રેલવે ભાડામાં થનારા વધારાથી ચિંતિત થશો નહીં, તેની પાછળ છુપાયેલો છે એક 'મોટો હેતુ'

રેલ્વે ભાડું વધારવા જઈ રહ્યું છે, પરંતુ તેની પાછળનો હેતુ આવક વધારવાનો છે. રેલ્વે મંત્રાલય AC ક્લાસ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના ભાડામાં વધારો કરી શકે છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, નવા દરો 1 જુલાઈથી અમલમાં આવી શકે છે. ભાડા વધારા અંગે ટોચના સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર ટૂંક સમયમાં તેના અંગે સૂચના બહાર પાડી શકે છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, AC ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસા, નોન-AC (મેઇલ/એક્સપ્રેસ) માટે પ્રતિ કિલોમીટર એક પૈસા અને સેકન્ડ ક્લાસ (જનરલ ક્લાસ)માં 500 કિલોમીટરથી વધુ અંતર માટે પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો થઈ શકે છે.

Railway Fare
npg.news

પેસેન્જર કિલોમીટર (PKM)ના પ્રોજેક્શન મુજબ, ભાડા વધારા પછી, નાણાકીય વર્ષ 2025-26ના બાકીના સમયમાં લગભગ 700 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી શકાય છે.

રેલવેના મતે, નાણાકીય વર્ષ 2025-26માં મુસાફરોના ભાડામાંથી કુલ અંદાજિત આવક 92,800 કરોડ રૂપિયા થઈ શકે છે કારણ કે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024-25માં, 736 કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમાંથી કુલ યાત્રી આવક 75,215 કરોડ રૂપિયા હતી.

Railway Fare
news4nation.com

રેલવેને તેની આવકનો લગભગ 65 ટકા માલભાડામાંથી મળે છે, જ્યારે મુસાફરોના ભાડા 30 ટકા ફાળો આપે છે અને બાકીની આવક અન્ય સ્ત્રોતોમાંથી આવે છે.

મુસાફરોના ભાડામાં, AC ફર્સ્ટ ક્લાસ, AC 2-ટાયર, AC 3-ટાયર અને AC ચેર કાર મુસાફરોના ભાડામાંથી લગભગ 54 ટકા આવક આપે છે, પરંતુ કુલ મુસાફરોમાંથી માત્ર 4.8 ટકા મુસાફરો AC ક્લાસમાં મુસાફરી કરે છે, જ્યારે સ્લીપર અને જનરલ ક્લાસ મળીને લગભગ 37 ટકા મુસાફરોનું વહન કરે છે. ઉપનગરીય ટ્રેનો કુલ મુસાફરોના 57 ટકા જેટલા મુસાફરોનું વહન કરે છે.

Railway Fare
hindi.news18.com

જાન્યુઆરી 2020માં, જ્યારે મંત્રાલયે નોન-AC ક્લાસ (મેલ/એક્સપ્રેસ), જેને સ્લીપર ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે પ્રતિ કિલોમીટર 2 પૈસા અને AC ક્લાસ માટે પ્રતિ કિલોમીટર 4 પૈસાનો વધારો કર્યો હતો. 80 Km સુધીના ઉપનગરીય ભાડા અથવા સીઝન ટિકિટમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.

મે 2022માં, AC EMU (એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ-જેમ કે મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનો)ની એક જ મુસાફરી માટે ભાડું 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યું હતું. પ્રથમ વર્ગના ભાડામાં પણ 41 ટકા થી 49 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2024માં, રેલ્વે પરની સ્થાયી સમિતિએ ભારતીય રેલ્વેને ભલામણ કરી હતી કે, AC ક્લાસમાંથી થતી આવકની સમીક્ષા કરવામાં આવે. રેલ્વે મુસાફરોની સેવાઓને ભારે સબસિડી આપી રહી છે.

સંસદીય સમિતિના અહેવાલ મુજબ, ઉપનગરીય સેવાઓ ખર્ચના લગભગ 30 ટકા અને નોન-AC મુસાફરીથી 39 ટકા કમાય છે જ્યારે AC મુસાફરીથી ફક્ત 3.5 ટકા કમાય છે.

Railway Fare
livehindustan.com

સમિતિએ કહ્યું હતું કે, ભારતીય રેલ્વેની આવક વધારવા માટે, પેસેન્જર ભાડામાંથી થતી આવક વધારવી સૌથી મહત્વપૂર્ણ છે. સમિતિએ કહ્યું હતું કે, 'ભારતીય રેલ્વે કરોડો ગરીબ લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે અને સામાજિક જવાબદારીઓને કારણે ભારતીય રેલ્વેને ખર્ચ કરતાં ઓછું ભાડું વસૂલવાને કારણે નુકસાન સહન કરવું પડે છે.'

સમિતિએ સ્વીકાર્યું હતું કે 'જનરલ ક્લાસ' મુસાફરી સામાન્ય માણસ માટે પોસાય તેવી રહેવી જોઈએ, પરંતુ તેણે ભારતીય રેલ્વેને AC ક્લાસમાંથી થતી આવકના ખર્ચની સમીક્ષા કરવા પણ વિનંતી કરી હતી જેથી મુસાફરોના ભાડામાં થતા નુકસાનને ઘટાડી શકાય.

About The Author

Related Posts

Top News

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.