‘વૃક્ષો કાપવા એ હ*ત્યા કરતા પણ મોટો ગુનો', સુપ્રીમ કોર્ટે 454 વૃક્ષો કાપનાર શખ્સને આપી આ સજા

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ મોટો ગુનો છે. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે એક વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. જસ્ટિસ અભય S ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે સંરક્ષિત 'તાજ ટ્રેપેઝિયમ ઝોન'માં 454 વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી.

surat
Khabarchhe.com

આના પર બેન્ચે કહ્યું, 'પર્યાવરણના મામલામાં કોઈ દયા ન હોવી જોઈએ. મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસની હત્યા કરવા કરતા પણ વધુ ઘૃણાસ્પદ છે.' સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, પરવાનગી વિના કાપવામાં આવેલા 454 વૃક્ષોને કારણે જે લીલોછમ વિસ્તાર હતો, તે જ પ્રકારનો લીલોછમ વિસ્તાર ફરીથી બનાવવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગી જશે.

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના રિપોર્ટને સ્વીકાર્યો જેમાં શિવશંકર અગ્રવાલ નામના વ્યક્તિ દ્વારા મથુરા-વૃંદાવનમાં દાલમિયા ફાર્મ્સમાં 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ભલામણ કરવામાં આવી હતી. અગ્રવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ કોર્ટે દંડની રકમ ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો.

Supreme Court
dainikmediaauditor.in

વકીલે કહ્યું કે, અગ્રવાલને બાજુના સ્થળે છોડ વાવવાની મંજૂરી આપવી જોઈએ અને તેમની સામે દાખલ કરાયેલી અવમાનના અરજીનો નિકાલ પાલન પછી જ કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે 2019ના તેના આદેશને પણ પાછો ખેંચી લીધો હતો, જેમાં 'તાજ ટ્રેપેઝિયમ ઝોન'ની અંદર બિન-વન અને ખાનગી જમીનો પર વૃક્ષો કાપવા માટે પરવાનગી મેળવવાની જરૂરિયાત દૂર કરવામાં આવી હતી.

Cutting Trees
dainikmediaauditor.in

જ્યારે, BJPના સાંસદ મુકેશ રાજપૂતે બુધવારે લોકસભામાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશના આદેશ સાથે સંબંધિત મુદ્દો ઉઠાવ્યો અને તેની નિંદા કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'માત્ર છોકરીના ખાનગી અંગને પકડવું અને પાયજામાનું નાડું તોડી નાખવું એ બળાત્કારનો ગુનો નથી.' ઉત્તર પ્રદેશના ફરુખાબાદના લોકસભા સભ્યએ ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને વિનંતી કરી કે આવી ટિપ્પણીઓ બદલ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું, 'અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણીથી દેશના 140 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને મહિલાઓ અસ્વસ્થતા અનુભવી રહી છે. આવા લોકોએ દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ.' રાજપૂતે સરકારને વિનંતી કરી, 'બંધારણના દાયરામાં રહીને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.'

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.