ભારતનું એક એવું રેલવે સ્ટેશન,જ્યાં માત્ર મહિલાઓ જ કરે છે કામ, થઈ રહી છે વાહવાહી

સંયુક્ત રાષ્ટ્ર (United Nation) મહિલા સશક્તિકરણની પહેલ માટે ભારતીય રેલવેની પ્રશંસા કરી ચૂક્યું છે, કારણ કે ભારતીય રેલવે દ્વારા રાજસ્થાનના ગાંધી નગરમાં આવેલા રેલવે સ્ટેશનને દેશનું પહેલું પૂર્ણ મહિલા રેલવે સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે હેઠળ જયપુર જીલ્લાના ગાંધી નગર રેલવે સ્ટેશનને તમામ મહિલા રેલ્વે કર્મચારીઓને સોંપ્યું છે. આ રેલવે સ્ટેશન એવું પહેલું સ્ટેશન છે જ્યાં મહિલા કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સંચાલન અને જાળવણી કરવામાં આવે છે. માત્ર ટિકિટ વેચનાર જ નહીં પરંતુ ટિકિટ કલેક્ટર, સ્ટેશન માસ્ટર, સ્વચ્છતા કર્મચારીઓ સહિત તમામ કાર્ય મહિલા કર્મચારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રએ પણ ટ્વિટર પર આ વીડિયોને શેર કર્યો હતો. રાજસ્થાનના ગાંધી નગર રેલવે સ્ટેશનમાં 40 મહિલા કર્મચારીઓ હાજર છે અને તે તેના પુરૂષ સમકક્ષો કરતાં વધુ અસરકારક રીતે કામ કરી રહી છે. આ રેલવે સ્ટેશન પરથી એક દિવસમાં 50 ટ્રેનો પસાર થાય છે, જેમાં 24 ટ્રેનો રોકાય છે. દરરોજ, અહીં લગભગ 7000 મુસાફરો આવે છે. ઝડપી સેવાઓ પૂરી પાડવા, ટૂંકી લાઈનો, CCTV કેમેરા અને સારી સ્વચ્છતાના મામલામાં મુસાફરોના અનુભવમાં ઘણો બદલાવ આવ્યો છે. મહિલા મુસાફરોની વધુ સારી સુવિધા માટે રેલવે સ્ટેશન પર એક મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે.

મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનની સંપૂર્ણ જાળવણી માટે મહિલા કર્મચારીઓને સામેલ કરવા માટે આ પહેલ શરૂ કરી, કારણ કે તેનાથી સામાજિક અસર પડશે અને એક ઉદાહરણ સ્થાપિત થશે. તે એક સંકેત છે કે, મહિલાઓ પોતાની જાત પર રેલવે સ્ટેશનનું સંચાલન કરવામાં સક્ષમ છે, અને ભારત જેવા દેશોમાં જ્યાં કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી માત્ર 27% છે.

મુંબઈ ઝોનનું માટુંગા રેલવે સ્ટેશન પણ તમામ મહિલા ચાલક દળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને તે સબ અર્બન કેટેગરીમાં છે, જ્યારે ગાંધી નગર રેલવે સ્ટેશન મેઈનલાઈન કેટેગરીમાં દેશનું પહેલું સ્ટેશન છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.