20 રાજ્યોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધી રહી છે મેદસ્વીતાઃ સરવે

પિત્ઝા, પાસ્તા, પેસ્ટ્રી અને નુડલ્સ બાળકોની ફીટનેસ ઘટાડી રહ્યા છે. ચટાકેદાર ટેસ્ટ અને યમી લાગતી આ ડીશ કાયમી દર્દ આપી જાય છે એવું ભાગ્યે જ કોઈ સમજતુ હોય છે. એમાં પણ હવે અનલિમિટેડની સ્કિમથી બાળકને જરૂરી એવા પોષકતત્ત્વો મળવાના બદલે પેટમાં બે દિવસ સુધી ચોંટી રહેતા ચીઝ જેવા પદાર્થો મળે છે. જેના કારણે નાનપણમાં તે કાચની ગોળ બરણી જેવા આકારના બની જાય છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવેક્ષણમાં દેશમાં મેદસ્વીતા સામે લડી રહેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યામામં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે. આ વાત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. દેશના 22 રાજ્યમાં કરવામાં આવેલા સરવેમાં 20 રાજ્યના બાળકોમાં થઈ રહેલો મેદસ્વીતામાં વધારો જોવા મળ્યો છે. બાળકોમાં વધી રહેલી મેદસ્વીતા પાછળ બાળકોની ખાવા-પીવાની આદત અને શારીરિક પ્રવૃતિઓનો અભાવ જવાબદાર છે. બેઠાળું જીવન અને વધી પડતી આળસને કારણે શરીરમાં ચરબી વધે છે.

સરવે સંસ્થાના જણાવ્યા અનુસાર ગત વર્ષ 2015 અને 2016 વચ્ચે કરવામાં આવેલા સરવેક્ષણની તુલનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મિઝોરમ, ત્રિપુરા, લક્ષદ્વીપ, જમ્મુ-કાશમીર તથા લદ્દાખ જેવા અનેક રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેદસ્વીતાથી પીડાઈ રહેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યામાં ધીમી ગતિએ થતો વધારો જોવા મળ્યો છે. સરવે અનુસાર માત્ર ગોવા, દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં આવા કેસની સંખ્યા ઓછી છે. જ્યારે લદ્દાખમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના આશરે 13.4 ટકા બાળકો મેદસ્વીતાથી પીડિત છે. લદ્દાખમાં આ ટકાવારી 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવેલા સરવે કરતા ઘણી વધારે છે.

આ પહેલાના સરવેની તુલનામાં આ સરવેમાં માત્ર બાળકોમાં જ નહીં પણ યુવાનોમાં પણ મેદસ્વીતા વધતી જતી જોવા મળી છે. સરવેના આંકડા અનુસાર 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની મહિલાઓમાં વધતા જતા શરીરની ફરિયાદમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પુરૂષોમાં પણ મેદસ્વીતા વધતી જોવા મળી છે. કેરળ અને આંદામાન નિકોબાર દ્વીપસમુહમાં સૌથી વધારે 38 ટકા મહિલાઓ મેદસ્વીતાથી પીડાઈ રહી છે. જન સ્વાસ્થ્ય પોષણ વિશેષજ્ઞ શીલા વીરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભોજનની પ્રાપ્યતા અને સારી આદત અંગેની પ્રાથમિક જાણકારીનો અભાવ છે. લોકોમાં કોઈ જાગૃતિ નથી. અહીં શર્કરાની વધુ માત્રા હોય એવું ભોજન સરળતાથી પ્રાપ્ય છે. આવા ભોજનને અહીંના લોકો વધુ પસંદ કરે છે. જેના કારણે શરીરમાં વધારો થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.