કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'

કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના સાંસદ શશી થરૂરે પાર્ટીની અંદરના મતભેદો સ્વીકાર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ફક્ત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.

હકીકતમાં, તિરુવનંતપુરમમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદ છે, અને હું પાર્ટીની અંદર તેના પર ચર્ચા કરીશ... હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે તેમને મળીને તેમની સાથે વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.'

Shashi-Tharoor
newsonair.gov.in

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'PM મોદી સાથેની ચર્ચા ફક્ત સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય છે, ત્યારે હું હંમેશા તૈયાર રહું છું.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિશ્વના દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન, શશી થરૂરે પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોને કારણે, કોલંબિયાએ પાકિસ્તાનના સમર્થનમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેને શશી થરૂર માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

Shashi-Tharoor2
theprint.in

જ્યારે શશિ થરૂર સહિત પ્રતિનિધિમંડળના બધા નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પછી પાછા ફર્યા, ત્યારે PM નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમના અનુભવો વિશે પણ પૂછ્યું. શશિ થરૂર વિશે રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિનિધિમંડળ માટે મોકલવામાં આવેલા નેતાઓના નામોમાં શશિ થરૂરનું નામ નહોતું, તેમ છતાં, ભારત સરકારે શશિ થરૂરને માત્ર પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જ નહીં, પરંતુ તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા પણ બનાવ્યા.

Related Posts

Top News

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં...
National 
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ...
Gujarat 
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Copyright (c) Khabarchhe All Rights Reserved.