મારી પાસે એફિડેવિટ લઈને આવ્યો હતો ફડણવીસનો માણસ, દેશમુખે DyCM પર લગાવ્યા આરોપ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અને NCP (શરદચંદ્ર પવાર) નેતા અનિલ દેશમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે,  ફડણવીના એક મધ્યસ્થે તેમણે કેસમાં ફસાવાથી બચવા માટે એક ઓફર આપી હતી. દેશમુખ મુજબ, આ ઓફરમાં પૂર્વની મહા વિકાસ અઘાડી સરકારમાં મહત્ત્વપૂર્ણ હસ્તીઓ વિરુદ્ધ એફિડેવિટ આપવા કહેવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી PTI મુજબ, અનિલ દેશમુખે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે તથા કથિત તેમની પાસે એક માણસ મોકલ્યો હતો, જે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે, તત્કાલીન નાણામંત્રી અજીત પવાર અને તત્કાલીન પરિવહન મંત્રી અનિલ પરબની ફસાવવાની એક એફિડેવિટ લઈને આવ્યો હતો.

તેમણે આગળ કહ્યું કે, વ્યક્તિએ તેમને કહ્યું કે જો કેસમાં ફસતા બચવું છે તો તેમણે એ એફિડેવિટ પર હસ્તાક્ષર કરી દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખના આ આરોપો પર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બધા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, અનિલ દેશમુખને ખબર હોવી જોઈએ કે તેમની પોતાની પાર્ટીના નેતાઓએ મને ઘણા પૂરાવા આપ્યા છે. ફડણવીસે કહ્યું કે, જો મારી વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા આવે છે તો હું એ પુરાવાઓને સાર્વજનિક કરી શકું છું. મારી પાસે તેનો વિકલ્પ ખુલ્લો છે.

તેમણે અનિલ દેશમુખને ચેતવણી પણ આપી કે જો તેઓ તેમની વિરુદ્ધ ખોટા આરોપ લગાવે છે તો તેઓ પણ ચૂપ નહીં બેસે. ફડણવીસે કહ્યું કે, જ્યારે ફૂટ આવવા NCPના કેટલાક નેતાઓએ મને તેમની બાબતે કેટલાક ઓડિયો ટેપ આપ્યા છે, જેમાં તેઓ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સચિન વાજે બાબતે વાત કરી રહ્યા છે. જો દેશમુખ તેમની વિરુદ્ધ ખોટ આરોપ લગાવવાનું ચાલુ રાખે છે તો તેઓ એ ઓડિયો ટેપને સાર્વજનિક કરી દેશે.

ફડણવીસે કહ્યું કે, દેશમુખે અગાઉ પણ તેમની વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમણે જવાબ ન આપ્યો કેમ કે તેઓ આ પ્રકારની રાજનીતિ કરતા નથી. જો કોઈ મને ફરીથી નિશાનો બનાવે છે તો હું તેમને ક્યારેય નહીં છોડું, અનિલ દેશમુખ વિરુદ્ધ આરોપ ભાજપ સરકાર દરમિયાન નહીં, પરંતુ મહાવિકાસ અઘાડી શાસન દરમિયાન લગાવવામાં આવ્યા હતા. અનિલ દેશમુખ હાલમાં 100 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલીના કેસમાં જામીન પર છે. ફડણવીસે કહ્યું કે, જો કોઈ ખોટા આરોપ લગાવીને કહાની ઘડી રહ્યું છે તો તેને ખબર હોવી જોઈએ કે હું પુરાવા વિના કંઇ બોલતો નથી.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.