પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા

પંજાબ સરકારની 'બુલડોઝર એક્શન' પર આમ આદમી પાર્ટીના નેતાઓમાં મતભેદો સામે આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને AAP સાંસદ હરભજન સિંહે કહ્યું છે કે, ડ્રગ્સ વેચવા બદલ કોઈનું ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. તે આના પક્ષમાં નથી. પરંતુ AAP નેતા સોમનાથ ભારતીએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.

સોમનાથ ભારતીએ હરભજનને પૂછ્યું છે કે, શું તેઓ ડ્રગ માફિયાનો પક્ષ લઈ રહ્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા છે. આવી સ્થિતિમાં, હરભજન સિંહ દ્વારા માફિયાઓના પક્ષમાં નિવેદન આપવું બિલકુલ ખોટું છે. સોમનાથ ભારતીએ હરભજન સિંહ પર નિશાન સાધતા કહ્યું, 'આ ડ્રગ માફિયાઓએ આપણા ગુરુઓની ભૂમિને બરબાદ કરી દીધી છે. આધ્યાત્મિક ભૂમિને ડ્રગ્સની ભૂમિમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. આ માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ. તમે એક યુવા પ્રતિભા છો. આવી સ્થિતિમાં, તમારે પંજાબના યુવાનોને બચાવવા માટે કંઈક કહેવું અને કરવું જોઈએ. પણ તમારું નિવેદન આનાથી વિપરીત છે.'

Somnath-Bharti
aajtak.in

સોમનાથ ભારતીએ વધુમાં કહ્યું, 'આપણે આપણી સરકારના જાહેર નિવેદનો અથવા કાર્યોની વિરુદ્ધ કંઈપણ કહેવાનું સખતપણે ટાળવું જોઈએ. આપણી પાર્ટીમાં પૂરતી લોકશાહી છે. તમારે આપણી પાર્ટીના નેતૃત્વને આવું કંઈ કહેવું જોઈતું હતું. જાહેરમાં નહીં. અમે બધાએ તમને દેશના હીરો તરીકે જોયા છે. એટલા માટે હું આનાથી વધુ કંઈ કહી રહ્યો નથી.'

હકીકતમાં, પંજાબ સરકાર 'ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ' અભિયાન ચલાવી રહી છે. સરકારનો દાવો છે કે આ અંતર્ગત ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આ માફિયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. હરભજન સિંહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જો કોઈ ડ્રગ્સ વેચે છે, તો તેનું ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે. હું આના પક્ષમાં નથી. એ કોઈના કુટુંબનો આસરો છે. મને લાગે છે કે ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. સરકાર બીજો કોઈ રસ્તો પણ શોધી શકે છે.'

Harbhajan
aajtak.in

હરભજન સિંહ કહે છે કે, જો કોઈ સરકારી જમીન પર આવું કરતુ હોય તો તે અલગ વાત છે. તો પછી આવી કાર્યવાહી માન્ય છે. ખબર નહીં કે કોઈ વ્યક્તિએ એ ઘર કેવી રીતે બનાવ્યું હશે.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.