કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'

કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના સાંસદ શશી થરૂરે પાર્ટીની અંદરના મતભેદો સ્વીકાર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ફક્ત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.

હકીકતમાં, તિરુવનંતપુરમમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદ છે, અને હું પાર્ટીની અંદર તેના પર ચર્ચા કરીશ... હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે તેમને મળીને તેમની સાથે વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.'

Shashi-Tharoor
newsonair.gov.in

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'PM મોદી સાથેની ચર્ચા ફક્ત સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય છે, ત્યારે હું હંમેશા તૈયાર રહું છું.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિશ્વના દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન, શશી થરૂરે પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોને કારણે, કોલંબિયાએ પાકિસ્તાનના સમર્થનમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેને શશી થરૂર માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

Shashi-Tharoor2
theprint.in

જ્યારે શશિ થરૂર સહિત પ્રતિનિધિમંડળના બધા નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પછી પાછા ફર્યા, ત્યારે PM નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમના અનુભવો વિશે પણ પૂછ્યું. શશિ થરૂર વિશે રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિનિધિમંડળ માટે મોકલવામાં આવેલા નેતાઓના નામોમાં શશિ થરૂરનું નામ નહોતું, તેમ છતાં, ભારત સરકારે શશિ થરૂરને માત્ર પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જ નહીં, પરંતુ તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા પણ બનાવ્યા.

About The Author

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.