મંત્રીના 40 મિનિટના કાર્યક્રમ માટે ગાદલા-ચાદરના ભાડા સાથે રૂ. 10 લાખ ખર્ચી નાંખ્યા!

મધ્યપ્રદેશના શહડોલમાં 'ડ્રાયફ્રુટ' કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે મઉગંજમાં મંત્રીના કાર્યક્રમમાં ગાદલા અને ચાદરના ભાડા પર રૂ. 10 લાખ ખર્ચવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, મંત્રી 'ગંગા જલ સંવર્ધન યોજના' હેઠળ માત્ર 40 મિનિટ માટે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં ગાદલા અને ચાદરની કોઈ જરૂર નહોતી. તેમ છતાં, અધિકારીઓએ બલ્બ વેચતી દુકાનમાંથી ગાદલા અને ચાદર ભાડે લીધી અને સરકારની સાથે રૂ. 10 લાખની છેતરપિંડી કરી.

MP Mantri Program
bhaskar.com

જલ ગંગા સંવર્ધન અભિયાનનો કાર્યક્રમ 17 એપ્રિલ 25ના રોજ જિલ્લાના ખૈરા ગામમાં યોજવામાં આવ્યો હતો. પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ પટેલ અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ફક્ત 40 મિનિટ ચાલ્યો હતો અને જનપદ પંચાયત મઉગંજે અહીં રૂ. 10 લાખ ખર્ચ કર્યા હતા. આ રકમ એક જ વિક્રેતા પ્રદીપ એન્ટરપ્રાઇઝને આપવામાં આવી છે.

કરિયાણા, મીઠાઈઓ, તંબુ, લાઈટ, નાસ્તો, બધું એક જ દુકાનમાંથી લેવામાં આવ્યું હતું. ગાદલા 30 રૂપિયાના દરે, બેડશીટ 35 રૂપિયા પ્રતિ યુનિટના દરે ભાડે લેવામાં આવ્યા હતા. તે પણ ઇલેક્ટ્રિક બલ્બ વેચતી દુકાનમાંથી..

MP Mantri Program
bhaskar.com

ખરેખર, આ એવો ખર્ચ છે જેનો હકીકતમાં કોઈ પત્તો નથી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, ગાદલા અને ચાદર ઇલેક્ટ્રિક બલ્બ વેચતી દુકાનમાંથી ભાડે લેવામાં આવ્યા છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું હવે બલ્બ વેચનારાઓએ ભાડા પર ગાદલા ચાદર આપવાનું શરૂ કર્યું છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એકાઉન્ટન્ટે CEO સામે લેખિત આરોપ લગાવ્યો કે, રામકુશલ મિશ્રાએ બળજબરીથી તેમનું DSC અને મોબાઈલ છીનવી લીધો છે અને ભ્રષ્ટાચાર કર્યો છે.

જિલ્લા પ્રમુખ નીલમ સિંહે જણાવ્યું કે તેમને સ્ટેજ પર જગ્યા પણ મળી નથી. આ કાર્યક્રમમાં લગભગ 150 લોકો હાજર હતા. સ્ટેજ પર જનપ્રતિનિધિઓ માટે બેસવાની જગ્યા નહોતી અને નાસ્તો કે પાણી માટે કોઈ વ્યવસ્થા નહોતી. તો પછી લાખોના ચા-નાસ્તાના બિલ કેવી રીતે આવ્યા.

MP Mantri Program
aajtak.in

પંચાયત દર્પણ પોર્ટલ પર અપલોડ કરાયેલી નોટ શીટમાં કહેવામાં આવ્યું છે કે, 2.54 લાખ મંજૂર થયા. પરંતુ 7.45 લાખથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી! તે પણ જનપદ પંચાયતની બેઠક વિના, ઠરાવ પસાર કર્યા વિના. જે અધિકારીઓએ આ સમગ્ર મામલા પર દેખરેખ રાખવાની હતી તેઓ પોતે જ વિવાદોમાં ફસાયેલા છે.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, કલેક્ટર સંજય કુમાર જૈને તપાસના આદેશ આપ્યા છે. તેમનું કહેવું છે કે, તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.