મોદીસરકારે બદલ્યું નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ, આ નામે ઓળખાશે મ્યુઝિયમ

દેશની રાજધાનીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે PM નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, PM મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે.

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને PM મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ છે.

હકીકતમાં, 2016 માં, PM નરેન્દ્ર મોદીએ તીન મૂર્તિ સંકુલમાં ભારતના તમામ PMને સમર્પિત એક સંગ્રહાલય સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. NMMLની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને PMનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ખરેખર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલને લાગ્યું કે, સંસ્થાનું નામ વર્તમાન પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ હોવું જોઈએ, જેમાં એક નવું મ્યુઝિયમ પણ સામેલ છે, જે સ્વતંત્ર ભારતમાં લોકશાહીની સામૂહિક યાત્રા અને રાષ્ટ્રનિર્માણમાં દરેક PMના યોગદાનને દર્શાવે છે.

મ્યુઝિયમ અપડેટ કરવામાં આવ્યું છે મ્યુઝિયમ રિનોવેટેડ અને રિફર્બિશ્ડ નેહરુ મ્યુઝિયમ ઈમારતથી શરૂ થાય છે, જે જવાહરલાલ નહેરુના જીવન અને યોગદાન પર ટેક્નોલોજીની રીતે અદ્યતન પ્રદર્શનો સાથે સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, PM નરેન્દ્ર મોદી સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ છે. 59થી વધુ વર્ષોથી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક સીમાચિહ્ન અને પુસ્તકો અને રેકોર્ડ્સનું ખજાનાનું ઘર છે. હવેથી તે PM મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. PM નરેન્દ્ર મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારના નામ અને વારસાને બદનામ કરવા, અપમાનિત કરવા અને નષ્ટ કરવા માટે શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાનકડો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં PM નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. અગાઉ મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું હતું. આ બગીચો રાષ્ટ્રપતિ ભવનની સામે છે. મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવતા ભારે રાજકીય હંગામો થયો હતો. કોંગ્રેસે નામ બદલવાને ઈતિહાસ ભૂંસવા તરફનું પગલું ગણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.