સત્તામાં બેઠેલા દરેક પાંચમાં નેતા વંશવાદની રાજનીતિની દેન છે, ADR રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રાજ્ય વિધાનસભા હોય કે દેશની લોકસભા, દરેક જગ્યાએ વંશવાદનો વેલો ઉછરી રહ્યો છે. સત્તામાં બેઠેલા દરેક પાંચમા નેતા વંશવાદની રાજનીતિની દેન છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન-રાજકીય પૃષ્ઠભૂમિના એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાની વાત કરી હતી. લોકસભામાં લગભગ એક તૃતીયાંશ સાંસદો વંશવાદની ઉપજ છે અથવા પરિવારના રાજનીતિક વારસાને આગળ વધારી રહ્યા છે, જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં આવા સભ્યો 20 ટકા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, આ દર્શાવે છે કે રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ પર રાજનીતિક પરિવારોનું કડક નિયંત્રણ છે.

Nepotism

લોકસભામાં વંશવાદની પૃષ્ઠભૂમિમાંથી આવતા સભ્યો 31 ટકા છે, જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં તે 20 ટકા છે. આ દર્શાવે છે કે રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં પ્રવેશ પર રાજનીતિક પરિવારોનું કડક નિયંત્રણ છે, જ્યારે રાજ્યની રાજનીતિમાં બહારના લોકો માટે પ્રવેશ કરવો અપેક્ષાકૃત સરળ છે.

નાના રાજ્યોની તુલનામાં, મોટા રાજ્યોમાં, જ્યાં રાજનીતિક પાર્ટીઓનું સંગઠન મજબૂત છે, વંશવાદ વધુ જગ્યા બનાવી શક્યો નથી,  જેમ કે તમિલનાડુ અને બંગાળમાં, આવી પૃષ્ઠભૂમિમાંથી આવતા પ્રતિનિધિઓની ટકાવારી અનુક્રમે 15 અને 9 છે. જ્યારે ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં, આવા સભ્યોની ટકાવારી 28 અને 27 છે. કેડર આધારિત પાર્ટીઓ રાજનીતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા નેતાઓના પ્રવેશ પર પ્રાદેશિક અથવા કુટુંબ સંચાલિત પાર્ટીઓની તુલનામાં અસરકારક રીતે અંકુશ લગાવી શકે છે.

Nepotism1
leidenpsychologyblog.nl

વંશવાદની રાજનીતિમાં મહિલાઓનો દબદબો દેખાઈ રહ્યો છે. આવી પૃષ્ઠભૂમિમાંથી આવતા મહિલા સભ્યોની ટકાવારી 47 છે જ્યારે પુરુષ સભ્યોની ટકાવારી 18 છે. ઝારખંડમાં 73 ટકા મહિલા પ્રતિનિધિઓ અને મહારાષ્ટ્રમાં 69 ટકા મહિલા પ્રતિનિધિઓ રાજનીતિમાં કૌટુંબિક વારસો આગળ વધારી રહી છે. તેનો અર્થ એ છે કે અહીં લગભગ તમામ મહિલા પ્રતિનિધિઓ કૌટુંબિક નેટવર્ક પર નિર્ભર છે. તેનાથી ખબર પડે છે કે વંશવાદે રાજનીતિમાં મહિલાઓ માટે દરવાજા ખોલ્યા, પરંતુ તેની સાથે જ બિન-રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આવતી પ્રથમ પેઢીની મહિલા નેતાઓ માટે જગ્યા સીમિત કરી દીધી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.