સત્તામાં બેઠેલા દરેક પાંચમાં નેતા વંશવાદની રાજનીતિની દેન છે, ADR રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રાજ્ય વિધાનસભા હોય કે દેશની લોકસભા, દરેક જગ્યાએ વંશવાદનો વેલો ઉછરી રહ્યો છે. સત્તામાં બેઠેલા દરેક પાંચમા નેતા વંશવાદની રાજનીતિની દેન છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન-રાજકીય પૃષ્ઠભૂમિના એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાની વાત કરી હતી. લોકસભામાં લગભગ એક તૃતીયાંશ સાંસદો વંશવાદની ઉપજ છે અથવા પરિવારના રાજનીતિક વારસાને આગળ વધારી રહ્યા છે, જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં આવા સભ્યો 20 ટકા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, આ દર્શાવે છે કે રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ પર રાજનીતિક પરિવારોનું કડક નિયંત્રણ છે.

Nepotism

લોકસભામાં વંશવાદની પૃષ્ઠભૂમિમાંથી આવતા સભ્યો 31 ટકા છે, જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં તે 20 ટકા છે. આ દર્શાવે છે કે રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં પ્રવેશ પર રાજનીતિક પરિવારોનું કડક નિયંત્રણ છે, જ્યારે રાજ્યની રાજનીતિમાં બહારના લોકો માટે પ્રવેશ કરવો અપેક્ષાકૃત સરળ છે.

નાના રાજ્યોની તુલનામાં, મોટા રાજ્યોમાં, જ્યાં રાજનીતિક પાર્ટીઓનું સંગઠન મજબૂત છે, વંશવાદ વધુ જગ્યા બનાવી શક્યો નથી,  જેમ કે તમિલનાડુ અને બંગાળમાં, આવી પૃષ્ઠભૂમિમાંથી આવતા પ્રતિનિધિઓની ટકાવારી અનુક્રમે 15 અને 9 છે. જ્યારે ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં, આવા સભ્યોની ટકાવારી 28 અને 27 છે. કેડર આધારિત પાર્ટીઓ રાજનીતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા નેતાઓના પ્રવેશ પર પ્રાદેશિક અથવા કુટુંબ સંચાલિત પાર્ટીઓની તુલનામાં અસરકારક રીતે અંકુશ લગાવી શકે છે.

Nepotism1
leidenpsychologyblog.nl

વંશવાદની રાજનીતિમાં મહિલાઓનો દબદબો દેખાઈ રહ્યો છે. આવી પૃષ્ઠભૂમિમાંથી આવતા મહિલા સભ્યોની ટકાવારી 47 છે જ્યારે પુરુષ સભ્યોની ટકાવારી 18 છે. ઝારખંડમાં 73 ટકા મહિલા પ્રતિનિધિઓ અને મહારાષ્ટ્રમાં 69 ટકા મહિલા પ્રતિનિધિઓ રાજનીતિમાં કૌટુંબિક વારસો આગળ વધારી રહી છે. તેનો અર્થ એ છે કે અહીં લગભગ તમામ મહિલા પ્રતિનિધિઓ કૌટુંબિક નેટવર્ક પર નિર્ભર છે. તેનાથી ખબર પડે છે કે વંશવાદે રાજનીતિમાં મહિલાઓ માટે દરવાજા ખોલ્યા, પરંતુ તેની સાથે જ બિન-રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આવતી પ્રથમ પેઢીની મહિલા નેતાઓ માટે જગ્યા સીમિત કરી દીધી.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.