સરકારી આંકડાઓ પરથી જાણવા મળ્યું કે, છોકરીઓ લગ્ન કરવા કરતાં આત્મનિર્ભર બનવાને પ્રાધાન્ય આપી રહી છે

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી માત્ર 57.5 ટકા છોકરીઓ જ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આનું પ્રમાણ 80.2 ટકા જેટલું છે. 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરતી છોકરીઓનો રાષ્ટ્રીય સરેરાશ 72.2 ટકા છે, પરંતુ મધ્યપ્રદેશ આનાથી પાછળ રહી ગયું છે. જોકે, SRS-2020ના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો, મધ્યપ્રદેશમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. 2020ના આંકડા મુજબ, 56.2 ટકા છોકરીઓ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરતી હતી.

મધ્યપ્રદેશમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્ન પ્રત્યે સામાજિક વલણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે 2020માં, 56 ટકા છોકરીઓ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરીને સ્થાયી થઈ ગઈ હતી, તો હવે કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા મુજબ, આ ટકાવારી વધીને 62.5 થઈ ગઈ છે.

Girls Preferring Self Reliance
mpcg.ndtv.in

નિષ્ણાતો માને છે કે, આ પરિવર્તન એટલા માટે પણ બદલાયું હોય શકે કે, છોકરીઓ લગ્ન કરતાં શિક્ષણ અને કારકિર્દીને પ્રાથમિકતા આપી રહી છે અને સરકારી યોજનાઓ તેમને આ દિશામાં મોટો ટેકો આપી રહી છે. કેન્દ્ર સરકારના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS)-2023 સર્વેના એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્ન દરમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. રજિસ્ટ્રાર જનરલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલ SRS, એક મોટા પાયે વસ્તી વિષયક સર્વે છે, જે વય, લિંગ અને વૈવાહિક સ્થિતિના આધારે વસ્તી ડેટા એકત્રિત કરે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા SRS-2023 મુજબ, મધ્યપ્રદેશમાં 62.5 ટકા છોકરીઓ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનું પસંદ કરે છે.

જોકે, આ ડેટા એવું પણ દર્શાવે છે કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છોકરીઓ વચ્ચે લગ્ન પ્રત્યેના વલણમાં નોંધપાત્ર તફાવત નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 57.5 ટકા છોકરીઓ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ 80.2 ટકા છે. 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરતી છોકરીઓ માટે રાષ્ટ્રીય સરેરાશ 72.2 ટકા છે, જો કે અહીં આ બાબતે મધ્યપ્રદેશ પાછળ છે. જો કે, SRS-2020 ડેટાને ધ્યાનમાં લેતા, મધ્યપ્રદેશમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. 2020ના ડેટા મુજબ, 56.2 ટકા છોકરીઓ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરતી હતી.

Girls Preferring Self Reliance
hindi.news18.com

ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 52.1 ટકા અને શહેરી વિસ્તારોમાં 69.8 ટકા હતો. શહેરી વિસ્તારોમાં લગ્નની ઉંમરમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ સુધારો થાય તેવી ઘણી અપેક્ષા છે. જ્યારે SRS-2023 રિપોર્ટ 18 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરતી છોકરીઓની ટકાવારી 2.0 ટકા દર્શાવે છે, જ્યારે 2020ના રિપોર્ટમાં તે 2.1 ટકા હતી. 2020માં 18થી 20 વર્ષની વય વચ્ચે લગ્ન કરતી છોકરીઓની ટકાવારી 41.7 ટકા હતી, જે 2023ના રિપોર્ટમાં 35.6 ટકા સુધી પહોંચી ગઈ છે.

નિષ્ણાતો કહે છે કે છોકરીઓમાં 21 વર્ષ પછી જ લગ્ન કરવાની વધતી જતી ઈચ્છા એ બતાવે છે કે, તેઓ શિક્ષિત થઈ રહી છે અને રોજગાર દ્વારા આત્મનિર્ભર બનવા માંગે છે. મધ્યપ્રદેશ મહિલા અને બાળ વિકાસ વિભાગના ભૂતપૂર્વ નાયબ નિયામક મંજુલા તિવારીએ જણાવ્યું હતું કે, પરિવારો અને સમાજની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે. લોકો છોકરીઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકી રહ્યા છે. છોકરીઓ પણ લગ્ન પહેલાં પોતાને આત્મનિર્ભર બનાવવા માંગે છે. આના કારણે આ પરિવર્તન આવ્યું છે. શાસક BJPના રાજ્ય પ્રવક્તા નેહા બગ્ગાએ જણાવ્યું હતું કે, પારિવારિક હોય કે વ્યક્તિગત વિચાર, છોકરીઓ પહેલા પોતાના પગ પર ઊભા રહેવાને પ્રાથમિકતા આપી રહી છે. આ સાથે જ, લાડલી લક્ષ્મી જેવી રાજ્ય સરકારની યોજનાઓ તેમને આ દિશામાં પ્રોત્સાહિત કરી રહી છે અને બાળ લગ્ન અટકાવવામાં સકારાત્મક સાબિત થઈ રહી છે.

Girls Preferring Self Reliance
hindi.shethepeople.tv

કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા અપરાજિતા પાંડેએ પણ કહ્યું હતું કે, આ છોકરીઓની સાથે સાથે સામાજિક વિચારસરણીમાં આવેલા પરિવર્તનનું પરિણામ છે. છોકરીઓ સારું શિક્ષણ મેળવીને અને પોતાની કુશળતા વિકસાવીને પોતાને સશક્ત બનાવવા માંગે છે. તેઓ પોતાની આગવી ઓળખ સાથે આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, ઘરેલુ હિંસા, ઉત્પીડન અને દહેજ મૃત્યુના વધતા જતા કેસોએ મહિલાઓને અહેસાસ કરાવ્યો છે કે, તેમના માટે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું કેટલું મહત્વપૂર્ણ છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.