કોંગ્રેસના નિરંજન સિંહા સહિત 250 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રદેશ કાર્યાલયમાં નિરંજન સિંહાના નેતૃત્વમાં કોંગ્રેસ અને JMMના લગભગ 250 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. બાબાધામથી આવેલા પંડિતોએ મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરી. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે નિરંજન કુમાર સિંહાને ભગવો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા. આ દરમિયાન નિરંજન સિંહાએ કહ્યું કે, વર્ષ 2014ની ચૂંટણીમાં હું ભાજપ સાથે જ હતો. આ ભાજપ સાથે મારી બીજી ઇનિંગ છે.

તેમણે કહ્યું કે, આજે હનુમાનજીનો દિવસ છે, એવામાં આ દિવસ ખૂબ પવિત્ર અને ખાસ પણ છે. હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીથી કમળ ખિલવો જોઈએ. તો ઝારખંડની સ્થિતિ કોઇથી છૂપી નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ JMM અને કોંગ્રેસને ઉખેડી ફેકવાની છે. તો આ દરમિયાન ભાજપના સાંસદ દીપક પ્રકાશે કહ્યું કે, એટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ અને JMM પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી અગાઉ ભાજપનો હાથ પકડી રહ્યા છે. એ દર્શાવે છે કે, કાર્યકર્તાઓને પણ સમજમાં આવવા લાગ્યું છે કે આ પાર્ટીઓ ડૂબી રહી છે.

એવામાં વર્ષ 2024ની વિધાનસભાની ચૂંટણીમાં કમળનું ફૂલ ખીલવું નક્કી છે. ઝારખંડની જનતા હેમંત સરકારને ચૂંટણીમાં ઉખેડી ફેકશે. ઉલ્લેખનીય છે કે, નિરંજન કુમાર સિંહા, આ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની કાર્યશૈલી અને ભાજપની નીતિઓથી પ્રભાવિત હતા અને આ કારણે પાર્ટીમાં સામેલ થયા છે. ગત દિવસોમાં દેવઘરમાં ભાજપ કાર્યાલય ભવનના શિલાન્યાસ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી કર્મવીર સિંહ દેવઘર ગયા હતા.

આ દરમિયાન બંધ બારણે રાજ્યના આ બે ઉચ્ચ નેતાઓ સાથે એનકે સિંહની વાતચીત થઈ. આ દરમિયાન મહગામા વિધાનસભા અને ત્યાંની કુર્મી બહુધા વસ્તીના સંબંધમાં નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. ગોડ્ડાના સાંસદ ડૉ. નિશિકાંત દુબેના વિકાસ કરવાની કાર્યશૈલીથી પણ તેઓ ખૂબ પ્રભાવિત છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તે મહગામા વિધાનસભા સીટના કોંગ્રેસના કદાવર દાવેદારોમાં સામેલ હતા. કોંગ્રેસ માટે મોટી સભાઓ વગેરે તેમણે કરી, કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વને પણ બોલાવ્યું હતું, પરંતુ તેમની બનાવેલી પીચ પર કોંગ્રેસે બીજા ઉમેદવારને ટિકિટ આપી દીધી હતી. એટલી મહેનતથી કોંગ્રેસને મહગામામાં મજબૂત કર્યા બાદ પણ પાર્ટીના વલણથી તેઓ કોંગ્રેસથી દૂર જતા રહ્યા અને ત્યારથી જ તેમની ભાજપ સાથે નજીકતા વધવા લાગી.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.