તાજેતરમા થયેલા સર્વે પરથી જાણો બિહારમાં કોણ બનાવશે સરકાર? અહીં જુઓ કોણ કેટલી બેઠકો જીતશે

બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. આ વખતે, NDA અને મહાગઠબંધન ઉપરાંત, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે બિહારની ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે. આવામાં બરાબર ચૂંટણી પહેલા, એક ઓપિનિયન પોલ બહાર પડ્યો છે, જે દર્શાવે છે કે બિહારમાં કોની સરકાર બની શકે છે.

Bihar-Election-Survey.jpg-2

ટાઈમ્સ નાઉ JVC ઓપિનિયન પોલ સૂચવે છે કે, NDA બિહારમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. NDA 120-140 બેઠકો જીતી શકે છે, જ્યારે મહાગઠબંધનને 93-112 બેઠકો પર સંતોષ માનવો પડી શકે છે. ચૂંટણીના સર્વે મુજબ, BJP 70-81 બેઠકો, JDU 42-48, LJP (રામવિલાસ) 5-7, HAM 2 અને RLM 2 બેઠકો જીતવાનો અંદાજ લગાવી શકાય છે.

આ ઉપરાંત, મહાગઠબંધનની વાત કરીએ તો, RJD 69-78 બેઠકો જીતવાનો અંદાજ છે. કોંગ્રેસને 9-17 બેઠકો, CPI(ML)ને 12-14, CPI 1 અને CPI(M)ને 1થી 2 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની વાત કરીએ તો તેને સર્વેમાં ફક્ત એક બેઠક મળવાનો અંદાજ છે. આ ઉપરાંત, AIMIM, BSP અને અન્ય પાર્ટીઓને 8થી 10 બેઠકો મળી શકે છે.

Bihar-Election-Survey.jpg-4

બિહાર વિધાનસભામાં કુલ બેઠકો: 243- NDA: 120-140-BJP: 70-81, JDU: 42-48, LJP (રામવિલાસ): 5-7, HAM: 2, RLM: 1-2.

મહાગઠબંધન: 93-112- RJD: 69-78, કોંગ્રેસ: 9-17, CPI(ML): 12-14, CPI: 1, CPI(M): 1-2, જન સુરાજ: 1.

મત ટકાવારીની વાત કરીએ તો, NDAને મહાગઠબંધન કરતાં 2 ટકા વધુ મત મળવાનો અંદાજ છે. સર્વે મુજબ, NDAને 41-43 ટકા મત મળવાની ધારણા છે, જ્યારે મહાગઠબંધનને 39-41 ટકા મત મળવાની ધારણા છે. જનસુરાજને 6થી 7 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 10-11 ટકા મત મળી શકે છે.

Bihar-Election-Survey.jpg-3

અહીં તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, જ્યારે બહુમતીનો આંકડો 122 છે. પાંચ વર્ષ પહેલાં, NDAએ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી, ત્યારે RJD સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. RJD75 બેઠકો જીતી હતી, જ્યારે BJP74, JDU43, કોંગ્રેસે 19, LJP1 અને અન્યોએ 31 બેઠકો જીતી હતી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.