‘હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા..’, BJP સાંસદે કેમ આવો જવાબ આપ્યો?

તાજેતરમાં અંતરિક્ષમાંથી પાછા ફરેલા અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને લઇને ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે, આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેશનલ સ્પેસ ડેના અવસર પર ઉનામાં PM શ્રી સ્કૂલમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન હનુમાનને અંતરિક્ષમાં જનારા પહેલા વ્યક્તિ માની શકાય. તેમણે આ સિવાય બીજું શું કહ્યું?

Anurag Thakur
hindustantimes.com

બાળકોને સંબોધિત કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? બાળકોએ તેના જવાબમાં કેટલાકે નીલ આર્મસ્ટ્રોંગનું નામ લીધું અને કેટલાકે કેટલાકે અન્ય અંતરિક્ષયાત્રીનું નામ લીધું. ત્યારબાદ હસતા-હસતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, મને લાગે છે કે હનુમાનજી હતા. તેની પાછળ તેમણે તર્ક આપ્યો કે આપણે અત્યારે પણ પોતાને વર્તમાનમાં જોઈએ છીએ, જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિને નહીં જાણીએ, ત્યાં સુધી આપણે અંગ્રેજોએ આપણને બતાવ્યા મુજબ જ રહીશું.

તેમણે પોતાના X પર બાળકો સાથે વાતચીત કરવાનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બાળકોને આ સવાલ પૂછતા જોવા મળે છે. આ અંગે ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું કે, ‘હનુમાનજી અગાઉ પણ ઘણા દેવી-દેવતાઓ અંતરિક્ષમાં મુસાફરી કરતા રહ્યા છે, ખાસ કરીને એ જેઓ અલગ-અલગ ગ્રહો પર વાયુ માર્ગથી આવતા-જતા હતા. તે સમયે ત્યાં રસ્તા અને રેલવે ટ્રેક નહોતા. વિજ્ઞાનના જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાનની પણ જરૂરિયાત છે. નારદજી ત્રિલોક વિહારી છે અને તેમને દેવઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે, તેમનો જન્મ બ્રહ્માંડની રચનાની શરૂઆતી કાળમાં જ થયો હતો અને હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.