તાજેતરમા થયેલા સર્વે પરથી જાણો બિહારમાં કોણ બનાવશે સરકાર? અહીં જુઓ કોણ કેટલી બેઠકો જીતશે

બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. આ વખતે, NDA અને મહાગઠબંધન ઉપરાંત, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે બિહારની ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે. આવામાં બરાબર ચૂંટણી પહેલા, એક ઓપિનિયન પોલ બહાર પડ્યો છે, જે દર્શાવે છે કે બિહારમાં કોની સરકાર બની શકે છે.

Bihar-Election-Survey.jpg-2

ટાઈમ્સ નાઉ JVC ઓપિનિયન પોલ સૂચવે છે કે, NDA બિહારમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. NDA 120-140 બેઠકો જીતી શકે છે, જ્યારે મહાગઠબંધનને 93-112 બેઠકો પર સંતોષ માનવો પડી શકે છે. ચૂંટણીના સર્વે મુજબ, BJP 70-81 બેઠકો, JDU 42-48, LJP (રામવિલાસ) 5-7, HAM 2 અને RLM 2 બેઠકો જીતવાનો અંદાજ લગાવી શકાય છે.

આ ઉપરાંત, મહાગઠબંધનની વાત કરીએ તો, RJD 69-78 બેઠકો જીતવાનો અંદાજ છે. કોંગ્રેસને 9-17 બેઠકો, CPI(ML)ને 12-14, CPI 1 અને CPI(M)ને 1થી 2 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની વાત કરીએ તો તેને સર્વેમાં ફક્ત એક બેઠક મળવાનો અંદાજ છે. આ ઉપરાંત, AIMIM, BSP અને અન્ય પાર્ટીઓને 8થી 10 બેઠકો મળી શકે છે.

Bihar-Election-Survey.jpg-4

બિહાર વિધાનસભામાં કુલ બેઠકો: 243- NDA: 120-140-BJP: 70-81, JDU: 42-48, LJP (રામવિલાસ): 5-7, HAM: 2, RLM: 1-2.

મહાગઠબંધન: 93-112- RJD: 69-78, કોંગ્રેસ: 9-17, CPI(ML): 12-14, CPI: 1, CPI(M): 1-2, જન સુરાજ: 1.

મત ટકાવારીની વાત કરીએ તો, NDAને મહાગઠબંધન કરતાં 2 ટકા વધુ મત મળવાનો અંદાજ છે. સર્વે મુજબ, NDAને 41-43 ટકા મત મળવાની ધારણા છે, જ્યારે મહાગઠબંધનને 39-41 ટકા મત મળવાની ધારણા છે. જનસુરાજને 6થી 7 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 10-11 ટકા મત મળી શકે છે.

Bihar-Election-Survey.jpg-3

અહીં તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, જ્યારે બહુમતીનો આંકડો 122 છે. પાંચ વર્ષ પહેલાં, NDAએ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી, ત્યારે RJD સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. RJD75 બેઠકો જીતી હતી, જ્યારે BJP74, JDU43, કોંગ્રેસે 19, LJP1 અને અન્યોએ 31 બેઠકો જીતી હતી.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.