- National
- ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિય સમાજના લોકોમા નારાજગી, ભાજપ સામે મોર્ચો માંડ્યો
ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિય સમાજના લોકોમા નારાજગી, ભાજપ સામે મોર્ચો માંડ્યો

ગુજરાતમાં છેલ્લાં 18 દિવસથી રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિયોની નારાજગી સામે આવી છે, જો કે, તેમની નારાજગીનું કારણ જુદુ છે.
સામાન્ય રીતે ભાજપને સવર્ણ સમાજનું મોટા પાયે સમર્થન મળતુ રહે છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં ભાજપની તાકાત ક્ષત્રિયોને કારણે વધી છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી ક્ષત્રિય સમાજના મતો ભાજપમાં ડાયવર્ટ થયા છે. રાજનાથ સિંહ જેવા નેતા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મહાપંચાયતો થઇ રહી છે અને તેમાં ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઠાકુરોની નારાજગી એ વાતની છે કે, મેરઠ અને સરહાનપુર મંડલમાંથી ઠાકુર સમાજના કોઇને પણ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી.