પૂર્ણાનંદ સ્વામી પર સગીર સાથે 2 વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ કેસ દાખલ

આંધ્ર પ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમમાં કોથા વેંકોજિપલેમમાં જ્ઞાનાનંદ આશ્રમના પૂર્ણાનંદ સ્વામી પર POCSO એક્ટ હેઠળ મામલો દાખલ કરી તેની ધરપકડ કરી છે. તેના પર એક સગીર છોકરીએ આશ્રમમાં કામ કરવા દરમિયાન છેલ્લાં બે વર્ષો સુધી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. છોકરીની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી (15) રાજ મહેંદ્રવરમની રહેવાસી છે અને જ્યારે તે બાળકી હતી ત્યારે તેના માતા-પિતાનું મોત થઈ ગયુ હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનાથ થયા બાદ છોકરી થોડાં સમય સુધી પોતાના સંબંધીની સાથે રહી પરંતુ, પછી તેને જ્ઞાનાનંદ આશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. ત્યાં છોકરીને ગાયોની દેખરેખનું કામ આપવામાં આવ્યું હતું. પીડિત સગીરનો આરોપ છે કે, પૂર્ણાનંદ સ્વામી એક રાત્રે તેને પોતાના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ સ્વામીએ તેને સાંકળથી બાંધી અને તેની ઇચ્છાઓ પૂરી કરવા માટે કહ્યું. તેના પર જ્યારે છોકરીએ ઇન્કાર કર્યો તો સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી.

પીડિત સગીર છોકરીએ જણાવ્યુ કે, સ્વામીએ તેને માર માર્યો હતો અને આ દરમિયાન તેને માત્ર 2 ચમચી ચોખામાં પાણી મિક્સ કરીને ખાવા માટે આપવામાં આવતા હતા. 15 દિવસોમાં માત્ર એકવાર ન્હાવા દેવામાં આવતી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેને વોશરૂમ જવા દેવામાં આવતી નહોતી અને ડોલમાં જ પેશાબ કરવા માટે મજબૂર કરવામાં આવી.

સગીરે પોતાની ફરિયાદમાં કહ્યું છે, તેને બે વર્ષ સુધી આ જ રીતે પ્રતાડિત કરવામાં આવી. દરમિયાન, પીડિત સગીર, આશ્રમમાંથી કોઈકરીતે ભાગવામાં સફળ રહી અને તે તિરૂમાલા એક્સપ્રેસમાં બેસી ગઈ. ત્યાં તેણે એક મહિલા યાત્રિને આપવીતી સંભળાવી. આ મહિલાએ બે દિવસ પહેલા કૃષ્ણા જિલ્લાના કાંકીપાડૂમાં એક છાત્રાવાસમાં છોકરીને દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, છાત્રાવાસે પોલીસ સ્ટેશનના પત્ર વિના છોકરીને લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

ત્યારબાદ સગીર છોકરી અને મહિલાએ કાંકીપાડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી, જ્યાંથી તેને બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ તેને વિજયવાડાના દિશા પોલીસ સ્ટેશન મોકલી. જ્યાં પોલીસે સ્વામી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ મામલો દાખલ કરી લીધો છે. બાદમાં છોકરીને મેડિકલ પરીક્ષણ માટે વિજયવાડાની જુની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી. સ્વામીએ કોઈ ખોટું કામ કરવાનો ઇન્કાર કર્યો છે અને દાવો કર્યો છે કે, કેટલાક લોકો આશ્રમની જમીન હડપવા માટે તેની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.