રક્ષા મંત્રી રાજનાથ સિંહ સેનામાં જોડાવા માગતા હતા પરંતુ ન જઈ શક્યા, જાણો કારણ

BJPના વરિષ્ઠ નેતા અને દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના અંગત જીવનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે દેશની સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા. પરંતુ લેખિત પરીક્ષા આપ્યા બાદ પણ તેઓ તેમાં જોડાઈ ના શક્યા. તેણે કહ્યું કે હું જ્યાં પણ જાઉં છું, ત્યાં હું એ વાતનું ધ્યાન રાખું છું કે હું સેનાના જવાનોની મુલાકાત કરું.

શુક્રવારે આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાના 57મા માઉન્ટેન ડિવિઝનના સૈનિકોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, 'હું મારા બાળપણથી એક વાર્તા કહેવા માંગુ છું. હું પણ સેનામાં જોડાવા માંગતો હતો અને મેં એકવાર 'શોર્ટ સર્વિસ કમિશન'ની લેખિત પરીક્ષા પણ આપી હતી, પરંતુ મારા પિતાનું અવસાન થવાને કારણે અને અન્ય કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે હું આર્મીમાં જોડાઈ શક્યો નહીં.'

તેણે કહ્યું, 'જો તમે કોઈ બાળકને આર્મી યુનિફોર્મ આપો છો, તો તમે જોશો કે તેનું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. આ યુનિફોર્મમાં કંઈક છે.' આ પ્રસંગે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ તેમની સાથે હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠ દરમિયાન સુરક્ષા દળોએ બતાવેલી બહાદુરીને યાદ કરી. તેમણે કહ્યું, 'જ્યારે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી, ત્યારે કદાચ તમારી પાસે તેની વિસ્તૃત માહિતી ન હશે, પરંતુ હું અને તે સમયના આર્મી ચીફ આપણાં સૈનિકોની હિંમત અને બહાદુરીથી વાકેફ હતા, અમારો દેશ હંમેશા તમારો ઋણી રહેશે.'

રાજનાથ સિંહે કહ્યું, હું જ્યાં પણ જાઉં છું, હું એ વાતનું ધ્યાન રાખું છું કે, હું સેનાના જવાનોને મળું. જ્યારે મારી મણિપુરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મેં (સેના પ્રમુખ) પાંડેજીને કહ્યું કે, હું આસામ રાઈફલ્સ અને 57મા માઉન્ટેન ડિવિઝનના જવાનોને મળવા માંગુ છું.'

તેમણે કહ્યું કે, સેનાના જવાનોને મળીને તેમને ગૌરવની લાગણી થશે. તેમણે કહ્યું, 'ડોક્ટરો, એન્જિનિયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક યા બીજી રીતે રાષ્ટ્ર માટે યોગદાન આપી રહ્યા છે. પરંતુ હું માનું છું કે તમારો વ્યવસાય, એક વ્યવસાય કરતાં સેવા વધુ છે.'

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.