કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'

કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના સાંસદ શશી થરૂરે પાર્ટીની અંદરના મતભેદો સ્વીકાર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ફક્ત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.

હકીકતમાં, તિરુવનંતપુરમમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદ છે, અને હું પાર્ટીની અંદર તેના પર ચર્ચા કરીશ... હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે તેમને મળીને તેમની સાથે વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.'

Shashi-Tharoor
newsonair.gov.in

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'PM મોદી સાથેની ચર્ચા ફક્ત સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય છે, ત્યારે હું હંમેશા તૈયાર રહું છું.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિશ્વના દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન, શશી થરૂરે પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોને કારણે, કોલંબિયાએ પાકિસ્તાનના સમર્થનમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેને શશી થરૂર માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

Shashi-Tharoor2
theprint.in

જ્યારે શશિ થરૂર સહિત પ્રતિનિધિમંડળના બધા નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પછી પાછા ફર્યા, ત્યારે PM નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમના અનુભવો વિશે પણ પૂછ્યું. શશિ થરૂર વિશે રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિનિધિમંડળ માટે મોકલવામાં આવેલા નેતાઓના નામોમાં શશિ થરૂરનું નામ નહોતું, તેમ છતાં, ભારત સરકારે શશિ થરૂરને માત્ર પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જ નહીં, પરંતુ તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા પણ બનાવ્યા.

About The Author

Related Posts

Top News

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની...
Gujarat 
મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ, એક મોટો વિવાદ ફાટી નીકળ્યો. મામલો હતો EVM અને પોસ્ટલ બેલેટ...
Politics 
બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.