કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'

કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના સાંસદ શશી થરૂરે પાર્ટીની અંદરના મતભેદો સ્વીકાર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ફક્ત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.

હકીકતમાં, તિરુવનંતપુરમમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદ છે, અને હું પાર્ટીની અંદર તેના પર ચર્ચા કરીશ... હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે તેમને મળીને તેમની સાથે વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.'

Shashi-Tharoor
newsonair.gov.in

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'PM મોદી સાથેની ચર્ચા ફક્ત સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય છે, ત્યારે હું હંમેશા તૈયાર રહું છું.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિશ્વના દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન, શશી થરૂરે પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોને કારણે, કોલંબિયાએ પાકિસ્તાનના સમર્થનમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેને શશી થરૂર માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

Shashi-Tharoor2
theprint.in

જ્યારે શશિ થરૂર સહિત પ્રતિનિધિમંડળના બધા નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પછી પાછા ફર્યા, ત્યારે PM નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમના અનુભવો વિશે પણ પૂછ્યું. શશિ થરૂર વિશે રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિનિધિમંડળ માટે મોકલવામાં આવેલા નેતાઓના નામોમાં શશિ થરૂરનું નામ નહોતું, તેમ છતાં, ભારત સરકારે શશિ થરૂરને માત્ર પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જ નહીં, પરંતુ તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા પણ બનાવ્યા.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.