‘હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા..’, BJP સાંસદે કેમ આવો જવાબ આપ્યો?

તાજેતરમાં અંતરિક્ષમાંથી પાછા ફરેલા અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને લઇને ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે, આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેશનલ સ્પેસ ડેના અવસર પર ઉનામાં PM શ્રી સ્કૂલમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન હનુમાનને અંતરિક્ષમાં જનારા પહેલા વ્યક્તિ માની શકાય. તેમણે આ સિવાય બીજું શું કહ્યું?

Anurag Thakur
hindustantimes.com

બાળકોને સંબોધિત કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? બાળકોએ તેના જવાબમાં કેટલાકે નીલ આર્મસ્ટ્રોંગનું નામ લીધું અને કેટલાકે કેટલાકે અન્ય અંતરિક્ષયાત્રીનું નામ લીધું. ત્યારબાદ હસતા-હસતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, મને લાગે છે કે હનુમાનજી હતા. તેની પાછળ તેમણે તર્ક આપ્યો કે આપણે અત્યારે પણ પોતાને વર્તમાનમાં જોઈએ છીએ, જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિને નહીં જાણીએ, ત્યાં સુધી આપણે અંગ્રેજોએ આપણને બતાવ્યા મુજબ જ રહીશું.

તેમણે પોતાના X પર બાળકો સાથે વાતચીત કરવાનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બાળકોને આ સવાલ પૂછતા જોવા મળે છે. આ અંગે ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું કે, ‘હનુમાનજી અગાઉ પણ ઘણા દેવી-દેવતાઓ અંતરિક્ષમાં મુસાફરી કરતા રહ્યા છે, ખાસ કરીને એ જેઓ અલગ-અલગ ગ્રહો પર વાયુ માર્ગથી આવતા-જતા હતા. તે સમયે ત્યાં રસ્તા અને રેલવે ટ્રેક નહોતા. વિજ્ઞાનના જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાનની પણ જરૂરિયાત છે. નારદજી ત્રિલોક વિહારી છે અને તેમને દેવઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે, તેમનો જન્મ બ્રહ્માંડની રચનાની શરૂઆતી કાળમાં જ થયો હતો અને હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.