હાલતા-ચાલતા નાની ઉંમરે કેમ આવે છે હાર્ટ ઍટેક?IITના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કારણ

અચાનક આવતા હાર્ટ એટેક વિચારવા માટે મજબૂર કરે છે. નાચતા-ગાતા એકદમ સ્વસ્થ મનુષ્યનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. તાજેતરમાં લગ્નની રાત્રે બંને પતિ-પત્નીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર (IIT કાનપુર) અચાનક હાર્ટ એટેક આવવા પાછળનું કારણ જાણવા માટે સંશોધન કરશે. IIT કાનપુર હુમલાની શક્યતા શોધવા માટે એક ખાસ સિસ્ટમ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે.

જો કે લોકોને હાર્ટ એટેક આવવો સામાન્ય વાત છે, પરંતુ છેલ્લા 1 થી 2 વર્ષમાં જે રીતે આધેડ વયના લોકોમાં હાર્ટ એટેકની સંખ્યા વધી છે, તેમજ આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં લોકો નાચતા ગાતા, રમતા કુદતા હાર્ટ એટેક આવવાના ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા, જેણે લોકોમાં ઘણી ચિંતા વધારી છે. બીજી તરફ, નિષ્ણાતો પણ આવા અચાનક હાર્ટ એટેકનું કારણ સમજી શકતા નથી. તેને જોતા હવે IIT કાનપુરે હાર્ટ એટેક પર રિસર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ સંશોધન માટે ઘણી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓ મદદ કરશે. આ સાથે વિશ્વભરમાંથી હાર્ટ એટેકના કારણો પર અભ્યાસ કરતા લોકોને પણ આમંત્રિત કરવામાં આવશે.

હાર્ટ એટેકની સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લઈને IIT કાનપુરમાં બનેલી ગંગવાલ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી આ હાર્ટ એટેકનું કારણ શોધી કાઢશે અને સાથે જ એવી સિસ્ટમ શોધવાનો પ્રયાસ કરશે જે લોકોને હાર્ટ એટેકથી બચાવી શકે. તેના વિશે જાણી શકો છો. આ માટે ખાસ ECG અને MRIના ડેટાનો અભ્યાસ કર્યા બાદ કાર્ડિયો ઇલેક્ટ્રોફિઝિયોલોજી સિમ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવશે.

IIT કાનપુરની સાથે, SGPGI જેવી અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ આ સંશોધનમાં મદદ કરશે. આ માટે વિશ્વભરમાંથી અનેક ડોક્ટરોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ અથવા સાયન્સની કોઈપણ શાખામાં PHD કર્યું હોય તેમને આ સંશોધનનો ભાગ બનવા માટે 22 જૂન સુધી અરજી કરવાની તક આપવામાં આવી છે. આ અંગે વિચારણા કર્યા બાદ સંશોધન શરૂ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના બહરાઈચ શહેરમાં હનીમૂન પર ગયેલા પતિ (22 વર્ષ) અને પત્ની (20 વર્ષ)નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

થોડા મહિના પહેલા કાનપુરમાં જ મેદાનમાં દોડતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું.

મધ્યપ્રદેશના સાગરમાં જમતી વખતે સિક્યોરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

નાંદેડમાં એક યુવકનું તેના સંબંધીના લગ્નમાં ઉત્સવના માહોલમાં તેલુગુ ગીત પર ડાન્સ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત થયું હતું.

હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી નથી, જે તમને રોજેરોજ વિચારવા માટે મજબૂર કરી રહી છે. એટલા માટે IIT કાનપુરનું આ સંશોધન ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.