હરિયાણામાં કેમ હાર્યું કોંગ્રેસ, રાહુલ ગાંધીએ જણાવ્યું કારણ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસમાં સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. હરિયાણામાં હાર પછી આજે કોંગ્રેસ નેતૃત્વએ રાજ્યના નેતાઓ સાથે તેની પ્રથમ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી.

સંગઠન મહાસચિવ K.C. વેણુગોપાલ, હરિયાણા પ્રદેશ પ્રમુખ ઉદય ભાન, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પ્રભારી દીપક બાબરિયા, હરિયાણા સુપરવાઈઝર અશોક ગેહલોત, અજય માકન, પ્રતાપ સિંહ બાજવાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે નેતાઓએ ચૂંટણીમાં અંગત હિતોને ઉપર રાખ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આખી ચૂંટણીમાં પાર્ટીનું હિત બીજા નંબર પર રહ્યું અને નેતાઓનું હિત તેના પર છવાઈ ગયું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામોની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

બેઠક પૂરી થયા પછી અજય માકને કહ્યું કે, પરિણામો ચોંકાવનારા અને અણધાર્યા હતા. તેમણે કહ્યું, 'આજે અમે એક બેઠક કરી અને હરિયાણામાં હારના કારણો પર ચર્ચા કરી. અમે અમારું વિશ્લેષણ ચાલુ રાખીશું... KC વેણુગોપાલ તમને પછીથી જણાવશે કે, આગળ શું પગલાં લેવામાં આવશે.'

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મીટિંગમાં કુમારી શૈલજા, રણદીપ સુરજેવાલા, કેપ્ટન અજય યાદવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

અગાઉ, ટ્વિટર પરની એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ કથિત EVM ખરાબી સામે 'ફરિયાદ' નોંધાવવાના પ્રયાસમાં ચૂંટણી પંચ સાથે સંભવિત બેઠકનો સંકેત આપ્યો હતો.

તેમણે X પર લખ્યું, 'અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.'

અહીં તમને જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJPએ 90માંથી 48 સીટો પર જંગી બહુમતી મેળવી છે. જ્યારે, દસ વર્ષથી સત્તામાં રહેલા BJP સામે સત્તા વિરોધી લહેરનો લાભ લેવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ 37 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ સિવાય INLDને 2 બેઠકો મળી છે. ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જોકે તેમણે હાઈકમાન્ડને મળ્યા પછી BJPને સમર્થન આપવાનું જાહેર કર્યું છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.