તું દલિત છે લગ્ન માટે ફાર્મહાઉસ નહીં આપું કહી કેન્સલ કરી દીધું બૂકિંગ

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે, લગ્ન માટે મંડપ બુક કરાવ્યા બાદ વેન્ડરને જેવી જ ખબર પડી કે બૂકિંગ કરાવનાર વાલ્મીકિ (દલિત) સમાજનો છે, તો તેણે બૂકિંગ કેન્સલ કરી દીધી. મેરઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારી જયદીપે પોતાની બહેન પિંકીના લગ્ન માટે એક મંડપ બુક કરાવ્યો હતો. આ મંડપની બૂકિંગ હાપુડ રોડ પર ગોલ્ડન ફાર્મ હાઉસમાં થયું હતું. તેના માટે જયદીપે 10 હજાર રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. જયદીપની બહેનના લગ્ન 9 એપ્રિલના રોજ થવાના છે.

આરોપ છે કે બુધવારે સાંજે જયદીપ પાસે ગોલ્ડન ફાર્મ હાઉસના મેનેજર રઈસનો ફોન આવ્યો. મેનેજરે કથિત રીતે વાલ્મીકિ (દલિત) હોવાના કારણે જયદીપની બૂકિંગ કેન્સલ કરી દીધું. તેને મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે, બીજી જગ્યાની વ્યવસ્થા કરી લો. બૂકિંગ કેન્સલ થવાની વાત સાંભળીને જયદીપના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું કહેવું છે કે 2 દિવસની અંદર તે બીજા મંડપની વ્યવસ્થા કેવી રીતે કરશે. ત્યારબાદ જયદીપે આ મુદ્દાને પોતાના સમાજના લોકો વચ્ચે રાખ્યો.

લોકો ગુરુવારે જયદીપ સાથે એકજૂથ થઈને SSP ઓફિસ પહોંચ્યા અને ફાર્મહાઉસ પર કાર્યવાહીની માગ કરી. જયદીપ સાથે ગયેલા લોકોએ એ જ મંડપમાં પિંકીના લગ્ન કરાવવાની માગ પણ કરી. આ બાબતે SSPએ ફરિયાદ કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર કેસી મનોઠિયાએ જણાવ્યું કે, વાલ્મીકિ (દલિત) હોવાના કારણે બૂકિંગ રદ્દ કરી દેવામાં આવી છે. આજે પણ જાતિવાદ ફેલાયેલો છે. આ પ્રકારની વસ્તુ સહન કરવામાં નહીં આવે.

ભાજપના કાઉન્સેલરના જણાવ્યા મુજબ, લગ્ન મંડપના મેનેજરનું કહેવું છે કે, જો તેને પહેલા ખબર હોતી કે વાલ્મીકિ છે તો તે બૂકિંગ જ ન કરતો. લગ્ન એ જ મંડપના થશે. પછી તેના માટે કંઈ પણ કરવું પડે. તો પોલીસે ફાર્મ હાઉસ વિરુદ્ધ કેસ નોંધવાનું આશ્વાસન આપ્યું છે.

તો બીજી તરફ રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાના બડીસાદડી પેટાવિભાગથી પોલીસ દ્વારા દલિત પર અત્યાચાર કરવા અને ગેરકાયદેસર વસૂલીની ઘટના સામે આવી છે. બડીસાદડી પોલીસ સ્ટેશન દ્વારા એક દલિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં આખી રાત બંધ રાખતા પહેલા તેની સાથે મારામારી કરવામાં આવી, પછી તેને છોડવામાં નામ પર તેની અને તેની માતા પાસેથી 50,000 સાથે ચાંદીની ચેન લઈ લેવામાં આવી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.