શું BJP માટે બધુ સંઘ જ નક્કી કરે છે? જાણો RSS વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ

RSS વડા મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે, શું સંઘ BJPમાં બધું નક્કી કરે છે. શું સંઘ પોતે જ BJP પ્રમુખની પસંદગી કરે છે? આનો જવાબ આપતા ભાગવતે સ્પષ્ટ કર્યું કે, BJP અને RSS વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, BJP સંબંધિત નિર્ણયો લેવામાં RSSની કોઈ ભૂમિકા નથી. BJP સંબંધિત નિર્ણયો સંઘ લેતો નથી. દરેક સંગઠનની પોતાની કાર્યપદ્ધતિ હોય છે. અમે ફક્ત માર્ગદર્શન અને વિચારો આપીએ છીએ, પરંતુ રાજકીય નિર્ણય તે પક્ષના નેતૃત્વ પર રહે છે. BJP અને RSS વચ્ચે મતભેદોના અહેવાલોને મોહન ભાગવતે પાયાવિહોણા ગણાવ્યા.

Mohan Bhagwat
navbharattimes.indiatimes.com

RSS શતાબ્દી વ્યાખ્યાન શ્રેણીના ત્રીજા દિવસે મોહન ભાગવતે કહ્યું, ક્યાંય કોઈ ઝઘડો નથી... અમારું દરેક સરકાર સાથે સારું સંકલન છે, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. પરંતુ સિસ્ટમોમાં કેટલાક આંતરિક વિરોધાભાસ હોય છે. સિસ્ટમ જે છે તે અંગ્રેજો દ્વારા એટલા માટે બનાવવામાં આવી હતી જેથી કરીને તેઓ શાસન કરી શકે. તેથી તેમાં કેટલાક ફેરફારો અને નવા પ્રયોગો કરવાની જરૂર છે. પછી અમે ઇચ્છીએ છીએ કે કંઈક કામ થાય. પરંતુ ભલે ખુરશી પર બેઠેલી વ્યક્તિ 100 ટકા અમારી સાથે હોય, પણ કામ તો તેણે કરવું જ પડશે, અને તે જાણે છે કે રસ્તામાં અવરોધો છે. તે પોતે એ કામ કરી શકશે કે નહીં, તે અલગ બાબત છે. આપણે તેને તે સ્વતંત્રતા આપવી જોઈએ. ક્યાંય કોઈ સંઘર્ષ નથી.

Mohan Bhagwat
hindi.news18.com

RSSના વડા મોહન ભાગવતે કહ્યું, 'દેશની નીતિમાં સ્વેચ્છાએ આંતરરાષ્ટ્રીય વર્તન હોવું જોઈએ, દબાણ હેઠળ નહીં. આ સ્વદેશી છે, કુટુંબ પ્રબોધન પરિવારમાં બેસીને વિચારવું જોઈએ કે આપણે આપણા ભારત માટે શું કરી શકીએ છીએ. આપણા દેશ, સમાજ માટે કોઈપણ રીતે કોઈ પણ કાર્ય કરવું, વૃક્ષ વાવવાથી લઈને વંચિત વર્ગના બાળકોને ભણાવવા સુધીનું કોઈપણ નાનું કાર્ય કરવાથી દેશ અને સમાજ સાથે જોડાવાની માનસિકતા બનશે.'

Mohan Bhagwat
aajtak.in

કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, જે આપણા દેશમાં છે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ, જે આપણી પાસે નથી તેને વિદેશથી લઈ આવવું જોઈએ. આપણે રહીએ કે ન રહીએ, આ ભારત રહેવું જોઈએ. તેમણે અપીલ કરી છે કે, તમે બધા આવીને સંઘને જુઓ, સંઘને સમજો. શુદ્ધ સાત્વિક પ્રેમ જ સંઘ છે, આ જ કાર્યનો આધાર છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.