મહિલાએ 3 બાળકોને ફાંસી પર લટકાવ્યા, પછી કર્યું એવું કે પતિ કદી નહીં ભૂલે

બિહારના ગયાથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં મગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી નાખી. આ પછી મહિલાએ પોતે પણ ફાંસી લગાવી લીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાએ પહેલા પોતાના ત્રણ બાળકોને ફાંસી આપી અને પછી પોતે પણ ફાંસી લગાવી લીધી.

ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. દરેકના મનમાં એક જ સવાલ છે કે આ મહિલાએ તેના બાળકોને કેમ માર્યા? કોઈ માતા આ કેવી રીતે કરી શકે? જરૂર તેની સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું હશે કે, તેણે જીવવાની ઇચ્છા ગુમાવી દીધી, એટલું જ નહીં તેણે તેના ત્રણ બાળકોને પણ મારી નાખ્યા. યુવતીનું નામ માલતી દેવી છે. માલતી દેવીના સંબંધીઓનું કહેવું છે કે, તે પહેલા તણાવમાં રહેતી હતી. તેઓ કહે છે કે, તે તેના પતિના કારણે પરેશાન રહેતી હતી. તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. આથી તેણે ફાંસી લગાવી લીધી છે. હાલ પોલીસે ગુનો નોંધી માલતીના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SP હિમાંશુએ જણાવ્યું કે, ગયાના મગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે માલતી દેવી નામની મહિલા અને તેના ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા છે. મહિલાએ પહેલા ત્રણેય બાળકોને ફાંસી પર લટકાવ્યા અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. મહિલાના સંબંધીઓનું કહેવું છે કે, માલતી સાથે કંઈક ખોટું થયું હશે, જેના કારણે તેણે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

હાલ પોલીસ દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પતિ ચંદન ભારતી પર મહિલા સાથે સારું વર્તન ન કરવાનો આરોપ છે. તે માલતી સાથે મારપીટ કરતો હતો. આથી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ જે કર્યું છે, તેનો પતિ જીવનભર ભૂલી શકશે નહીં. માલતી આવું કરી શકે એવી તે કલ્પના પણ કરી શકતો ન હતો. વિચારો કે તેને કેટલો ત્રાસ આપવામાં આવ્યો હશે, કે જેથી કરીને તેણે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

નોંધ: (આત્મહત્યા કરવી એ ક્યાંયથી યોગ્ય પગલું નથી, તે સમસ્યાનો ઉકેલ નથી, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર ન માનવી જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ, પરિસ્થિતિ સામે લડવું જોઈએ.)

About The Author

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.