કોર્ટે કેમ કહ્યું તમે મુસ્લિમ નથી, છૂટાછેડા માટે તમારે કોર્ટ આવવું જ પડશે

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, વિવાહિત કપલ દ્વારા પરસ્પર સહમતીથી અલગ થવાની સમજૂતીની કોઈ કાયદાકીય માન્યતા નથી. તેને છૂટાછેડા બરાબર માની શકાય નહીં. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશ હાઇ કોર્ટે એક પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા એ વાતને સ્પષ્ટ કરી દીધી કે પરિણીત કપલની અલગ થવાની સમજૂતીને છૂટાછેડા બરાબરનો દરજ્જો નહીં આપી શકાય.

આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, જૂદા થવા સમજૂતીની કોઈ કાયદાકીય માન્યતા નથી. આ અરજી એક પતિએ પોતાની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને રદ્દ કરવા માટે દાખલ કરી હતી. તેમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે 2023માં અલગ થવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ જૂના સંબંધ પહેલા જ પૂરા થઈ ચૂક્યા હતા. એવામાં તેના પર અને તેના પરિવાર પર આરોપ નહીં લગાવી શકાય. જો કે, કોર્ટે આ અરજી ફગાવી દીધી.

ન્યાયાધીશ ગુરપાલ સિંહ અહલૂવાલિયાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, બંને પક્ષ મુસ્લિમ ધર્મથી નથી, એટલે પરસ્પર સહમતીથી છૂટાછેડા નહીં થઈ શકે. અહી પણ ચિંતાનો વિષય છે કે નોટરી એ પ્રકારની સમજૂતી માટે કેવી રીતે પ્રમાણિત કરી શકે છે. નોટરી અલગ થવાની સમજૂતીના આધાર પર છૂટાછેડાને મંજૂરી નહીં આપી શકે. કોર્ટે કહ્યું કે જુદા થવાની સમજૂતીની કાયદાકીય માન્યતા નથી અને એટલે એવું નહીં માની શકાય કે છૂટાછેડા થઈ ગયા.

કોર્ટે એ વાતને પણ સ્પષ્ટ કરી કે, જો છૂટાછેડા થઈ પણ જાય તો પણ છૂટાછેડા અગાઉ કરવામાં આવેલી ક્રૂરતા IPCની કલમ 498-A હેઠળ કેસ નોંધી શકાય છે. આ અગાઉ પત્નીએ પોતાની પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેના લગ્ન 21 એપ્રિલ 2022ના રોજ થયા હતા અને લગ્ન બાદ જ તેના પતિ અને સાસરિયાં પક્ષે તેને કરિયાવર માટે અત્યાચારિત કરવાની શરૂ કરી દીધી હતી. ફરિયાદમાં મહિલાએ સાસરિયા પક્ષ પર મારામારીનો પણ આરોપ લગાવ્યો હતો.

અરજીમાં પતિએ કેસને રદ્દ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે પત્નીએ પહેલા જ અન્ડરટેકિંગ આપ્યા છે કે તે તેના પર કોઈ કાર્યવાહી નહીં કરે. જો કે, કોર્ટે કહ્યું કે, આ પ્રકારની કોઈ પણ સમજૂતી કોન્ટ્રાક્ટ એક્ટના સેક્શન 28 વિરુદ્ધ છે કેમ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ જે કોઈ પક્ષને કાર્યવાહી કરતા રોકે છે, તેની કોઈ માન્યતા હોતી નથી. એ સિવાય સ્પેસિફિક રીલિફ એક્ટના સેક્શન 41 મુજબ કોઈ વ્યક્તિના કાયદાકીય સહાયતા લેવા પર રોક લગાવી શકાય નહીં.

About The Author

Related Posts

Top News

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.