‘બેઠકમાં વિનેશ ફોગાટ પર શું ચર્ચા થઇ? ટી.એસ. સિંહ દેવ બોલ્યા- ‘તેમના નામ પર..’

હરિયાણા વિધાનસભાની ચૂંટણી 2024ને લઇને દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકની આગેવાની કોંગ્રેસના નેતા ટી.એસ. સિંહદેવે કરી હતી અને તેમાં હરિયાણા વિધાનસભા સીટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પૂરી થયા બાદ જ્યારે ટી.એસ. સિંહ દેવને વિનેશ ફોગાટ બાબતે પૂછવામાં આવ્યું તો, તેમણે વધુ કંઇ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે કુશ્તીમાંથી સંન્યાસ લેનાર વિનેશ ફોગાટ કદાચ ચૂંટણી લડી શકે છે, પરંતુ તેને લઇને તસવીર સ્પષ્ટ નથી.

તો બીજી તરફ ટી.એસ. સિંહદેવને પૂછવામાં આવ્યું કે આ બેઠકમાં વિનેશ ફોગાટ પર શું ચર્ચા થઇ? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ બાબતે વિનેશજી બતાવશે કે તે ચૂંટણી લડવા માગે છે કે નહીં. તો જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું કે શું આ બેઠક દરમિયાન વિનેશ ફોગાટના નામ પર કોઇ ચર્ચા થઇ? તેના જવાબમાં ટી.એસ. સિંહ દેવે સ્પષ્ટ કહ્યું કે વિનેશ ફોગાટના નામ પર કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ચૂકી છે અને તે 5 ઓક્ટોબરે થશે.

તમને જણાવી દઇએ કે, વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તી સ્પર્ધાની ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચની સવારે તેનું વજન 100 ગ્રામ વધુ જોવા મળ્યું હતું, ત્યારબાદ તેને પ્રતિયોગિતા બહાર કરી દેવામાં આવી હતી. વિનેશ ફોગાટની આ ત્રીજી ઓલિમ્પિક હતી અને તેમાં તે મેડલની ખૂબ નજીક હતી, પરંતુ નસીબે તેને દગો આપી દીધો અને તે મેડલ મેળવતા ચૂંકી ગઇ. વિનેશ ફોગાટે આ અગાઉ 2 વખત ઓલિમ્પિકમાં હિસ્સો લીધો હતો, પરંતુ મેડલ જીતી શકી નહોતી. પેરિસમાં મેડલ ન જીતી શકવાથી નિરાશ વિનેશ ફોગાટે કુશ્તીમાંથી સંન્યાસ લઇ લીધો હતો.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.