વારાણસીમાં રોડ પર કીચડ-પાણી ભરેલા ખાડામાં સુઈ ગયા પૂર્વ કાઉન્સિલર, વીડિયો વાયરલ

વારાણસી જિલ્લાના નવી સડક બેનિયાબાગ મુખ્ય માર્ગ પર પીવાના પાણીની પાઈપલાઈન ફાટવાને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે મુસાફરોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ રોડ પર પાણી ભરાતા રોષે ભરાયેલા પૂર્વ કાઉન્સિલર શાહિદ અલીએ રસ્તા પર વહેતા પાણીના બનેલા ખાડામાં સૂઈ જઈને પ્રદર્શન કર્યું હતું. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂર્વ કોર્પોરેટર શાહિદ અલી હાથમાં પોસ્ટર લઈને રોડ પર સૂઈ ગયા છે. જેમાં લખ્યું છે કે જુઓ, પાણી વિતરણ કરતી સંસ્થાની બેદરકારી, સાત દિવસથી પાણી વહી રહ્યું છે. બીજી તરફ રસ્તા પર આવતા-જતા લોકો આશ્ચર્યચકિત નજરે રસ્તા પર આડા પડેલા શાહિદ અલીને જોઈ રહ્યા છે.

પૂર્વ કાઉન્સિલર શાહિદ અલીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની લાઇન લીકેજ થવાની અનેક દિવસોથી ફરિયાદ કરવા છતાં પણ કોઈ સુનાવણી થઈ રહી નથી. જેના કારણે બેનિયા, નવા રોડથી, લગડા હાફીઝ મસ્જિદ સુધીનો રસ્તો લપસણો બની ગયો છે. પાણી વિતરણ કરતી સંસ્થાની આ બેદરકારીને કારણે અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે આવતા-જતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. ઘણા દિવસોથી આવા ખાડાઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમારી વાત સાંભળવામાં ન આવી ત્યારે અમે આવો અનોખો વિરોધ કર્યો હતો.'

આ વીડિયોને શેર કરતા SPના નેતા મનોજ કાકાએ લખ્યું છે કે, 'બનારસમાં ખરાબ રસ્તાઓની સમસ્યાના ઉકેલ માટે રસ્તા પર પત્રો પ્રદર્શિત કરી રહેલા ભૂતપૂર્વ કાઉન્સિલરને સરકાર ક્યારે સાંભળશે? સમગ્ર બનારસના રસ્તાઓની હાલત ખરાબ છે. મહાનગરપાલિકા અને પાણી વિતરણ કરતી સંસ્થાઓમાં ઘણો ભ્રષ્ટાચાર છે, કમિશન ખોરીએ બનારસને ખાડામાં ફેરવી દીધું છે.'

@pkbihari17 નામના યુઝરે લખ્યું, 'જ્યારે સાહેબ કોર્પોરેટર હતા, ત્યારે રસ્તો કેમ ન બનાવ્યો? હવે તેઓ ધરણા કરી રહ્યા છે, વાહ, શું વાત છે.' @Mahendr33965208 નામના યુઝરે ટિપ્પણી કરી, 'આખો દેશ જોઈ લે વારાણસી મેટ્રો સિટીની આવી હાલત.' @PalAvinash1 નામના ટ્વિટર હેન્ડલ પર ટિપ્પણી કરવામાં આવી છે કે, 'જો ખામીઓ હશે તો વિરોધ કરવો પડશે કારણ કે સત્તામાં રહેલા લોકો ઝડપથી સાંભળી શકતા નથી, તેમને સંભળાવવું પડતું હોય છે.' @SRM97520584 નામના યુઝરે કટાક્ષમાં લખ્યું કે, 'આ પણ વિદેશી ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, ક્યોટો જેવા બનારસ શહેરને, દેશને અને PMને બદનામ કરવા માટે.'

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.