ્યએ વસ્તી નિયંત્રણના પગલાં સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હોવાથી, આગામી સીમાંકન તેની બેઠકોની સંખ્યા ઘટાડી શકે છે, જેને CM MK સ્ટાલિને સફળતા માટે સજા ગણાવી હતી. તેમણે ગૃહને જણાવ્યું કે, 'પ્રસ્તાવિત સીમાંકન તમિલનાડુના પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર ઘટાડો થવાનું ગંભીર જોખમ ઊભું કરે છે, જાણે કે આ સિદ્ધિ માટે સજા કરવામાં આવી હોય.'

CM MK Stalin
etvbharat.com

તમિલનાડુના CM MK સ્ટાલિને કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્યો બંને બંધારણ દ્વારા બનાવવામાં આવ્યા છે. બંને પોતપોતાની સત્તાઓ બંધારણમાંથી જ મેળવે છે. કોઈ પણ પોતાના ક્ષેત્રમાં બીજાનું આધીન નથી. ભારતને વિકાસના માર્ગ પર લઈ જવાની જવાબદારી મુખ્યત્વે રાજ્યોના ખભા પર છે, પરંતુ આને અમલમાં મૂકવા માટે જરૂરી સત્તાઓ રાજ્યો પાસેથી છીનવી લેવામાં આવી છે અને કેન્દ્ર સરકારના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી છે.'

US સ્થાપક જેમ્સ મેડિસનનો ઉલ્લેખ કરીને, CM MK સ્ટાલિને કહ્યું, 'યુદ્ધ અને ભયના સમયમાં સંઘીય સરકારના કાર્યો સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે, જ્યારે રાજ્ય સરકારોના કાર્યો શાંતિ અને સુરક્ષાના સમયમાં સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ હશે.'

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.