શિંદે સરકારે કર્ણાટકના 865 ગામ મહારાષ્ટ્રમાં સમાવી લેવાનો વિવાદી નિર્ણય કર્યો

કર્ણાટક સાથે સીમા વિવાદને લઇને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કર્ણાટકના 865 ગામો અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને વિધાનસભામાં ઉપસ્થિત બધી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસના સમયથી જ આ વિવાદ ચાલતો આવી રહ્યો છે અને તે જ તેના માટે જવાબદાર છે.

ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મીટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકને કહ્યું હતું કે, બંને રાજ્ય સુપ્રીમ કોર્ટ તરફથી યથાસ્થિતિ બનાવી રાખવાના નિર્ણય પર જ રહે.

જો કે, ત્યારબાદ કર્ણાટક વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો હતો. ત્યારબાદ જ એકનાથ શિંદે સરકાર પર વિપક્ષ નિશાનો સાધી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષની નિંદાથી બચવા માટે જ મહારાષ્ટ્ર સરકારને આ પ્રસ્તાવ લાવવો પડ્યો, જેમાં કર્ણાટકના બેલગાવી જિલ્લાના હિસ્સાના 865 ગામ અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર વિધાનસભામાં સીમા વિવાદને લઇને હોબાળો ચાલી રહ્યો હતો. વિપક્ષી નેતાઓએ ગત દિવસોમાં કર્ણાટકના બેલગાવી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

વિપક્ષના હોબાળા પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં પોતાના લોકોને એકલા નહીં છોડીએ. અમે પોતાની જમીનની એક-એક ઇંચ માટે લડીશું પછી આ બાબતે સુપ્રીમ કોર્ટમાં હોય કે પછી કેન્દ્ર સરકાર પાસે. તેમણે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં રહેતા મરાઠી ભાષી લોકો સાથે અન્યાય નહીં થવા દઇએ અને તેમના હકો માટે લડીશું.

18 વર્ષ પહેલા વર્ષ 2004માં મહારાષ્ટ્ર સરકાર આ સીમા વિવાદને સુપ્રીમ કોર્ટ લઇને ગઇ હતી. મહારાષ્ટ્ર સરકારે 814 ગામો તેને સોંપવાની માગણી કરી હતી. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે સૂચન આપ્યું કે આ બાબતે અરસપરસ વાતચીતથી હલ કરવું જોઇએ. સાથે જ એવું પણ સૂચન કર્યું હતું કે ભાષાના આધાર પર ભાર ન આપવો જોઇએ કેમ કે, તેનાથી પરેશાની હજુ વધી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.